SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) અક્રમ વિજ્ઞાનની રીતિ ૧૦૫ ૧૬ પ્રતિક્રમણ પ્રમાણ ન દુભાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. જ્ઞાનીપુરુષ બધી દવા બતાવી દે, રોગનું નિદાનેય કરી આપે ને દવા બતાડી આપે. આપણે ફક્ત પૂછી લેવાનું કે, “સાચી વાત શું છે, અને મને તો આમ સમજાયું છે.” એટલે તરત બતાડે ને, તે ‘બટન’ દબાવવાનું એટલે ચાલુ થઈ જાય. પ્રશ્નકર્તા : ભૂલનો ખ્યાલ આવે ત્યારે પ્રતિક્રમણ વિધિ કરવી કે નહીં ? દાદાશ્રી : કશો વાંધો નહીં. બહુ બેફામ થઈ જાય તો, ‘દાદા, માફી માગું છું અને ફરી મને શક્તિ આપો. દાદાની પાસે માફી માંગવી જોડે જોડે જે વસ્તુની માફી માંગીએ તે વસ્તુમાં મને શક્તિ આપો, દાદા શક્તિ આપો. શક્તિ માંગીને લેજો, તમારી પોતાની વપરાશો નહીં. નહીં તો તમારી પાસે ખલાસ થઈ જશે. અને માંગીને વાપરશો તો ખલાસ નહીં થાય ને વધશે, તમારી દુકાનમાં કેટલો માલ હોય ? હરેક બાબતમાં દાદા, મને શક્તિ આપો. હરેક બાબતમાં શક્તિ માંગ માંગ કરીને જ લેવી. પ્રતિક્રમણ ચૂકી જવાય તો પ્રતિક્રમણ મને પદ્ધતિસરનું કરવાની શક્તિ આપો. બધી શક્તિ માંગીને લેવી. અમારી પાસે તો તમે માંગતા ભૂલો એટલી શક્તિ છે. શક્તિ માંગી સાધો કામ મેં નવ કલમો આપી, એક ભાઈને મેં કહ્યું કે આમાં બધું આવી ગયું. આમાં કશું બાકી રાખ્યું નથી તમે આ નવ કલમો રોજ વાંચજો !” પછી એ કહે છે, ‘પણ આ થાય નહીં.” મેં કહ્યું, ‘હું કરવાનું નથી કહેતો બળ્યું. ‘થાય નહીં” એવું ક્યાં કહો છો ? હું તમને આ કરવાનું નથી કહેતો. તમારે તો એટલું કહેવાનું, “હે દાદા ભગવાન, મને શક્તિ આપો” એટલું કહું છું, માંગવાનું કહું છું. ત્યારે કહે આ તો મજા આવશે. તો તો મજા આવશે ! આ લોકોએ તો કરવાનું શીખવાડ્યું મને કોઈ પણ ધર્મનું કિંચિત્માત્ર પણ પ્રમાણ ન દુભાવાય એવી સ્યાદ્વાદ વાણી, સ્યાદ્વાદ વર્તન અને સ્ટાદ્વાદ મનન કરવાની પરમ શક્તિ આપો.' ધર્મ એટલે તો ત્રણ જણ જે દંડૂકો હલાવતા હોય, ત્રણ જણ ભેગા થવું એનું નામ ગચ્છ કહેવાય. ત્રણ સાધુઓ ભેગા થઈને બેસે અને પેલાએ ઘાલી થાંભલી, અને બેઠા એટલે ગચ્છ ચાલુ થઈ ગયો. એક્લાને માટે ભગવાને ગચ્છ ના પાડી છે. તેથી કપાળુદેવે કહ્યું કે ‘ગચ્છ-મતની જે કલ્પના તે નહીં સદ્યવહાર.” એટલે આ બધું જ છે તે ફરી કન્સ્ટ્રક્શન કરવાનું છે. આખી બધી ભીંતો-ફાઉન્ડેશન બધું કાઢીને ફરી કન્સ્ટ્રક્શન કરવા માટે જ આ બધાં મટેરીયલ આવી રહ્યાં છે. એ રોડાનાં ચૂના-રેતી નાખેલાં તે કાઢી નાખી આર.સી.સી.નાં ફાઉન્ડેશનો થવાનાં. બાકી ધર્મના પાયા કેવા મજબૂત હોવા જોઈએ ! પેલા ભાઈ કહે છે, “આ થાય નહીં, માટે કરવું નથી.’ હું કહું છું કે આ શક્તિ માંગો. મને કહે છે, “એ શક્તિ કોણ આપશે ?” મેં કહ્યું, ‘શક્તિઓ હું આપીશ.’ તમે માગો એ શક્તિઓ આપવા તૈયાર છું. માગતાં જ ના આવડે તેને હું શું કરું ? પછી મારે જ શીખવાડવું પડે કે આવી રીતે શક્તિઓ માંગો. તમને પોતાને ના આવડે ત્યારે મારે આવી રીતે શીખવવું પડે કે આવી રીતે શક્તિ માંગજો. ના શીખવવું પડે ? જુઓને, આ શીખવાડ્યું જ છે ને બધું ! આ મારું શીખવાડેલું જ છે ને ! એકાદ કલમ બોલને. પ્રશ્નકર્તા : હે દાદા ભગવાન ! મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત્માત્ર પણ અહમ્ ન દુભાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન ! મને કોઈ પણ ધર્મનું કિંચિત્માત્ર પણ
SR No.008868
Book TitlePratikramana Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2008
Total Pages307
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size79 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy