________________
પ્રતિક્રમણ ને અકષાય, બે જ છે મૂળ ધર્મ;
બીજું ધર્મમાં નથી જરૂર, છોડ્યો જગે ‘આ’ મૂળ ધર્મ ! જ્ઞાનીનું તું વચન પાળ, ઠેઠ પુગીશ મોક્ષ દ્વાર; જા, દાદા લે માથે તુજને, છે તારી વારે વાર !
મતાગ્રહ મોટું અતિક્રમણ, બન્યો દેશ પાયમાલ;
વિષ ઘોળ્યું માંહ્યોમાંહીં, દ્રોહનો કરો નિકાલ ! ક્રમ માર્ગમાં આદેશ કરે, ના કર ચોરી-જૂઠ-લબાડી; પાળ અહિંસા-સત્ય-અચૌર્ય, શાસ્ત્રો તો કહે છે બરાડી !
લોકોએ નેવે મૂક્યાં, સર્વ શાસ્ત્રોને મોં બગાડી;
નથી થતો જીવન ફેરફાર, ક્યાંથી લપ ‘આ’ વળગાડી ? ‘કરવું છે, પણ થતું નથી', એમ ગાણું ન કદિ ગવાય; ‘કેમ નથી થતું' દઢતાથી કહી, નિશ્ચય વારંવાર કરાય !
ચોરી-જૂઠનો દોષ થયો, પણ તેનું કર પ્રતિક્રમણ;
બદલાય ન આચાર કદિ, ફેરવી લે તેથી સમજણ ! વિશ્વના ધર્મો તમામ, દેહાધ્યાસનાં મારગ છે; અક્રમ વિજ્ઞાન એકલું, દેહાધ્યાસથી રહિત છે !
ત્યાગ કરવો છે કે થતો નથી, એ બન્ને છે કર્તાપદ;
સંડાસ જવાની શક્તિ છે ? તો કઈ શક્તિ કહે હદ ? કર્તાભાવે કરવું હોય તો, માંગવી શક્તિઓને જરૂર દાદે ‘નવ કલમો’ દીધી, કારણ ફરે, કાર્ય અફર !
અનંતશક્તિનો ધણી પોતે, “શક્તિ નથી’ કેમ બોલાય ?
પ્રતિક્રમણ પણ છે પુરુષાર્થ, બ્રાંતદશામાં તેહ થાય ! અધ્યાત્મવાણી ગવાય દેશમાં, સંતો-ભક્તોય એમાં બેભાન; ‘ઈટ હેપન્સને ‘કર્યું” કહે, ભમરડાને કહે, ‘મારું માન !”
ખોટું થઈ જાય તારાથી, તેને પ્રતિક્રમણથી સુધાર;
‘બ્રાંત’ પુરુષાર્થ એને કહ્યો, સત્ થવા બન અકિરતાર ! કશાનો કરનાર નથી, તું કેવળ છે જાણનાર; કરનાર-જાણનાર બેઉ ભિન્ન, માટે ક્રિયા ન ફરનાર !
ખોટાને ખોટું તું જાણ, ફેરવ એનો અભિપ્રાય;
એ જ પુરુષાર્થ ધર્મ, ‘જો’, ‘જાણ’ને નિશ્ચય કરાય ! ‘નથી થતું, ભઈ નથી થતું', એવું ક્યારે ના બોલાય; આત્માનો સ્વભાવ છે, ચિંતવે તેવો તુર્ત થઈ જાય !
વાત છે આ ઝીણી પણ, સમજ્યા વિણ ના આવે ઉકેલ;
સ્વસત્તા-પરસત્તાના ભેદ, જ્ઞાની માત્ર પાડી શકેલ ! ચોર છોરાને સુધારવા, માર ઠોક ના એને કરાય; તેથી અવળી ગાંઠ વાળે, થાય ચોરીનો દૃઢ અભિપ્રાય !
માંગ શક્તિ દાદા કને, “આ ભવે હવે ચોરી ન થાય';
દાદા ખોળે બેસાડે, શુદ્ધ પ્રેમે હૃદય પલટાય ! માંગ શક્તિ, કરી ચોરી, તોય માંગ શક્તિઓ ખાસ; દવા છે ફેરવો અભિપ્રાય, પરમ વિનય પ્રભુ પાસ !
‘જ્ઞાની’ પાસે દવા બધી, વળી ચોક્કસ છે નિદાન;
દર્દ ખુલ્લું કરી જા, વૈજ્ઞાનિક દાદા ભગવાન ! માંગ શક્તિ મળે અવશ્ય એક ‘દિ', શંકા ના કરે; તેથી ‘નવ કલમો’ દીધી, વૈજ્ઞાનિક રહસ્ય સભર !
અક્રમમાં આચાર ન જોવાય, કર્યા અને જ્ઞાને નિકાલી;
આર્ત-રૌદ્ર નવા ન થાય, જૂના કરો ‘જોઈ” ખાલી ! અધ્યાત્મ એટલે ચિત્ત શુદ્ધિ, ચિત્ત અશુદ્ધિ બાંધે કર્મ; કોઈ જીવને દુઃખ ન થાય, એ વ્યવહાર શુદ્ધિ ધર્મ !
18
19