SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ (૬) રહે ફૂલ, જાય કાંટા પ્રશ્નકર્તા : એ નાનું આક્રમણ હોય કે મોટું આક્રમણ, બધું અતિક્રમણ જ ? ૧૧૭ દાદાશ્રી : હા. તથી ખોટો કોઈ જગત માંહી પણ પ્રશ્ન એમણે સારો પૂછ્યો, એ તો પ્રશ્ન પૂછીએ ને સાયન્ટિફિકલી સમજીએ, તો એનો ઉકેલ આવે. નહીં તો આનો ઉકેલ આવે નહીં. એટલે મારું શું કહેવાનું છે કે, અત્યારે કોઈ જગ્યાએ દર્શન કરવા માટે ગયા ને ત્યાં લાગે કે આપણે ધાર્યા હતા જ્ઞાની અને નીકળ્યા છે ડોળી ! હવે આપણે ત્યાં ગયા એ તો પ્રારબ્ધના ખેલ છે ને ત્યાં મનમાં જે ભાવ એના માટે ખરાબ આવ્યા કે અરેરે ! આવા નાલાયકને ત્યાં ક્યાં આવ્યો ? એ નેગેટિવ પુરુષાર્થ આપણો મહીં થયો છે, એનું ફળ આપણે ભોગવવું પડે, એને નાલાયક કહ્યાનું ફળ આપણે ભોગવવું પડે, પાપ ભોગવવું પડશે. અને વિચાર આવવો એ સ્વભાવિક છે, પણ તરત જ મહીં શું કરવું જોઈએ પછી ? કે ‘અરેરે ! મારે શા માટે આવો ગુનો કરવો જોઈએ ?” એવું તરત જ, સવળા વિચાર કરીને આપણે લૂછી નાખવું જોઈએ. પ્રશ્નકર્તા : માફી માંગી લેવી જોઈએ ? દાદાશ્રી : હા, મનમાં માફી માંગી લેવી જોઈએ. પ્રતિક્રમણ કરવું જોઈએ. પ્રશ્નકર્તા : મન-વચન-કાયાથી જાણતાં કે અજાણતાં જે કંઈ ભૂલચૂક થઈ હોય, તેની માફી માગું છું. દાદાશ્રી : હા, ‘મહાવીર' ભગવાનને સંભારીને કે ગમે તેને સંભારીને, ‘દાદા’ને સંભારીને, પ્રતિક્રમણ કરી લેવું જોઈએ કે અરેરે ! એ ગમે તેવો હોય, મારા હાથે કેમ અવળું થયું ? સારાને સારું કહેવામાં દોષ નથી, પણ સારાને ખોટું કહેવામાં દોષ છે, અને ખોટાને ખોટું પ્રતિક્રમણ કહેવામાંય દોષ બહુ છે. જબરજસ્ત દોષ ! કારણ કે ખોટો એ પોતે નથી, એના પ્રારબ્ધ એને ખોટો બનાવ્યો છે. પ્રારબ્ધ એટલે શું ? એના સંજોગોએ એને ખોટો બનાવ્યો, એમાં એનો શો ગુનો ? ૧૧૮ આ સમજાયું ? આ બધી બહુ ઝીણી વાતો છે. આ શાસ્ત્રોમાં લખેલી ના હોય કે કોઈ સાધુ પાસે જાણવાની ના મળે. એટલે આટલું ટૂંકું મહીં સમજી જાય ને, આ પ્રારબ્ધ ને પુરુષાર્થ, એવું બધું સમજી જાય ને, તો એનું ગાડું સીધું પડી જાય. આ ભાવ ના બગડવા દે કોઈ જગ્યાએ. જ્યાં ભાવ બગડે ને તરત ભાવ સુધારે ત્યાં તો વાંધો જ નથી. અહીં સ્ત્રીઓ બધી જતી હોય, તેમાં કો'ક આપણને કહે કે, “આ પેલી જોને વેશ્યા, અહીં આવી છે, ક્યાં પેઠી છે ?' એવું તે કહેશે, એટલે એને લીધે આપણેય વેશ્યા કહી, એ ભયંકર ગુનો આપણને લાગે. એ કહે છે, કે સંજોગોથી મારી આવી સ્થિતિ થઈ છે. તેમાં તમે શું કરવા ગુનો કરો છો ? હું તો મારું ફળ ભોગવું છું, પણ તમે ગુનો કરો છો પાછો ?” વેશ્યા તે એની મેળે થઈ છે ?” સંજોગોએ બનાવી છે. કોઈ જીવ માત્રને ખરાબ થવાની ઇચ્છા જ ના થાય. સંજોગો જ કરાવડાવે બધું. અને પછી એની પ્રેક્ટિસ પડી જાય છે. શરૂઆત એને સંજોગો કરાવડાવે છે. ત થાય એ બુદ્ધિથી પ્રશ્નકર્તા : એવું તો આખા મનુષ્ય જીવનમાં કોઈને કોઈ જગ્યાએ ભૂલ તો થાય જ ને ? દાદાશ્રી : ના, એ ભૂલ થાય, પણ એ ભૂલને આપણે જાણીએ, અને સાચા ન્યાયાધીશ આપણે થઈએ, તો ભૂલ આપણને દેખાય કે, આ ભૂલ થઈ છે. માટે ભૂલનો આપણે ડાઘ કાઢી નાખીએ, પ્રતિક્રમણ કરીને. પ્રશ્નકર્તા : પણ એ બુદ્ધિથી કરવું પડે ને ?
SR No.008868
Book TitlePratikramana Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2008
Total Pages307
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size79 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy