________________
ક્રિયા માત્ર આવરણ લાવે, મારગ મોક્ષનો મૂકાવે;
રાયશી-દેવશી ગાયા કરે, દવા ચોપડવાની પીવે ! ક્રમિક માર્ગમાં પચ્ચખાણ લે, કંદમૂળ કે રાત્રિભોજન; સમજ્યા વિણના પચ્ચખાણ, મોક્ષ થવા નહીં લાગે કામ !
જે દોષનું પ્રતિક્રમણ, તેનું જ કરાય પ્રત્યાખ્યાન;
અક્રમ વિજ્ઞાને ખુલ્લું કર્યું, યથાર્થતાએ પ્રતિક્રમણ ! ડાઘ ધોવાં બેઠા સાધુ, ટેબલ પર સાબુ ઘસે; ભક્તો ઘસે ભોંય પર, જગ આની પર જો હસે !
ત્યાગ કરવા પચ્ચખાણ લે, ધીમે ધીમે એ છૂટી જાય;
ત્યાગ્યું તેના પચ્ચખાણ લે, ક્યાં આ સમજણને પુગાય ! ઈર્યાપથિકિનું પ્રતિક્રમણ, ક્રમિકમાં કરવું પડે; અક્રમમાં દેહથી જુદા, તેને ક્રિયા કો’ ના અડે !
પ્રતિક્રમણથી ચોખ્ખાં થાય, પુણ્ય ને પાપ કર્મ; મોક્ષ માટે બન્ને દેય છે, ઉપાદેય આત્મધર્મ !
દૃષ્ટિમાં છે જગ નિર્દોષ, છતાં ભૂલો કાઢે વાણી;
સત્ય વદતાં દુ:ખ થાય તેના, પ્રતિક્રમણ કરે સ્વયં જ્ઞાની ! આપણા દોષે દોષિત દેખાય, દૃષ્ટિને ત્યાં ધોવી પડે; નહીંતર કષાય ખડાં થશે, સાપેક્ષ સત્ય કાજે લઢે !
વાદી-પ્રતિવાદી કબૂલે, તે વાણી વીતરાગ;
પ્રત્યક્ષ સરસ્વતી કહેવાય, દેશના ને સ્યાદ્વાદ ! શુદ્ધાત્મા સિવાયની વાત, જૂઠી છે નિત્યે તું જાણ; ‘હું ચંદુ’નું પણ પ્રતિક્રમણ, ત્યાંથી સાચી સમજ પ્રમાણ !
દર્દીન પાવા દવા, ડૉક્ટર કડક દેખાય;
દર્દ મટે કે નાયે મટે, પણ પ્રતિક્રમણો તેના ઉપાય ! ‘દાદા' ડૉક્ટર ધર્મના, વીંઝે સાધુને સોટા; ‘જ્ઞાની’ સોહે મૌન પણ, કરુણા વહે જોઈ ખોટા !
સ્યાદ્વાદ વાણી ચૂક્યા, જ્ઞાની કરે પ્રતિક્રમણ; વાણીમાં દોષિત કહે, નિર્દોષ પ્રતીતિમાં પણ !
દોષ થતાં તુર્ત પ્રતિક્રમણ, જાગૃતિ વિણ કદિ ન થાય; આત્મા ‘જ્ઞાની’ જાગૃત કરે, પતંગ દોર પછી ન જાય !
તીર્થંકરી વાણી સદા, આાવાદ સંપૂર્ણ; અક્રમ જ્ઞાની ચૌદસ તેથી, વાણી ને અભિપ્રાય ભિન્ન !
દોષિત દૃષ્ટિ હતી ત્યારે, વાણી દાદે આવી ભરી; દૃષ્ટિ નિર્દોષ આજ થઈ, છતાં વાણી આવી સરી !
ગુરુ કહે, ‘હું જળકમળવત્ “મૂરખ' કહેતાં થાય ઉઘાડા; ઉડ જળ ને કમળ બેઉ, આ ધર્મ કે છે અખાડા ?!
અજ્ઞાનદશામાં પ્રતિક્રમણે, પાપો ઓછા બંધાય;
આત્મષ્ટિ થયા પછી, જાગૃતિ સહ સાચાં થાય ! કપડાં રોજ ધોઈ પહેરે, દરરોજ લખે ચોપડી; પ્રતિક્રમણ વરસે કરે, કેમ ન ધુવે વરસે કપડાં ?
જ્ઞાની પણ ઠપકારતાં, તુર્ત જ કરે પ્રતિક્રમણ;
આ છે કુદરતી રચના, દોષિત આમાં છે જ કોણ ? છતાં “છે' ને “છે' કહે, ‘નથી’ એને તો ‘નથી’ કહે; ‘છે' તેને ‘નથી’ કહે, એવું સાચા જ્ઞાની કેમ કહે ?
વ્રત-જપ-તપ ને નિયમ, આપે છે સાંસારિક ફળ; નથી જરૂર મોક્ષે જતાં, માત્ર જરૂર તે પ્રતિક્રમણ !
સાધુ-સાધ્વી ખમાવવા, કરો કલાકનો નિત્યક્રમ; પ્રત્યક્ષ નહીં પણ મનમાં કરે, તોય થાય સાચો ધર્મ !
16