SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ - વેવવદ્વત્રિશાअपि तु स्तेनप्रयुक्तो निद्रामन्त्रस्पर्श एवेति । तदस्य विरोधस्य परिहारोऽध्यात्मवार्तानुभावेन सम्भवति । सेयं वार्ता - यदा नृणामिन्द्रियाणां वात्मीयात्मीयप्रवृत्तौ रममाणता, तदैव तेषां तत्त्वतो निद्रावशत्वम् । हृदि परमात्मनि स्फुरायमाणे तु मनुष्याणामिन्द्रियाणां च न भवति सा दशा, त्यजन्त्येते प्रवृत्तिक्षेत्रीयस्थूलरसनिद्राम्, अनुभवन्ति च नवीनां जागरदशाम् । सैव जागरदशाऽत्र परमात्मस्पर्शप्रयुक्तनिद्रात्वेन प्ररूपिता। यदैवेतादृग्निद्रापगमेन नरा इन्द्रियाणि च जाग्रति, तदैते पुनरपि स्वस्वविषयप्रवृत्ततया भोगाभिमुखभावं भजन्ते। उक्तनिद्राजागरप्रतिपत्तौ- या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी - इति गीतान्तर्गतः श्लोकः (२-६९), काव्यानुशासनान्तर्गतं श्रीहेमचन्द्राचार्यकृतं तच्छ्लोकविवरणं चोपयोगितां भजेते । કહેવો જોઈએ ? આ પ્રાપંચિક વિરોધનો પરિહાર આધ્યાત્મિક દૃષ્ટિના વિચારમાં છે. આધ્યાત્મિકષ્ટિ એમ કહે છે કે માણસો અને તેની ઈન્દ્રિયો પોતપોતાના પ્રવૃત્તિક્ષેત્રમાં રમમાણ હોય છે ત્યારે જ તે તાત્વિકદૃષ્ટિએ નિદ્રાવશ હોય છે. હૃદયમાં પરમાત્માનું સ્પંદન થતાં જ માણસ અને ઈન્દ્રિયોની એ દશા ચાલી જાય છે અને તે પ્રવૃત્તિક્ષેત્રના સ્થૂલરસની નિદ્રા છોડી કોઈ નવજાગરણ અનુભવે છે. આવું જાગરણ તે જ અહીં પરમાત્મપર્શજનિત નિદ્રારૂપે વર્ણવેલ છે. અને જ્યારે આવી નિદ્રાથી માણસ અને ઈન્દ્રિયો જાગે છે ત્યારે તે પાછી પોતપોતાના વિષય ભણી વળી ભોગાભિમુખ બને છે. ઉકત નિદ્રા અને જાગરણ સમજવામાં ‘શા નિશા સર્વભૂતાનાં તસ્યાં ગાર્તિ સંયમી' ગીતાનો (૨.૬૯) આ શ્લોક અને તેનું આચાર્ય હેમચન્દ્રસૂરિજીએ કાવ્યાનુશાસનમાં કરેલું વિવરણ ઉપયોગી થઈ શકે તેમ છે. – વેનષ—શ્ચિ8 सूरिभिः परमात्मा सुरसुरभितया परिकल्पितः, समन्ततो व्याप्तास्तद्विभूतयस्स्तनरूपकेण वर्णिताः, यथा ताः स्वयमेव पापमदुहाना एव क्षरन्ति । अत्रैवं विरोधः- स्वयं दुहानाः परमात्मविभूतयः कल्याणमेव वितन्वन्ति, तदा प्रयत्नेन दोह्यमानाः कथं ताः पापमेव क्षरन्तीति । न हि कामधेनुः कदापि स्वयं प्रयोगेण वा पापं क्षरन्ति, अपि तु કીમેરિકા अत्रायं परिहारपन्थाः, आधिभौतिका आधिदैविका आध्यात्मिका वा परमात्मविभूतयो यदा नृभिरहङ्कारानुविद्धेन यत्नेन भोगाभिलाषण निश्च्योत्यन्ते, तदा ते नराः स्वलोभवृत्त्या तदीयनैसर्गिकानि स्रोतांसि निरुन्धन्ति, ततश्च तेषामहितमेव भवति, न तु हितम् । - કવિ પરમાત્માને કામધેનુ કલ્પી તેની ચોમેર પથરાયેલી વિભૂતિઓને સ્તનનું રૂપક આપી કહે છે કે તે આપમેળે જ પાપને દૂજ્યા સિવાય જ ઝર્યા કરે છે. અહીં વિરોધ એ લાગે છે કે પરમાત્માની વિભૂતિઓને જે આપમેળે દૂજવા દીધી હોય એટલે તેને આપમેળે પોતપોતાનું કામ કરવા દીધું હોય તો તે સદાય ભલું કરે છે. પણ જો તેને પ્રયત્નથી જોવા માંડો કે નિચોવો તો તેમાંથી પાપ જ ઝરે છે, બુરાઈ જ પ્રકટે છે. આ દેખીતો વિરોધ છે. કામધેનુનાં સ્તનોને હાથથી નિચોવો કે આપમેળે દૂઝવા દ્યો તો પણ તેમાંથી એકસરખું દૂધ જ ઝરે. જ્યારે અહીં તો પ્રયત્નથી નિચોવતાં તેમાંથી બુરાઈ પ્રકટવાનું કહેવામાં આવ્યું છે. આ વિરોધનો પરિહાર એ રીતે થઈ શકે છે કે આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક એ બધી પરમાત્માની વિભૂતિઓને જ્યારે માણસ પોતાના આહંકારિક પ્રયત્નથી ભોગદષ્ટિએ નિચોવે છે, એટલે તેના સાહજિક પ્રવાહને પોતાના લોભથી કુંઠિત કરે છે. ૧. મૂળમાં રશ્મિ શબ્દ છે તેનો સીધો અર્થ સ્તન નથી પણ અહીં પ્રસંગ જોઈ કિરણનું સાદૃશ્ય કલ્પી તે અર્થ કર્યો છે. 24
SR No.008879
Book TitleVedavada Dvantrinshika
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorJaykalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages43
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size471 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy