SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ પ્રતિક્રમણ એટલે પોતાનું ચિત્ત અશુદ્ધ થાય છે તે ભાન નથી રહેતું. પ્રશ્નકર્તા : વ્યવહારશુદ્ધિ કેવી રીતે થાય ? દાદાશ્રી : એ તો વ્યવહારમાં ચિત્તની શુદ્ધિ રાખે કે ભઈ, આપણે આને દગો કરવો નથી તો પછી એ વ્યવહારશુદ્ધિ થઈ ગઈ. અને દગો થઈ જાય તો વ્યવહાર અશુદ્ધ થઈ જાય. એટલે નીતિ-નિયમ પ્રામાણિકતાથી ચાલે તો વ્યવહારશુદ્ધિ રહે. રહે કૂલ, જાય કાંટા ઓનેસ્ટી ઈઝ ધી બેસ્ટ પોલિસી, ડીસઓનેસ્ટી ઈઝ ધી બેસ્ટ ફૂલીશનેસ. (પ્રામાણિકતા એ જ ઉત્તમ નીતિ છે ને અપ્રમાણિકતા એ ઉત્તમ મૂર્ખાઈ છે !). વ્યવહારશુદ્ધિ માટે, સામાને દુ:ખ ના થાય એવો વ્યવહાર રાખીએ, એ વ્યવહારશુદ્ધિ કહેવાય. સહેજ દુઃખ ના થાય. આપણને થયું હોય, તે ખમી ખાવાનું. પણ સામાને ન જ થવું જોઈએ. પ્રશ્નકર્તા : આપણે કર્મોનાં પ્રતિક્રમણ કરીએ તો છૂટી જવાય કે નહીં ? ચિત્ત શુદ્ધિકરણ એ જ અધ્યાત્મસિદ્ધિ પ્રશ્નકર્તા : કર્મની શુદ્ધિ કેવી રીતે થાય ? દાદાશ્રી : કર્મની શુદ્ધિ ચિત્તની શુદ્ધિ કરવાથી થઈ જાય. ચિત્તની શુદ્ધિ થાય એટલે કર્મની શુદ્ધિ થઈ જાય. આ તો ચિત્તની અશુદ્ધિને લઈને કર્મ અશુદ્ધ થાય છે. ચિત્ત શુદ્ધ થઈ જાય એટલે કર્મ શુદ્ધ જ થઈ જાય. પ્રશ્નકર્તા : દરેક કર્મ શુદ્ધ થઈ જાય ? ગમે તે કર્મ કરે તે શુદ્ધ થઈ જાય ? દાદાશ્રી : ચિત્ત શુદ્ધ થઈ જાય ને તો પછી કર્મ શુદ્ધ થઈ જાય. ચિત્ત અશુદ્ધ હોય તો કર્મ અશુદ્ધ, ચિત્ત શુભ હોય તો કર્મ શુભ, ચિત્ત અશુભ હોય તો કર્મ અશુભ ! એટલે ચિત્ત ઉપર એનો બધો આધાર છે એટલે ચિત્તને રીપેર કરવાનું છે. આપણા લોક શું કહે છે કે, મારે ચિત્તશુદ્ધિ કરવાની છે. એટલે આ જગતમાં ચિત્તશુદ્ધિ કરવા માટે જ અધ્યાત્મ છે. એટલે ચિત્તશુદ્ધિ કરવાની જરૂર છે. ચોરી કરવાથી ચિત્ત અશુદ્ધ થાય અને પછી પશ્ચાત્તાપ કરવાથી એનું એ ચિત્ત શુદ્ધ થઈ જાય. અને પશ્ચાત્તાપ નહીં કરવાથી આ જ લોકોના ચિત્તની અશુદ્ધિ રહી છે. તેથી બધાં અશુદ્ધ કર્મો થયા કરે છે. જાણે તોય પશ્ચાત્તાપ નથી કરતા. જાણે તોય શું કહે, કે બધા એવું જ કરે છે ને ! દાદાશ્રી : પ્રતિક્રમણ કરવાથી લગભગ બધું ખલાસ થઈ જાય, થોડું ઘણું રહે. આ કર્મ જ અતિક્રમણથી બંધાય છે. જેવા રસથી અતિક્રમણ કર્યું હતું તેવો રસ ભોગવવાનો. પ્રતિક્રમણ કરે તોય રસ તો ભોગવવો પડે. રસ જેટલું ભોગવવાનું રહે પછી. મહીં રસ લીધો છે ને ? વધારે દોષ અતિક્રમણનો છે. વ્યવહાર ચાલતો હોય, કોઈને કશી હરકત ના થાય, સહેજે ચાલતું હોય તેનો કશો વાંધો નહીં. પરિણામે પ્રતિક્રમણથી નવાં કર્મ બંધાતાં અટકે. જૂનાં તો ભોગવી લેવાં ક્તભાવ ગયા પછી પ્રશ્નકર્તા : જ્ઞાન પ્રાપ્ત થયા પછી આપણો કર્તાભાવ જતો રહ્યો. એટલે આપણાં નવાં પુદ્ગલો બંધાતાં બંધ થયાં ?
SR No.008868
Book TitlePratikramana Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2008
Total Pages307
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size79 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy