________________
કાચીંડાના શરીર જેવું જ રહે છે, માત્ર સમય પસાર થાય છે અને સંબંધનું એ કથીર સંક્લેશોની અને સંઘર્ષોની આગમાં ઓગળી અને પીગળી જાય છે.
રાજા રાજસભામાં આવ્યો અને એના મનને શાંતિ થઈ ગઈ છે હું જે યોગિનીને માનવતી માની બેઠો હતો અને યોગિની માનવતી તો નથી જ કારણ કે માનવતીને તો હું અત્યારે એક દંડિયા મહેલમાં મારી સગી આંખે જોઈને આવું છું.
માનતુંગના ગયા બાદ માનવતી મનોમન મલકાઈ રહી છે. રાજાને મારા માટે શંકા પડી ગઈ હતી એ વાતનો મને અણસાર આવી ગયો અને હું સમયસર અહીં આવી ગઈ એ સારું જ થયું. માનતુંગને કેવો આબાદ બનાવ્યો? હજી ય એને નરમ ઘેંસ ન બનાવી દઉં અને મારી પાછળ ભટકતો ન બનાવી દઉં તો મારું નામ માનવતી નહીં.'
ફુગ્ગામાં હવા ભરતી વખતે બાબાને એમ લાગતું હોય છે કે હું ફુગ્ગાને ફુલાવી રહ્યો છું પણ એમાં સતત હવા ભરી રહેલ બાબાને જોઈને એના બાપાને સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે કે આ ફુગ્ગો હવે ફૂટવાની નજીક જ જઈ રહ્યો છે. અહંકારના ફુગ્ગાનું પણ આ જ ભાવિ છે, તમે જેમ જેમ એને પુષ્ટ કરતા જાઓ છો તેમ તેમ એ નષ્ટ થવાની નજીક જતો જાય છે.
બીજા જ દિવસથી માનવતીનો વ્યવહાર પૂર્વવતુ ચાલુ થઈ ગયો. રાતના એક દંડિયા મહેલમાં. સવારમાં પિતાને ત્યાં યોગિનીનો વેષ ધારણ કરીને ત્યાંથી નગરમાં. રાજાના આમંત્રણે રાજમહેલમાં. ત્યાં પૂરતો સમય આપીને પુનઃ પિતાને ત્યાં થઈને એકદંડિયા મહેલમાં.
‘એક વિનંતિ કરું?”
‘શી ?’ ‘વીણાવાદન અને સંગીતના ગાનમાં આપની હોડે આવે એવું આ નગરીમાં બીજું કોઈ જ નથી. આપ અહીં રોજ રાજસભામાં ન આવી શકો ?'
‘અહીં આવીને હું કરું શું?’ કેમ કરું છું એટલે ? રોજ વીણા વગાડો અને પ્રભુભક્તિના ગીતો સંભળાવો. પ્રજાજનોની વાત નથી કરતો પણ હું તો રાજી રાજી થઈ જઈશ” રાજાએ યોગિની પાસે આ પ્રસ્તાવ મૂક્યો.
જોઉં છું એમ નહીં. મને વચન આપો. રાજસભામાં રોજ આપ આવશો જ’ રાજાએ પુનઃ વિનંતિ કરી.
‘આ રાજાને મારા ચરણમાં તો મેં ઝુકાવી દીધો. હવે એને મારા ચરણજળનું પાન કરાવવાનું છે, અને એને માટે આ અવસર શ્રેષ્ઠ છે. એ જ્યારે અહીં રોજ આવી જવા સામેથી મને વિનંતિ કરી રહ્યો છે ત્યારે મારે એ વિનંતિનો અનાદર કરવાની જરૂર જ શી છે ?' આ વિચાર સાથે માનવતીએ રાજાને કહી દીધું કે –
‘આમ તો હું યોગિની છું. મારે કોઈની ય સાથે એવો સંબંધ નથી કે જેના કારણે મારે એને રોજ મળવું પડે, પણ તું આ નગરીનો રાજા છે, તું જો હંમેશાં પ્રસન્ન રહે તો નગરજનોની પ્રસન્નતા પણ તારાથી અકબંધ રહે, મારા વીણાવાદનથી અને પ્રભુભક્તિનાં ગાનથી તારી પ્રસન્નતા જો વધતી હોય તો અહીં રોજ રાજસભામાં આવવામાં મને કોઈ જ વાંધો નથી.'
અને
એ દિવસથી માંડીને યોગિની બનેલ માનવતીએ રોજ રાજસભામાં આવવાનું ચાલુ કર્યું. વીણાવાદન-કોકિલ કંઠરૂપ-યુવાની અને સ્ત્રી શરીર, લોકોના ટોળેટોળાં રાજસભામાં આવવા લાગ્યા. લોકો તો પાગલ હતા જ પણ સૌથી વધુ પાગલ તો રાજા હતો. એને યોગિનીનાં દર્શન વિના ચેન જ નહોતું પડતું. એક દિવસ...
‘મારી એક અરજ સાંભળશો ?'
‘બોલ' ‘મને આપ આપની સાથે...'
એટલે ?' ‘આપની સાથે મને કાયમ ન રાખો ?”
‘એટલે તું કહેવા શું માગે છે ?' ‘આ જ કે આપે આપના વર્તન દ્વારા, વીણાવાદન અને ગીત દ્વારા એ હદે મને આવર્જિત કરી દીધો છે કે હું આપના વિના એક ક્ષણ પણ રહી શકું તેમ નથી. પગાર