SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ સેવા-પરોપકાર હ્યુમન (માણસ) કોને કહેવાય કે જે આપે-લે, સરખા ભાવે વ્યવહાર કરે. સુખ આપ્યું હોય તેને સુખ આપે, દુઃખ આપ્યું હોય તેને દુઃખ ન આપે, એવો બધો વ્યવહાર કરે એ મનુષ્યપણું કહેવાય. ૧૧ એટલે જે સામાનું સુખ લઈ લે છે એ પાશવતામાં જાય છે. જે પોતે સુખ આપે છે ને સુખ લે છે એવો માનવ વ્યવહાર કરે છે એટલે મનુષ્યમાં રહે છે અને જે પોતાનું સુખ બીજાને ભોગવવા આપી દે છે એ દેવગતિમાં જાય છે, સુપરહ્યૂમન. પોતાનું સુખ બીજાને આપી દે, કોઈ દુખિયાને, એ દેવગતિમાં જાય. એમાં ઈગોઈઝમ તોર્મલ ! પ્રશ્નકર્તા : પરોપકારની સાથે ‘ઈગોઈઝમ’ની સંગતિ હોય કે ? દાદાશ્રી : હંમેશાં પરોપકાર જે કરે છે, તેનો ‘ઈગોઈઝમ’ નોર્મલ જ હોય, તેનો વાસ્તવિક ‘ઈગોઈઝમ’ હોય અને જે કોર્ટમાં દોઢસો રૂપિયા ફી લઈને બીજાનું કામ કરતા હોય, તેનો ‘ઈગોઈઝમ’ બહુ વધી ગયેલો હોય. આ જગતનો કુદરતી નિયમ શું છે કે તમારા પોતાનાં ફળ બીજાને આપો તો કુદરત તમારું ચલાવી લેશે. આ જ ગુહ્ય સાયન્સ છે. આ પરોક્ષ ધર્મ છે. પછી પ્રત્યક્ષ ધર્મ આવે છે, આત્મધર્મ છેલ્લે આવે. મનુષ્યજીવનનો હિસાબ આટલો જ છે. અર્ક આટલો જ છે કે મન-વચન-કાયા પારકાં માટે વાપરો. જ નવો ધ્યેય આજતો, રીએક્શતો પાછલાં ! પ્રશ્નકર્તા ઃ તો પરોપકાર અર્થે જ જીવવું જોઈએ ? દાદાશ્રી : હા, પરોપકાર અર્થે જ જીવવું જોઈએ, પણ આ તમે હવે એવી લાઈન તરત જ બદલો તો આમ કરતાં પાછલાં રીએકશનો તો આવે, એટલે પાછા તમે કંટાળી જાવ કે આ તો મારે હજુ સહન કરવું પડે છે ! પણ થોડો વખત સહન કરવું પડશે, ત્યાર પછી તમને કોઈ દુ:ખ નહીં હોય. પણ ૧૨ સેવા-પરોપકાર અત્યારે તો નવેસરથી લાઈન બાંધો છો, એટલે પાછલાં રિએક્શન તો આવવાનાં જ. અત્યાર સુધી જે ઊંધું કર્યું હતું, તેનાં ફળ તો આવે જ ને ? અંતે ઉપકાર જાત ઉપર કરવાનો ! હંમેશાં કોઈની ઉપકાર કર્યો હોય, કોઈને ફાયદો કર્યો હોય, કોઈકને માટે જીવ્યા હોય એટલો આપણને લાભ થાય, પણ એ ભૌતિક લાભ થાય, એનું ભૌતિક ફળ મળવાનું. પ્રશ્નકર્તા ઃ કોઈક પર ઉપકાર કરવાને બદલે જાત ઉપર ઉપકાર કરે તો ? દાદાશ્રી : બસ, જાત ઉપર ઉપકાર કરવા માટે જ બધું કરવાનું છે. જો જાત ઉપર ઉપકાર કરે તો એનું કલ્યાણ થઈ જાય, પણ એને માટે પોતાની જાત (પોતાના આત્માને) જાણવી પડે, ત્યાં સુધી લોકો ઉપર ઉપકાર કરવાના, પણ એનું ભૌતિક ફળ મળ્યા કરશે. આપણી જાતને જાણવા માટે ‘આપણે કોણ છીએ’ એ જાણવું પડે. ખરેખર આપણે પોતે શુદ્ધાત્મા છીએ. તમે તો અત્યાર સુધી ‘હું ચંદુભાઈ છું’ એટલું જ જાણો છો ને કે બીજું કશું જાણો છો ? આ ‘ચંદુભાઈ’ એ ‘હું જ છું’ એવું કહેશો. આનો ધણી થાઉં, આનો મામો થાઉં, આનો કાકો થાઉં, આમ બધી ઘટમાળ ! એવું જ છે ને ? એ જ જ્ઞાન તમારી પાસે છે ને ? એથી આગળ ગયા નથી ને ? માનવસેવા, સામાજિક ધર્મ ! પ્રશ્નકર્તા : પણ વ્યવહારમાં એવું હોય છે ને કે દયાભાવ રહે છે, સેવા રહે છે, કોઈના પ્રત્યે લાગણી રહે છે કે કંઈક કરી છૂટું, કોઈને નોકરી અપાવવી, બીમારને હોસ્પીટલમાં જગ્યા અપાવવી, એટલે એ બધી ક્રિયાઓ એ એક જાતનો વ્યવહાર ધર્મ જ થયો ને ? દાદાશ્રી : એ તો બધી સામાન્ય ફરજો કહેવાય. પ્રશ્નકર્તા : તો માનવસેવા એ તો એક વ્યવહારિક થયું, એવું જ
SR No.008873
Book TitleSeva Paropkar
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2005
Total Pages25
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size406 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy