________________
(૬) રહે ફૂલ, જાય કાંટા
૧૩૧
૧૩૨
પ્રતિક્રમણ
પ્રતિક્રમણ કરવાનું, પશ્ચાત્તાપ કરવાનો અને ફરી એવું નહીં કરું, એવું પ્રત્યાખ્યાન કરવાનું. એ ‘શૂટ ઑન સાઈટ’ કહેવાય. દોષ થયો કે તરત એને ધોઈ નાખો. એવું તમારે તરત ધોવાની ઈચ્છા છે કે બાર મહિને ?
એથી તો ઊંધા ગયા ઊલટા પ્રશ્નકર્તા : ક્રમિકનાં પ્રતિક્રમણ કરતા હતા ત્યારે મગજમાં કંઈ બેસતું ન હતું કે અત્યારે આ કરીએ છીએ તો હલકાં ફૂલ થઈ જવાય
પ્રત્યક્ષ છે પણ નિમિત્ત આપણે બન્યા, આપણે એને ટૈડકાવ્યો માટે આપણી ભૂલ. દાદાને કેમ ભોગવટો નથી આવતો ? કારણ કે એમની એકેય ભૂલ રહી નથી. આપણી ભૂલથી સામાને કંઈ પણ અસર થાય, જો કંઈ ઉધાર થાય તો તરત જ મનથી માફી માંગી જમા કરી લેવું. આપણી ભૂલ થઈ હોય તો ઉધાર થાય પણ તરત જ કેશ - રોકડું પ્રતિક્રમણ કરી નાખવું. અને જો કોઈના થકી આપણી ભૂલ થાય તોય આપણે આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરી લેવું. મન-વચનકાયાથી, પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ ક્ષમા માંગ માંગ કરવાની.
ડગલે ને પગલે જાગૃતિ રહેવી જોઈએ. આપણામાં ક્રોધ-માનમાયા-લોભના કષાયો છે. તે ભૂલો કરાવે જ અને ઉધારી ઊભી કરે. પણ તેની સામે આપણે તરત જ, તત્સણ માફી માંગીને જમા કરીને ચોખ્ખું કરી લેવું. આ વેપાર પેન્ડિગ (બાકી) ના રખાય. આ તો દરઅસલ રોકડિયો વ્યાપાર કહેવાય.
પ્રશ્નકર્તા : અત્યારે ભૂલો થાય છે એ ગયા અવતારની ખરી ?
દાદાશ્રી : ગયા અવતારના પાપને લઈને જ આ ભૂલો છે. પણ આ અવતારમાં ફરી ભુલ ભાંગે જ નહીં ને વધારતો જાય. ભૂલને ભાંગવા માટે ભૂલને ભૂલ કહેવી પડે. તેનું ઉપરાણું ના લેવાય. ‘આ’ ‘જ્ઞાનીપુરુષો'ની કૂંચી કહેવાય. તેનાથી ગમે-તેવાં તાળાં ઊઘડી જાય.
એટલે પોતાની ભૂલ ભાંગશે ત્યારે કામ થશે. કાં તો જ્ઞાનીપુરુષ તમને તારે તો થઈ જાય. જ્ઞાનીપુરષ તારી શકે. તમે એમ કહો કે. મને બચાવો, તો બચાવે. એમને એમ નથી કે મારે કશી ફી લેવાની. કારણ કે અમૂલ્ય ચીજની ફી કેટલી આપે ? ને આ મૂળો તો મૂલ્યવાન કહેવાય ! મૂળો તો દસ પૈસાનો. જો મૂલ્યવાન છે ને ? અને આ તો અમૂલ્ય ચીજ કહેવાય. એટલે આનું મૂલ્ય-બૂલ્ય ના હોય. અમૂલ્ય ! અમૂલ્ય !! એટલે આમ કિંમત ના હોય ! | દોષ તો થયા વગર રહે જ નહીં ને ! નર્યા દોષ જ થયા કરવાના. એ દોષ તમને દેખાયા કરે. દોષ દેખાયા એટલે આ દોષનું
દાદાશ્રી : પણ એ તો બધાં તમે અણસમજણથી કરેલા પ્રતિક્રમણ ! પ્રતિક્રમણ એટલે તરત દોષ ઘટવો જોઈએ, એનું નામ પ્રતિક્રમણ કહેવાય. આપણે ઊંધા ગયેલા, તે પાછા ફર્યા એનું નામ પ્રતિક્રમણ કહેવાય. આ તો પાછા ફર્યા નહીં ને ત્યાં ને ત્યાં જ છે ! ત્યાંથી આગળ ગયા છે ઊલટા !!! એટલે એને પ્રતિક્રમણ કહેવાય જ કેમ કરીને ?
ગત જન્મોનાં પ્રતિક્રમણો પ્રશ્નકર્તા : અતિક્રમણ ક્યારે થાય છે, કે કંઈક પાછલા જન્મોના હિસાબ હશે ત્યારે ?
દાદાશ્રી : હા, ત્યારે થાય.
પ્રશ્નકર્તા : એટલે આપણા માટે પ્રતિક્રમણ કરીએ છીએ ત્યારે પાછલા બધા જન્મોનાં પાપ માટેનું બધું પ્રતિક્રમણ થાય છે ?
દાદાશ્રી : એ હિસાબ આપણે તોડી નાખીએ છીએ. એટલે આપણા લોક ‘શૂટ ઑન સાઈટ’ પ્રતિક્રમણ કરે છે. એટલે આપણા દોષ તરત નિર્મુળ થઈ જાય છે.
મોટા દોષતાં પ્રતિક્રમણ પ્રશ્નકર્તા : આપણો મોટો દોષ દેખાય તો એનું પ્રતિક્રમણ કેવી રીતે કરવું?