________________
(૬) રહે ફૂલ, જાય કાંટા
૧૧૩
૧૧૪
પ્રતિક્રમણ
દાદાશ્રી : કર્તાભાવ ગયો ત્યાં નવું કર્મ બંધાતું બંધ થઈ ગયું.
પ્રશ્નકર્તા ઃ તો હવે જે જૂનાં કર્મો બાકી રહી ગયા હોય એમને જીર્ણ કરવા માટેનો ઉપાય શું ?
દાદાશ્રી : ના, એની મેળે જ, આ પાંચ આજ્ઞા આપી છે ને? તેમાં રહે તો જૂનાં કર્મનો સમભાવે નિકાલ જ થઈ જાય બધો, નવાં કર્મો બંધાયા સિવાય.
પ્રશ્નકર્તા : પણ ભારે કર્મ બંધાઈ ગયાં હોય તો એ આપણે હળવેથી ભોગવીને પૂરું કરવું ?
દાદાશ્રી : ના, એનું પ્રતિક્રમણ કર કર કરવું પડે. જેને બહુ ભારે ચીકણું કર્મ હોય તો એનું પ્રતિક્રમણ વધારે કરવું પડે. વધારે ચીકણું હોય ને, એવું લાગે તો આ પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરીએ એ ધોવાઈ જાય બધું. તે તદન જતું ના રહે, કારણ કે એક અવતારી આ જ્ઞાન
દાદાશ્રી : પ્રતિક્રમણ જ. અને તેય, અતિક્રમણ થાય તો જ. અતિક્રમણ આખો દહાડો હોતું નથી. આખો દહાડો સલાહસંપથી જ હોય છે. પણ ટેબલ ઉપર કંઈક જમવાની બાબતમાં ભાંજગડ થઈ કે, અતિક્રમણ થયું પાછું. હવે એ કંઈ આજનો દોષ નથી, એ પહેલાંનો છે, ચારિત્રમોહનીય છે. આજ તો આપણને ગમતું જ નથી આવું. પણ થઈ જાય છે, નહીં ?
અતિક્રમણ તે આક્રમણ પ્રતિક્રમણ આ બે શબ્દોનું કરવાનું હોય; એક અતિક્રમણ અને બીજું આક્રમણ. આક્રમણ વસ્તુ આપણામાં ન હોવી જોઈએ. આક્રમણ એટલે એટેકીંગ નેચર (હુમલાખોર સ્વભાવ). આક્રમણ એટલે વાત વાતમાં, શબ્દમાંય એટેક (હુમલો) કરી નાખે. શબ્દમાં એટેક થાય, એ એટેકીંગ નેચર કહેવાય, આક્રમણ કહેવાય.
અતિક્રમણ ને આક્રમણમાં ફેર શો ? પ્રશ્નકર્તા : આક્રમણ એટલે સીધો જ એટેક થયો ?
દાદાશ્રી : હા. એટેક જ, બસ ! હુમલો કરવો, આક્રમણ ! અને ક્રમણ એટલે શું ? ત્યારે કહે, વ્યવહારિક વાતચીત ચાલતી હોય એવી રીતે સવાર સુધી વાતો કર્યા કરીએ. અને કોઈને દુઃખ ના થયું હોય તો આપણે જાણવું કે એ ક્રમણ કહેવાય. સહેજેય કોઈને ‘જોક કરી હોય અને સામો જરા કાચો હોયને, જરા ચલાવી લેતો હોય. પણ મહીં એને દુઃખ થાય તો એ અતિક્રમણ કર્યું કહેવાય. અમે બધાની ‘જોક' કરીએ પણ કેવી ? નિર્દોષ ‘જોક' કરીએ. અમે તો એનો રોગ કાઢીએ ને એને શક્તિવાળો બનાવવા માટે ‘જોક’ કરીએ. જરા ગમ્મત આવે, આનંદ આવે ને પાછું એ આગળ વધતો જાય. નિર્દોષ જોક કરીએ બધી. બાકી એ જોક કોઈને દુઃખ ના કરે !
અતિક્રમણ થઈ જવું એ સ્વભાવિક છે ને પ્રતિક્રમણ કરવું એ આપણો પુરુષાર્થ છે.
પ્રશ્નકર્તા : અતિક્રમણ થઈ જાય પણ જાગૃતિ ન હોય તો ?
દાદાશ્રી : તો પ્રતિક્રમણ ન થાય એમ ?
પ્રશ્નકર્તા : પછી ભાન આવે તો પ્રતિક્રમણ થાય.
દાદાશ્રી : એ તો પછી એણે ઝોકું ખાધું હોય, પણ તેથી કરીને કર્મ બંધાયું નહીં. કર્મ બંધાય ક્યારે ? પોતે ‘હું ચંદુલાલ છું', એમ નક્કી કરે ત્યારે. એ ઝોકું ખાવાનું ફળ તો કાચું રહ્યું. એ કાચું રહ્યું, તેનું ફળ આવે પછી. કાચું તો ના રહેવું જોઈએ. ઝોકું ખાય તો ઝોકાનું ફળ તો મળે ને ? કર્તા તરીકેનું ફળ નહીં, પણ જે આ કાચું રહ્યું તેનું ફળ આવે.
રહ્યું માત્ર પ્રતિક્રમણ પ્રશ્નકર્તા : એટલે હવે એકલું પ્રતિક્રમણ રહ્યુંને, દાદા ?