SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ પ્રતિક્રમણ (૫) અક્રમ વિજ્ઞાનની રીતિ છતાંય પણ આ વ્યવહારમાં તો કહેવું પડે ને મારે. નહીં તો હકીકત જડે નહીં ને ! આ લોકોને તો ‘ચોરી ના કરો, લુચ્ચાઈ ના કરો, જૂઠ ના બોલો.એવું ના બોલાય, આવું નોધારું વાક્ય બોલાતું હશે. એવાં વાક્યો બોલો છો ? આખા હિન્દુસ્તાનને પાયમાલ કરી નાખ્યું. છેલ્લી કોટી ઉપર બેસાડી દીધું ! કરવું છે પણ થતું નથી” ઉદય વાંકા આવ્યા હોય તો શું થાય ? ભગવાને તો એવું કહ્યું'તું કે ઉદય સ્વરૂપમાં રહી અને આ જાણો. કરવાનું ના કહ્યું'તું. તે આ જાણો એટલું જ કહ્યું'તું. તેને બદલે “આ કયું પણ થતું નથી. કરીએ છીએ પણ થતું નથી. ઘણી ઈચ્છા છે પણ થતું નથી’ કહે છે. અલ્યા, પણ તેને શું ગા ગા કરે છે, અમથો વગર કામનો. ‘મારે થતું નથી, થતું નથી” એવું ચિંતવન કરવાથી આત્મા કેવો થઈ જાય ? પથ્થર થઈ જાય. અને આ તો ક્રિયા જ કરવા જાય છે, અને જોડે થતું નથી, થતું નથી, થતું નથી બોલે છે. એવું કેટલા બોલતા હશે ? પ્રશ્નકર્તા : બધા જ, લગભગ બધા. દાદાશ્રી : એ જે “થતું નથી’ કરે, એટલે આત્મા જેવો ચિંતવે એવો થઈ જાય. એટલે “થતું નથી, થતું નથી, થતું નથી’ બોલે એટલે પછી જડ જેવો થઈ જાય. એટલે આ આમને આવું બોલી બોલીને જડ જેવા થવું પડશે. પણ એમને એની જવાબદારીની ખબર નથી. એટલે બિચારા બોલે છે. હું ના કહું છું કે ના બોલાય, અલ્યા, “થતું નથી” એવું તો બોલાય જ નહીં. તું તો અનંત શક્તિવાળો છે, આપણે સમજણ પાડીએ ત્યારે તો હું અનંત શક્તિવાળો છું બોલે છે. નહીં તો અત્યાર સુધી થતું નથી, એવું બોલતો હતો ! શું અનંત શક્તિ કંઈ જતી રહી આમ કરજો, તેમ કરજો.’ એમ ના કહે. તે “કરો’ એમ કહે છેને, એમણે રખડાવી માર્યા છે. આમાં ‘કરો’ એમ શબ્દ છે ? પ્રશ્નકર્તા : નથી. ‘શક્તિ આપો’ એમ છે. દાદાશ્રી : આ તો ‘કરો, કરો’ કહેશે. અલ્યા શું કરો ? તૈય કર્યું ને અમેય કર્યું. કશું વળ્યું નહીં અને અહીં તો હે દાદા ભગવાન, શક્તિ આપો ! બસ ! આટલાં કરોડો વર્ષથી, અબજો વર્ષથી, આ હિન્દુસ્તાન દેશ આટલી અધ્યાત્મવાણી લોક ગા-ગા કરે છે, પણ અધ્યાત્મવાણી કોનું નામ કહેવાય ? આ તો “થઈ ગયેલા’ને ‘મેં કર્યું કહે છે. જે ઈટ હેપન્સ છે. પ્રશ્નકર્તા : આ આર્તધ્યાન અત્યારે વધારે લોકોમાં શાને કારણે થાય છે ? દાદાશ્રી : આ બધાં દુઃખ જ આને કારણે થયાં. બધાં દુઃખ આને કારણે ઊભાં રહ્યાં છે. જો એમ બહાર પાડવામાં આવે કે આટલો ભાગ ‘ઈટ હેપન્સ’ છે અને આટલા ભાગ પર તમારી સહી થશે, તો ઘણાં દુ:ખો ઓછો થઈ જાય. - હવે આની પર તમારે શું કરવાનું ? ત્યારે કહે, ખરાબ થાય તો સુધારીને કરજો. ભાવથી સુધારજો. અવળું થાય તો પંપીગ કરજો. હેલ્પ કરજો. બસ, આટલું જ કરવાનું છે. ખરાબ થાય તો સુધારજો. એટલે થઈ જાય છે. મેં એકદમ કો'કનું અપમાન કર્યું, એ થઈ ગયું કહેવાય. અને પછી હું અંદર સુધારું કે ‘ભઈ, એ ખોટું થયું, એની પર પશ્ચાત્તાપ કરું, એનાં પ્રતિક્રમણ કરું, પ્રત્યાખ્યાન કરું,' એ સુધાયું કહેવાય. એને ભ્રાંતપુરુષાર્થ કહેવાય. જગતમાં સાચો પુરુષાર્થ તો હોતો જ નથી, પણ એને બ્રાંત પુરુષાર્થ કહેવાય. પોતે ખોટું કર્યું અને પોતે જ એને “ખોટું થયું છે? એમ સ્વીકાર કરી અને પોતે આ રીતે એનો પશ્ચાત્તાપ કરે છે. પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : આ તો શું કહે છે ? ‘શક્તિ આપો.” “આવું કરો,
SR No.008868
Book TitlePratikramana Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2008
Total Pages307
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size79 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy