________________
(૬) રહે ફૂલ, જાય કાંટા
૧૨૯
૧૩૦
પ્રતિક્રમણ
મોઢા પર મસ્તી આવે. તમને ખબર ના પડે ? ડાઘ જ જતો રહેલો ? કેમ ના પડે ? વાંધો શું આવે છે ? અને ના ધોવાય તોય આપણને વાંધો નથી. તું પ્રતિક્રમણ કરને. તું સાબુ ઘાલ્યા જ કરજે ને ! પાપને તું ઓળખે છે ? પાપને તું ઓળખે છે ખરો ?
પ્રશ્નકર્તા : દાદાની આજ્ઞા ના પળાય એટલે પાપ ?
પ્રશ્નકર્તા : ના, અહીં જ જોવા મળ્યું.
દાદાશ્રી : આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન એકલું મોક્ષમાર્ગનું સાધન છે, બીજું કોઈ સાધન નથી આ જગતમાં. બીજું સાધન એટલું કે જ્ઞાની પુરુષથી જ્ઞાન મળે પછી આ કામ લાગશે. ને તે પહેલાંય જો કરેલું હશે તો દોષ મંદ થઈ ગયા હશે. પણ એ એટલું પ્રતિક્રમણ રહી શકે નહીં, જાગૃતિ ના રહી શકે માણસને.
જ્ઞાન લીધા પછી આપણને અંદર ખબર પડે, દોષ થયો છે આ. તો જ પ્રતિક્રમણ થશે. ત્યાં સુધી પ્રતિક્રમણ થાય નહીંને ! જ્ઞાન લીધા પછી એની જાગૃતિ રહેશે કે, આમ અતિક્રમણ થાય કે તરત તમને ખબર પડશે. આ ભૂલ થઈ એટલે તરત જ પ્રતિક્રમણ કરે. એટલે એના નામનું બધું પદ્ધતિસર પ્રતિક્રમણ થયા જ કરશે. અને પ્રતિક્રમણ થયું એટલે ધોવાઈ ગયું. ધોવાઈ ગયું એટલે સામાને ડંખ ના રહે પછી. નહીં તો પછી આપણે પાછા ભેગા થઈએ તો સામા જોડે પેલો ભેદ પડતો જાય. એવું કશું થાય તો ભેદ પડે કે ના પડે ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : ના, એવું નહીં, એને પાપ ના કહેવાય. સામાને દુઃખ થાય એ પાપ. કોઈ જીવને, એ પછી મનુષ્ય હો કે જાનવર હો કે ઝાડ હો. ઝાડને આમ વગર કામનાં પાંદડાં તોડતોડ કરીએ તો એનેય દુ:ખ થાય. એટલે એ પાપ કહેવાય.
અને આજ્ઞા ના પળાય એ તો તમને પોતાને જ નુકસાન થાય. પાપકર્મ તો કોઈને દુઃખ થાય છે. એટલે સહેજ પણ, કિંચિત્માત્ર દુઃખ ના થાય એવું હોવું જોઈએ.
દાદાશ્રી : કારખાનામાં કોઈ જોડે અતિક્રમણ થઈ જાય, એનું આપણે પ્રતિક્રમણ કરીએ તો એનું મન આપણી જોડે બંધાય, નહીંતો મન છૂટી જાય.
પાપ ધોવાયાની પ્રતીતિ પ્રશ્નકર્તા : અમારાં પાપકર્મ માટે અત્યારે કેવી રીતે ધોવું ?
દાદાશ્રી : પાપકર્મના તો જેટલા ડાઘા પડ્યા એટલાં પ્રતિક્રમણ કરવાં, એ ડાઘ કઠણ હોય તો ફરી ધો ધો કરવો. ફરી ધો ધો કરવો.
પ્રશ્નકર્તા : એ ડાઘ જતો રહ્યો કે નથી જતો રહ્યો એ ખબર કેવી રીતે પડે?
પ્રશ્નકર્તા : મનુષ્ય એના સ્વભાવ પ્રમાણે કરતો હોય તો એમાં એને પુણ્ય-પાપ લાગે ?
દાદાશ્રી : સામાને દુઃખ થાય તો પાપ લાગે. એ સ્વભાવ પ્રમાણે કરે છે, પણ એણે સમજવું જોઈએ કે મારાથી સામાને દુઃખ થાય છે. એટલે મારે એની માફી માંગી લેવી જોઈએ કે મારો સ્વભાવ વાંકો છેને, તેથી દુઃખ થયું છે તેમને, એટલે માફી માગું છું.
આપણે પ્રતિક્રમણ કરીએ તો બહુ સારું. આપણાં કપડાં ચોખ્ખાં થાયને ? આપણાં કપડાંમાં શું કામ મેલ રહેવા દઈએ ? આવો, દાદાએ રસ્તો દેખાડ્યો છે. તો શા માટે ચોખ્ખાં ના કરી નાખીએ ?
ભૂલ નહીં ત્યાં તહીં ભોગવટો કોઈને આપણાથી કિંચિત્માત્ર દુઃખ થાય તો જાણવું કે આપણી ભૂલ છે. આપણી મહીં પરિણામ ઊંચા-નીચાં થાય એટલે ભૂલ આપણી છે એમ સમજાય. સામી વ્યક્તિ ભોગવે છે એટલે એની ભૂલ તો
દાદાશ્રી : એ તો મહીં મન ચોખ્ખું થાયને, તો ખબર પડી જાય.