________________
(૪) અહો ! અહો ! એ જાગૃત દાદો !
૮૯
અમ વિજ્ઞાનતી રીતિ
રહ્યું નથી. એટલે આ બધું બંધ થઈ ગયું છે. એ લોકો પ્રતિક્રમણ જેને કહે છે એ બધી જડ ક્રિયા છે, જેનાથી એક પણ દોષનો નાશ ના થાય. અને છતાં દોષ નાશ કરવાની વાતો કરે અને બોલે એમાં કશું વળે નહીં.
પ્રશ્નકર્તા : મતાગ્રહ એ અતિક્રમણ કહેવાય ને ?
દાદાશ્રી : મતાગ્રહ એ મોટામાં મોટું અતિક્રમણ, એના પોઈઝનથી તો આ હિન્દુસ્તાન મરી રહ્યું છે. અત્યારે આ મોટામાં મોટું પોઈઝન છે. દરેક લોકોએ આ પોઈઝન એટલું બધું ઊભું કર્યું છે.
મૂળ તો અમે મહાવીરતા જ પ્રશ્નકર્તા : આપની વાણીમાં જૈનધર્મના પારિભાષિક શબ્દો બહુ આવે છે.
દાદાશ્રી : આ તો જ્ઞાન જ બધું પ્રગટ થઈ ગયેલું છે. એમને એમ શબ્દો નીકળ્યા જ કરે. અને છેવટે મૂળ તો અમે ભગવાન મહાવીરના જ ને ! બીજું ગમે નહીં. બીજી વાત કોઈની ગમે નહીં. અમે વૈજ્ઞાનિકની વાત માનવા તૈયાર છીએ. ભગવાન મહાવીર વૈજ્ઞાનિક કહેવાય. અમે પણ વૈજ્ઞાનિક કહેવાઈએ.
દુષમકાળમાં ભગવાન મહાવીરે શું આજ્ઞા કરી છે ? આજ્ઞા પ્રમાણે વર્તવાનું કહ્યું છે ને આજ્ઞા પ્રમાણે ના વર્તાય તો પ્રતિક્રમણ કરવાનું કહ્યું છે.
અક્રમથી નવો યથાર્થ ધર્મ હવે ધર્મ તો કેવો છે ? પોઝીટિવ અહંકારમાં ધર્મ આવી જાય. આ તો બધાં શાસ્ત્રો શું કહે છે, ‘દયા પાળ, સત્ય બોલ, ચોરી ના કર.” અલ્યા, થાય છે એવું જ ને ! એટલે આ લોકોએ પુસ્તક ઊંચા મૂકી દીધાં. લોકોએ શું કર્યું કે આ પુસ્તકમાં લખ્યા પ્રમાણે થતું નથી માટે આ પુસ્તક કામનાં નથી. દયા પળાતી નથી, સત્ય બોલાતું નથી. આ પુસ્તક તો એવું જ લખ લખ કર્યું છે ને ! એટલે લોકોએ અભરાઈ પર ચઢાવી દીધાં.
શાસ્ત્રોમાં શું કહે છે ? ‘ચોરી ના કરશો, જૂઠું ના બોલશો, લુચ્ચાઈ ના કરશો.’ તો કરીએ શું ? એ કહેને અમને પાછું. એ ના કરીએ તો શું કરીએ ? પેલો ટિકિટ ના આપતો હોય તો કાળાબજારની લેવી ના પડે, આપણે જવું હોય તો ? હવે આ શાસ્ત્ર કહે છે, એવું કરશો નહીં. ત્યારે અમને તો સૂરસાગરમાં ડૂબવા જેવું જ થાય પછી !
જગત પરિણામ ફેરવવા માંગે છે. હવે એ પરિણામ શી રીતે ફરશે, જ્યાં બધા જ ફરી ગયા છે ! એ તો પહેલાં સેકડે પાંચ ટકા હોય ત્યારે લોકો કહેતા હતા કે, ‘ભાઈ, આપણે આચાર શુદ્ધ કરો, આચાર શુદ્ધ કરો.’ આ તો પંચાણું ટકા આચાર બધા બગડી ગયા છે તેનું શું થાય તે ? જ્યાં આચારની નાદારી નીકળી છે, ત્યાં ! તે આપણે
આ નવી શોધખોળ કરી છે ! અને તેય ખરેખર જે ‘ડિસ્ચાર્જ’ છે એને ‘ચાર્જ માને છે. તે આપણે કાઢી નંખાવ્યું કે ભઈ, તમે ‘ડિસ્ચાર્જને