SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ (૬) રહે ફૂલ, જાય કાંટા ૧૨૭ ૧૨૮ પ્રતિક્રમણ પ્રતિક્રમણ કરવાનું અને નાનો હોય તોય પ્રતિક્રમણ કરવાનું. ‘જેણે’ દોષ કર્યા'તા ‘તેણે’ જ પ્રતિક્રમણ કરવાનું. એટલે ‘ચંદુલાલે’ પ્રતિક્રમણ કરવાનું તમારે કશું કરવાનું ના હોય. આપણે ચંદુલાલને કહેવાનું કે પ્રતિક્રમણ કરો. અને બીજા દોષ તો જોવા માત્રથી જતા રહે, બીજા હલકા પ્રકારના દોષ હોય તે, પણ દોષો બધા દેખાય ત્યારે જાય, ત્યારે નિર્દોષ થાય. એક પણ દોષ તમને આ દુનિયામાં કોઈનો દેખાય નહીં, તમને મારે તોય તમને દોષ ના દેખાય એવી દૃષ્ટિ મેં આપેલી બધી. તમને દોષ દેખાય છે ? પ્રશ્નકર્તા : પોતાના દોષ દેખાય છે. એ બધો વ્યવહાર નિકાલી પ્રશ્નકર્તા : આ તો કંઈક એવો પ્રસંગ બન્યો અને અતિક્રમણ કરતાં પહેલાં તો આપણે આ ડિસ્ચાર્જ ભાવ (નિર્જરતા ભાવ) છે, મારા ભાવ નથી, એવું રહે તો એ પ્રતિક્રમણું નથી ? દાદાશ્રી : એવી તમારા જેવી જાગૃતિ બધાને ના રહે, “આ મારા નથી’ એવી જાગૃતિ બધાને ના રહે. એના કરતાં આવું ગાડું-ઘેલું શીખવાડ્યું સારું પડે. પ્રશ્નકર્તા : આ પ્રતિક્રમણ કહે છે એ કંઈ પોતાના ભાવ ઓછા માની લે છે ? દાદાશ્રી : ના. એમનું કહેવું ખરું છે કે આ ભાવ મારા નથી, એટલું જ દેખાડવા માટે જ આપણે પ્રતિક્રમણ કહેવા માંગીએ છીએ. બધાને તો “આ ભાવ મારા નથી' એવી જાગૃતિ ના રહેતી હોય ! સમભાવે નિકાલ કરવો ને કોઈને અતિક્રમણ ના થાય, એ બધો નિકાલી વ્યવહાર છે. અતિક્રમણ ના થવું જોઈએ છતાં અતિક્રમણ થઈ જાય તો પ્રતિક્રમણ કરો. તો એ નિકાલી વ્યવહાર તરીકે ચાલ્યું ગાડું ! પ્રતિક્રમણ કરે અતિક્રમણ કરતારો જ્યારે અમે જ્ઞાન આપીએ ત્યારે પોતાના દોષ બધા દેખાતા થાય. ત્યાં સુધી બીજાના દોષ દેખાય પણ પોતાનો દોષ દેખાય નહીં. બીજાના ખોળવા હોય તો બધા સો ખોળી આપે. પોતાના તો મોટા મોટા બે-ત્રણ હોય તે દેખાય, બીજા દેખાય નહીં. હવે જ્ઞાન મળ્યા પછી, બરાબર પોષાયને છોડવો મોટો થયો, કે તરત દોષ બધા દેખાતા શરૂ થાય. આ તમને શું દેખાય છે રોજ ? પોતાના દોષ દેખાય છે કે બીજાના ? પ્રશ્નકર્તા : પોતાના જ. દાદાશ્રી : એટલે પોતાના દોષ દેખાય એ મોટા હોય તો દાદાશ્રી : અને બીજાનો કોઈ દોષ દેખાઈ ગયો હોય તો પ્રતિક્રમણ કરો તરત ? પ્રશ્નકર્તા : હા, દાદા. દાદાશ્રી : તમને કોઈના પર એટેક (આક્રમણ)નો વિચાર ના આવે. તમને ગાળો ભાંડે કે માર મારે કે નુકસાન કરે, પણ તેના તરફ એટેકનો વિચાર ના આવે કોઈ દિવસ. અને જગત આખું સાધુસંન્યાસીઓ બધા એટેક કરે, ‘ક્યા હૈ, ક્યા કહી, ઐસા કરેંગે, વૈસા કરેંગે.' અને આમને એટેકનો વિચાર ના આવે, એનું નામ ‘જ્ઞાની ભક્ત. જ્ઞાની ભક્ત એટલે છૂટો થઈ ગયો. દોષ ઘટે તે સાચું પ્રતિક્રમણ પ્રતિક્રમણ કોનું નામ કહેવાય કે હળવો થાય, હળવાશ થાય, ફરી એ દોષ કરતાં એને બહુ ઉપાધિ થયા કરે. અને આ દોષ તો ગુણાકાર કરે છે. તમે કોઈ પ્રતિક્રમણ, સાચું પ્રતિક્રમણ જોયું. એકય દોષ ઓછો થાય એવું ?
SR No.008868
Book TitlePratikramana Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2008
Total Pages307
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size79 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy