________________
૧૨૨
પ્રતિક્રમણ
તો. અતિક્રમણ કોનું નામ કહેવાય ? એની મેળે થઈ જાય. કોઈને અતિક્રમણ કરવું જ નથી હોતું.
પ્રશ્નકર્તા : પણ તે આપણે જાણી-બૂઝીને કર્યું હોય તો બરાબર
(૬) રહે ફૂલ, જાય કાંટા
૧૨૧ કરી નાખ્યું હોય. હવે એ છોકરાએ આજથી એમ નક્કી કર્યું હોય કે, મારે એક પાઈ પણ દેવું નથી કરવું. આજે નક્કી કર્યું અને એઝેક્ટલી એમ જ વર્તે, એક પાઈ દેવું ના કરે અને જેટલો પગાર છે તે ઘેર લાવીને આપી દે. છતાં પણ જે પાછલું દેવું છે તે તો ચૂકવવું જ પડશેને કે નહીં ચૂકવવું પડે ? હવે નથી કરવું છતાં શાથી પાછલું દેવું ચૂકવવું પડે ? એવું આ ‘ચંદુલાલ’ એ પાછલી ભૂલોનું ફળ છે. તે તો ચોપડે, એનો ઉકેલ તો લાવવો જ પડશેને ?
પ્રશ્નકર્તા: તો પછી જ્ઞાન લીધા પછી કોઈ પ્રતિક્રમણ ના કરવાં પડેને ?
દાદાશ્રી : ન કરે તો વાંધો નથી. આ કરવું એવું કંઈ ફરજિયાત નથી.
પ્રશ્નકર્તા : મારે કરવાનો સવાલ નથી. મારો એનો વિરોધ પણ નથી. પણ મને સમજવું છે આ. એવો પ્રશ્ન ઊભો થયા કરે છે.
દાદાશ્રી : પ્રતિક્રમણ કરવાથી શું થાય છે ? કે આત્મા એના ‘રિલેટિવ' ઉપર પોતાનું દબાણ આપે છે. કારણ કે અતિક્રમણ એટલે શું થયું કે, રીયલ ઉપર દબાણ આપે છે. જે કર્મ એ અતિક્રમણ છે અને હવે એમાં ઈન્ટરેસ્ટ (રસ) પડી ગયો તો ફરી ગોબો પડી જાય. માટે આપણે ખોટાને ખોટું માનીએ નહીં, ત્યાં સુધી ગુનો છે. એટલે આ પ્રતિક્રમણ કરાવવાની જરૂર છે.
પ્રશ્નકર્તા : એ મને હજુ નથી બેસતું.
દાદાશ્રી : તારા ફાધરને તારાથી ખરાબ લાગ્યું, એ તે અતિક્રમણ કર્યું. હવે એમને ખરાબ લાગ્યું, તેને તારે ઉત્તેજન આપવાનું કે ડિસ્કરેજ કરવાનું ? ‘ચંદુલાલ'ને તમારે શું કરવો જોઈએ ?
પ્રશ્નકર્તા: હું માનું છું કે એમને ખરાબ લાગે એવું ના જ કરવું જોઈએ.
દાદાશ્રી : જાણી-બૂઝીને તો કોઈ કરે નહીં. જાણી-બૂઝીને થાય એવુંયે નથી. એ કરવું હોય તોય નથી થાય એવું.
પ્રશ્નકર્તા: તો દાદા, અતિક્રમણ કર્યું જ કેવી રીતે કહેવાય ?
દાદાશ્રી : તારા ફાધરની જોડે વધારે પડતું બોલી ગયો. આ બોક્સિંગ (લડાઈ) કરી તો પ્રતિક્રમણ કરો કે ના કરો ? પ્રતિક્રમણ ના કરો તો, તો તમે અતિક્રમણના પક્ષના છો એમ ઠરશે અને પ્રતિક્રમણ કરો તો તમારો પક્ષ શેમાં છે ? પ્રતિક્રમણમાં.
પ્રશ્નકર્તા : એવો ભાવ નથી કે અતિક્રમણ કરું.
દાદાશ્રી : ભાવ એવો નથી છતાં પણ તમે અતિક્રમણના પક્ષના છો. જો તમે એ વિરોધીભાવ નહીં ફેરવો તો તમે આ અતિક્રમણ પક્ષના છો જ. એટલે પ્રતિક્રમણ કરો. એટલે તમે અતિક્રમણ પક્ષના નથી એવું
થયું.
કોઈના પગ પર આપણો બૂટ આવે તો આપણે સોરી કહેવું જોઈએ કે ના કહેવું જોઈએ ?
પ્રશ્નકર્તા : એ કહેવું જોઈએ. એ બરાબર છે.
દાદાશ્રી : તે એનું નામ જ પ્રતિક્રમણ. પ્રતિક્રમણ બીજું કંઈ નથી.
પ્રશ્નકર્તા : હા. એ અર્થમાં જ ને ? બાકી તો નહીં ને ?
દાદાશ્રી : એને જ પ્રતિક્રમણ કહું છું. આપણે જેમ “સોરી’ કહીએ છીએ ને, એ એના જેવું બધું એને આપણે પ્રતિક્રમણ કહીએ છીએ.
દાદાશ્રી : ના. એ તો થઈ જાય. અતિક્રમણ થઈ જ જાય એ