________________
(૬) રહે ફૂલ, જાય કાંટા
૧૩૩
૧૩૪
પ્રતિક્રમણ
અહંકાર, પાશવી તે માનવીય સામાને ઠપકો આપો છો તો તમને એમ ખ્યાલ નથી આવતો કે તમને ઠપકો આપે તો શું થાય ? એ ખ્યાલ રાખીને ઠપકો આપો.
સામાનો ખ્યાલ રાખીને દરેક કાર્ય કરવું એનું નામ માનવ અહંકાર. આપણો ખ્યાલ રાખીને દરેકની જોડે વર્તન કરવું અને ગોદા મારવા, તો એનું નામ શું કહેવાય ?
પ્રશ્નકર્તા : પાશવી અહંકાર.
દાદાશ્રી : પ્રતિક્રમણ તો મૂળ શબ્દોની રીતે હોય છે, પણ એ શબ્દોની જંજાળ સ્તોને ? એના કરતાં ના આવડે તો કહીએ, હે દાદા ભગવાન ! અગર તો જે ભગવાનને માનતો હોય તે ભગવાનને યાદ કરવા કે મારાથી આ ભૂલ થઈ, આ ભઈની જોડે વધારે ગુસ્સો થઈ ગયો, માટે હું ક્ષમા માગું છું. પસ્તાવો કરું છું, ફરી આવું નહીં કરું. બસ આટલું જ બોલો તોય ચાલે.
બાકી શબ્દોની જંજાળ તો બહુ. મોટા શબ્દો ચીતરેલા હોય બધા, પણ એ ક્યારે પાર આવે ? એ બોલ બોલ કરીએ તો. પણ આ ટૂંકું બોલી જવું.
પરિણામિક પ્રતિક્રમણ સામાની ભૂલ હોય તોય આપણે માફી માંગી લેવી.
પ્રશ્નકર્તા : બધાની વચમાં, દાદાની સાક્ષીએ, દરેક પોતાની ભૂલોની માફી માંગી લે તો ?
દાદાશ્રી : એ તો એક જાણે કે બિગિનિંગ (શરૂઆત) કહેવાય. તેથી કંઈ ધોવાઈ જતું નથી. પ્રતિક્રમણ તમારે એવું કરવું જોઈએ કે સામો બોલતો આવે. અત્યારે મારી હાજરીમાં શરૂઆત કરવી.
જ્યારે જ્યારે ગૂંચ પડવાની થાય ત્યારે ત્યારે દાદા અવશ્ય યાદ આવી જ જાય અને ગૂંચો પડે નહીં. “અમે તો શું કહીએ કે આ ગૂંચો પાડીશ નહીં, અને ક્યારેક ગૂંચ પડી જાય તો પ્રતિક્રમણ કરજે. આ તો ગુંચ શબ્દની તરત જ સમજણ પડે. આ લોકો ‘સત્ય બોલો, દયા રાખો, ચોરી નહીં કરો.” એ સાંભળી સાંભળીને તો થાકી ગયા છે.
મહીં ગૂંચ પડી હોય તો તે ગૂંચ રાખીને સૂઈ ના જવું જોઈએ. ગૂંચનો ઉકેલ લાવવો જોઈએ. છેવટે કશો ઉકેલ ના જડે તો ભગવાન પાસે માફી માંગ માંગ કરીએ, કે આની જોડે ગુંચ પડી ગઈ છે તે બદલની માફી માંગ માંગ કરું છું, તોય ઉકેલ આવે. માફી જ મોટામાં મોટું શાસ્ત્ર છે. બાકી દોષો તો, નિરંતર દોષો જ થયા કરે છે.
દાદાશ્રી : પહેલાં મારેલા ? નહીં ?
પ્રશ્નકર્તા : અત્યારે જ્ઞાન લીધા પછી એવા સંજોગ ઊભા થાય તો શું કરવું ?
દાદાશ્રી : જ્ઞાની થયા પછી તો જ્ઞાન જુદું રહે છે એને. એ જુદું રહેતાં આવડે તો એને કશું ના થાય. જુદું રહીને બધું નાટક જોયા કરતો હોય તો તો વાંધો નથી, અને ભેગો થાય તોય પેલો નથી. જુદું ના રહે કશું તોય એ ફાઈલ, પછી ફરી સહી કરવી પડશે, જુદું રહીને. એ ફાઈલ ફરીથી આવશે પછી. સિગ્નેચર (સહી) થઈ નહીં. તોયે રહી જાયને કાગળ, એવું. પણ નિવેડો તો તમારે જ લાવવો પડશે. હું કહું છું. તે બધું આખું સમજાઈ ગયું ?
પ્રશ્નકર્તા : હા, દાદા !
દાદાશ્રી : સહી ના થયેલી હોય તો ફરી પાછું પેપર આવશે. એ જોઈ, વાંચી અને સમભાવે નિકાલ કરીએ એટલે ત્યાંથી છૂટી ગયા. - હવે એવું ક્યારે ના બને ? કે કર્મ બહુ ચીકણું હોય અને ગાઢ હોય ને ત્યારે માણસ ભૂલથાપ ખઈ જાય એટલે થઈ જાય. આપણે તે ઘડીએ પછી પસ્તાવો કરીએ. એને થઈ ગયા પછી પસ્તાવો થાય ને બળ્યો ! તે પસ્તાવો કરીએ એટલે ઢીલું થયું એટલે આમ તો ફરીવાર આ બાજુમાં આવે ને તો આપણે કરી શકીએ એવી સ્થિતિમાં નરમ