________________
૯૮
પ્રતિક્રમણ
(૫) અક્રમ વિજ્ઞાનની રીતિ
દાદાશ્રી : હા, જ્ઞાન ના લીધું હોય, જગતના લોકો માટે છે. બાકી અત્યારે જે રસ્તે લોકો ચાલી રહ્યા છે ને, એ તદન ઊંધો રસ્તો છે. તે એનું હિત કોઈપણ માણસ સહેજે પામે નહીં.
પ્રશ્નકર્તા : મેં વાત કરેલી કે માણસો લોજિક નથી સમજતા કે આ આટલું સરસ દાદાનું લોજિક છે. એની પણ સમજવાની તૈયારી નથી.
દાદાશ્રી : તે જ કહું છું. સમજવાની તૈયારી નથી. લોકો આ બાજુ ઊંડા ઉતરવા માગતા જ નથી. કંઈક આ નવી જાતનું છે ને ઊંધું જ છે આ. એવો એમને ભય લાગી ગયો.
પ્રશ્નકર્તા: દુનિયા ચાલી છે એના કરતાં આ કંઈ જુદું છે એટલે ખોટું છે એવું માને ?
દાદાશ્રી : હા.
પ્રશ્નકર્તા : અને બીજું શું કે મેં આખી જિંદગી જે કર્યું એ છોડી દઉં ?
નીકળ્યો. અસારને જ સાર માનવામાં આવ્યો’તો.
તેથી કૃપાળુદેવે કહ્યું, સર્વસ્વ લૂંટાવા જેવો યોગ કર્યો છે મેં, સર્વસ્વ લૂંટાવા જેવો યોગ આવ્યો છે.
મારાથી થતું નથી' એમ ના બોલાય ? આ તો ચોપડીઓમાં બધો વ્યવહાર જ દેખાડેલો છેને ! “આમ કરો, તેમ કરો, દયા રાખો, શાંતિ રાખો, સમતા રાખો.” એ સિવાય બીજું શું કરે છે ? અને એમાં પાછું પોતાની સત્તામાં કશુંય નથી. તમારી સત્તામાં કશું ના હોય અને નવું કહે કે “આ કરો, આ કરો’ એનો અર્થ શું થાય ?
પ્રશ્નકર્તા : ગોટાળો થઈ જાય.
દાદાશ્રી : ગોટાળો જ થઈ ગયો છેને ! લોક જાણે કે “આ તો આપણાથી થતું જ નથી” એવું પછી પાછો માની લે. ગોટાળો થતો હોય તો સારો. પણ “થતું નથી’ એવું માની લે. એટલે પેલો ન્યૂટ્રલ થતો જાય. મેલ-ફીમેલમાંથી ચૂલ થતો જાય. ‘મારાથી થતું નથી, આમ થતું નથી, કરવું છે પણ થતું નથી.” અલ્યા, તને કોણે શીખવાડ્યું? ના બોલીશ આવી વાતો! બોલે ખરાં આવું ?
પ્રશ્નકર્તા : હા, બોલે છે.
દાદાશ્રી : કારણ કે આજના ઉપદેશકોએ એવું ઠસાવી દીધું છે કે આ કરો જ. ભગવાન આવું ના બોલે. મહાવીર ભગવાન આવું બોલતા હશે ? આખું આવડું મોટું શાસ્ત્ર મોઢે બોલ્યા, તે ભગવાન આવું બોલે ? પણ આજના ઉપદેશકો આવું બોલે. બ્રહ્મચર્ય પાળો.” અલ્યા, તારાથી પાળી શકાય છે ? તે મને શું કરવા કહે છે ? એક યથાર્થ સાધુ હોય, તે પાળી શકે અને બીજા ગો-પુત્ર પાળી શકે. બે જણ બ્રહ્મચર્ય પાળી શકે. યથાર્થ સાધુ હોય એ પાળે. એ યથાર્થ બ્રહ્મચર્ય કહેવાય અને આ ગો-પુત્ર પાળે એ પરવશ બ્રહ્મચર્ય કહેવાય.
કોઈ દોષિત છે નહીં બિચારાં. મારા જ્ઞાનમાં તો નિર્દોષ છે.
દાદાશ્રી : હા, એ મારું કરેલું નકામું જશે ? આ બીક કાઢી નાખવી પડશેને ?
પ્રશ્નકર્તા: મુખ્ય વાત તો ત્યાં છે !
દાદાશ્રી : ત્યારે એ કહેશે. ‘બહુ દુ:ખ છે પણ હવે જે છે એ ચલાવી લો.” ત્યારે મેં કહ્યું, “અરે પણ તમે ચલાવી લો પણ તમારા શિષ્યોને તો પાછા ફરવા દો. ત્યારે એ કહે છે, “ના. તો અમે એકલા શું કરીએ ?” એટલે આવું છે.
આ મિથ્યાત્વનો રોગ ફેલાવ્યો, તેય કુદરતે જ ફેલાવ્યો છે. અને આ ફેરવી નાખશે, તેમાંય કુદરત જ છે. આપણે તો આમાં નિમિત્ત છીએ.
અલ્યા, જૂનામાં સાર નહોતો કોઈ જગ્યાએ ત્યારે તો આ નવો