________________
यस्मात्कारणात् अनुष्ठानं-क्रिया निर्वाणांग-मुक्तिकारणं भणितं - उक्तं अन्यैरपि - तंत्रान्तरीयैः किं पुनर्जिनैः? योगमार्गे-अध्यात्मशास्त्रपथे, अतो विषयादिशुद्धतयैतेषां निर्वाणाङ्गत्वान्निर्निदानतेति हृदयमिति ।। ४२ ।। एतच्च-एतत्पुनरनन्तरोक्तं तपः विषयशुद्धं निर्दोषगोचरं सकलदोषमोषि-जिनपतिविषयत्वात् एकान्तेनैव सर्वथैव यद्-यस्मात् ततः-तस्माद्धेतोः युक्तं-सर्गतं प्रार्थनागर्भमपीदं तपः, कुत ? इति आह आरोग्यबोधिलाभादीनां 'आरोग्गबोहिलाभं समाहिवरमुत्तमं दितु' इत्येवंरूपा या प्रार्थना-याञ्चा तत्प्रधानं यच्चित्तं-मनस्तेन तुल्यं-समानं यत् तदारोग्यबोधिलाभादिप्रार्थनाचित्ततुल्यं इति कृत्वा । इति गाथाद्वयार्थः ।। ४३ ।।
કિ.
૧૧૯. યોગદ્રષ્ટિ સમુચ્ચય ભાગ-૨
પ્રાકથનમાંથી ઉદ્ધત અંશો. તાર્કિક શિરોમણિ પૂ.શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ પોતે પણ અનેકાન્તવાદ-ગર્ભિત શ્રી જિનશાસનને પામ્યા બાદ એકાન્તવાદની કુવાસનામાંથી મુક્તિનો અનુભવ કરતા હતા. તેઓશ્રીએ રચેલો આ યોગદષ્ટિસમુચ્ચય ગ્રન્થ પણ એકાન્તવાદની વાસનાથી મુક્ત કરીને યોગસાધનામાં અત્યન્ત ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડી રહ્યો છે.
અનેક શાસ્ત્રકાર ભગવંતો કહી ગયા છે કે ચાર પુરુષાર્થમાં અર્થ-કામ બે પુરુષાર્થો હેય છે, અને મોક્ષ પુરુષાર્થ એ ચરમ લક્ષ્ય છે. પણ એ ત્રણેની પ્રાપ્તિ કરાવનાર કોઈ પુરુષાર્થ હોય તો તે એક માત્ર ધર્મપુરુષાર્થ છે. તેથી, ભૌતિકઆધ્યાત્મિક તમામ સુખોના હેતુભૂત એવા એક માત્ર ધર્મની જ સાધનાઉપાસના મનુષ્યજીવનનું નવનીત છે. ધર્મ જિનભક્તિ-સામાયિક-પ્રતિક્રમણાદિ અનેક ધાર્મિક અનુષ્ઠાનોમાં વસેલો છે. માટે જેમ બને તેમ પાપપ્રવૃત્તિઓ છોડીને જીવનમાં જિનોક્ત-સામાયિકાદિ સદનુષ્ઠાનો દિન-પ્રતિદિન વધારતા જવું જોઈએ, આત્મસાત્ કરતા જવું જોઈએ, અને એ માટે જરૂરી સમ્યગુજ્ઞાનનું પણ સમ્પાદન કરતા રહેવું જોઈએ. એ જૈનશાસનના ઉપદેશોનો સાર છે. પૂ. ઉપા. યશોવિજયજી મ.સા.જ્ઞાનસારમાં કહે છે કે એક પણ નિર્વાણપદ યાને મુક્તિસાધક સામાયિકાદિ-વચનનું વારંવાર જેનાથી ભાવન-નિદિધ્યાસને થાય એટલું જ્ઞાન પણ ઘણું છે, વધારે જ્ઞાનનો કોઈ આગ્રહ નથી.
પ્રાયઃ એવું બને છે કે મોટા ભાગના જીવો બીજાઓને જોઈને કે કુલાચારથી કે ગતાનુગતિકતાથી શરૂઆતમાં ઉચિત ઉપયોગ-શૂન્ય રીતે, કે ટાઈમ પાસ કરવા માટે, અથવા કાંઇક આશંસાથી પણ પચ્ચખાણ વગેરે કરતા હોય છે. પરંતુ એવા ભવ્ય-યોગ્ય જીવોને જરાયે બુદ્ધિભેદ ન થાય એ રીતે ઉપદેશ કરનારા મહાપુરુષોનો ભેટો થઈ જાય ત્યારે એમની ઉપયોગશૂન્યતાઆશંસા વગેરે દોષો ટળી જાય છે. આ સંદર્ભમાં આ પ્રાકથન પૂર્ણ થયા પછી આપેલ ‘નાણપંચમી કહાઓ’નો પાઠ અવશ્ય મનનીય છે.
(૧૦૮)
(૧૦૭)