SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ પ્રતિક્રમણ (૬) રહે ફૂલ, જાય કાંટા ૧૩૫ થઈ ગયું હોય, પસ્તાવો કરવાથી. આપણે કહીએ, “ચંદુભાઈ’ પસ્તાવો કરો બા. કેમ અતિક્રમણ કર્યુ ? દાદાનો કાયદો શો છે ? અતિક્રમણ કર્યું માટે તમે પ્રતિક્રમણ કરો, બસ ! આ કાયદેસર છે ને ? આપણું વિજ્ઞાન તો એક-એક ખૂણામાંથી કાયદેસર હોય. આ વિજ્ઞાન એટલે દરઅસલ વિજ્ઞાન છે. આખું ક્રમિકશાન તો ભગવાને કેવળજ્ઞાનમાંથી કહ્યું અને કલ્પનામાં આવ્યું. અને આપણું આય કેવળજ્ઞાનથી કહ્યું, પણ કલ્પના બહારની વસ્તુ છે આ ! પેલામાં તો વિરોધાભાસ જડે, પણ અહીં ના જડે. ભૂલ દેખાડે તેતે શાબાશી ? તમારી ભૂલ દેખાડે તો તમે શાબાશી દો ખરા ? પ્રશ્નકર્તા : હવે એ તો જેનો જેવો અહંકાર. દાદાશ્રી : અરે, રામ તારી માયા ! ત્યાં તો શુંનું શું બોલે, મૂઓ ! ત્યાં પાછું તો જુઓ કે, ભઈ મને એવું થાય તો શું કરવું ? પ્રશ્નકર્તા : આ બાબતમાં તો હું પકડી લઉં કે તે આ બરાબર માટે માફી માંગી લો, અને ‘ચંદુભાઈ’ કોઈને દુઃખ દેતા હોય તો આપણે કહેવું કે ‘પ્રતિક્રમણ કરી લો, બા !' કારણ કે આપણે મોક્ષે જવું છે. હવે ગમે તેમ એ કરવા જઈએ તે ચાલે નહીં. અન્ડરહેન્ડતી ન જોવી ભૂલ પ્રશ્નકર્તા : બીજાના દોષ દેખાતા હોય, પોતાના દોષ દેખાતા હોય તો તે જોયા કરવાના ? શું કરવાનું ? દાદાશ્રી : પોતાના દોષ દેખાતા હોય તો અમુક માણસને કહેવાના, અમુક માણસને ના કહેવાય અને અમુક માણસના દોષ દેખાતા હોય તેનું પ્રતિક્રમણ કરીને ઊંચા મૂકવા, આમ ત્રણ રસ્તા છે. કાં તો દોષ દેખાતા હોય તો પ્રતિક્રમણ કરીને ઊંચા મૂકી દેવા અને પ્રતિક્રમણ નહીં કરો તો દોષ દેખાતા હોય તો કોના કહેવા, પોલીસવાળાના, મેજીસ્ટ્રેટોના, એમના બધા દોષ કહેવા, કે તમે બધા આવા છો. પણ આ બધા અન્ડરહેન્ડ (આશ્રિત) છે, એના દોષ ના કહેવા. સમજાયુંને ? દરેક વસ્તુ ભૂલથી જ ભરેલી હોય. એટલે બધી ભૂલ તો હોય જ ને ? ભૂલ વગર તો કોઈ ના હોય, કો'કની ભૂલ કાઢવી એ મૂરખનું કામ છે. તને ભૂલ કાઢવી ગમે ? પ્રશ્નકર્તા : બીજાનો દોષ દેખાયોને એ જે ભૂલ થઈ, એનું પ્રતિક્રમણ કરવાનું ? દાદાશ્રી : લોકોનો દોષ દેખાય એટલે પડતું મૂકે પછી આગળ આપણે શું કરવાનું, કે “ઓહોહો ! હજુ તમે બીજાના દોષ જુઓ છો ? એનાં પ્રતિક્રમણ કરો', એ આપણો દોષ જોયો કહેવાય. એવા પચાસ થાય તો બહુ થઈ ગયું. બીજાના દોષ જોવાનો અધિકાર જ નથી. એટલે એ દોષની માફી-ક્ષમા માંગવી, પ્રતિક્રમણ કરવું. પરદોષ જોવાની તો પહેલેથી એમને હેબીટ (ટેવ) હતી જ ને, એમાં નવું છે જ નહીં. એ હેબીટ કર્યું. દાદાશ્રી : ના, ના, ના. કારણ કે પોતાની ભૂલ સાચી જડે નહીં આપણને. એ તો અમુક જ બાબત હોય તો તમે પકડી શકો કે આ મારી ભૂલ થઈ છે. પણ બીજી બાબત ના પકડી શકો. એટલે એ અવળું જ બોલે. ‘ચંદુભાઈ ભૂલ કરે છે' એમ કોઈ કહે કે ‘તારી ભૂલ છે' તો આપણેય કહેવું, ‘ચંદુભાઈ, તમારી ભૂલ થઈ હશે ત્યારે જ એ કહેતા હશે ને ? નહીં તો એમને એમ તો કોઈ કહેતું હશે ?” કારણ કે એમને એમ કોઈ કહે નહીં. કંઈકેય ભૂલ હોવી ઘટે. એટલે આપણે એમાં કહેવામાં વાંધો શો ? ભઈ, તમારી કંઈક ભૂલ હશે માટે કહેતા હશે.
SR No.008868
Book TitlePratikramana Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2008
Total Pages307
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size79 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy