________________
(૪) અહો ! અહો ! એ જાગૃત દાદો !
ક્રિયાકાંડ હોય છે. સંસારમાર્ગ એટલે જેને ભૌતિક સુખો જોઈતાં હોય, બીજું જોઈતું હોય, તેને માટે ક્રિયાકાંડ છે, મોક્ષમાર્ગમાં એવું કશું હોતું નથી. મોક્ષમાર્ગ એટલે શું ? આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન. ચલાવ્યે જ જાવ ગાડી. તે આપણો આ મોક્ષમાર્ગ છે. એમાં ક્રિયાકાંડને એવું બધું ના હોય ને ! ક્રિયાકાંડ તમને સમજ પડીને ? શેના માટે ? ભૌતિક સુખોને માટે, એટલે ભગવાને કહેલું કે જેને ભૌતિક સુખો જોઈતાં હોય તે આ તપ કરજો, અને તેથી તમને ભૌતિક સુખો, દેવગતિનાં સુખો પ્રાપ્ત થશે. સંસારનાં સુખો પ્રાપ્ત થશે, પણ તમારે એ સુખો ના ખપતાં હોય, તો આપણો મોક્ષમાર્ગ છે. અને પછી ત્યાં આગળ લોકો કહેશે ત્યાં ક્રિયાઓ કેમ નથી ? ભઈ, અમારે તો ક્રિયાની લાઈન નહીંને, અમારે ધંધો નહીં, બીઝનેસ નહીંને. અને એ ખોટું બોલે, એ અવળું બોલે એમાં એનો દોષ નથી. એ કર્મના ઉદયના આધીન બોલે છે. અને તમે પણ કર્મના ઉદયના આધીન બોલો પણ તમે તેના જાણકાર હોવા જોઈએ કે આ ખોટું બોલાઈ રહ્યું છે. અને એ પુરુષાર્થ છે.
૮૭
પુરુષ અને પ્રકૃતિ, પ્રકૃતિ શું કરી રહી છે એને જાણવી જોઈએ અને પ્રકૃતિ જ્યારે કશું નહીં કરે, તે દહાડે તમારી ૩૬૦ ડિગ્રી થઈ ગઈ હશે. પછી કંઈ પણ, સહેજ પણ, હિંસક વર્તન નહીં, હિંસક વાણી નહીં, હિંસક મનન નહીં.
આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન એ જ આ મોક્ષમાર્ગ. કેટલાય અવતારથી અમારી આ લાઈન, કેટલાક અવતારથી આલોચના-પ્રતિક્રમણપ્રત્યાખ્યાન કરતાં કરતાં કરતાં અહીં સુધી આવ્યા છીએ.
તેથી તીર્થંકર ભગવાનોએ કહેલું કે અનંત અવતાર ગયા પછી, સમકિત થયા પછી યે, અમુક ભાગનો વ્યવહાર સમક્તિ થયા પછી તે અર્ધપુદ્ગલ પરાવર્તન કાળ હોય છે. તો બોલો હવે, કેટલાં બધાં આયુષ્ય કપાઈ ગયાં તે ! અર્ધપુદ્ગલમાં આવ્યો તોય ઘણું આયુષ્ય કપાઈ ગયું.
પ્રશ્નકર્તા : લિમિટમાં આવી ગયો.
પ્રતિક્રમણ
દાદાશ્રી : હા. લિમિટમાં આવી ગયો, તેમાંથી પાછો ઊગે. ભગવાનને સત્યાવીસ અવતાર થયા હતા, સમકિત થયા પછી. પણ લિમિટમાં આવી ગયું. એવું ભગવાને કહેલું.
બે જ વસ્તુતો ધર્મ
કષાય નહીં કરવા અને પ્રતિક્રમણ કરવાં એ બે જ ધર્મ છે. કષાય નહીં કરવા એ ધર્મ છે. અને પૂર્વકર્મના અનુસાર થઈ જાય તેનાં પ્રતિક્રમણ કરવાં એ જ ધર્મ છે. બાકી બીજી કોઈ ધર્મ જેવી વસ્તુ નથી. અને આ બે આઈટમ જ આ બધા લોકોએ કાઢી નાખી છે !
८८
હવે તમે એમને અવળું કહ્યું તો તમારે પ્રતિક્રમણ કરવું પડે. પણ એમણે પણ તમારું પ્રતિક્રમણ કરવું પડે. એમણે શું પ્રતિક્રમણ કરવું પડે કે, મેં ક્યારે ભૂલ કરી હશે કે આમને મને ગાળ દેવાનો પ્રસંગ ઉત્પન્ન થયો ?' એટલે એમણે એમની ભૂલનું પ્રતિક્રમણ કરવું પડે. એમણે એમના પૂર્વ અવતારનું પ્રતિક્રમણ કરવું પડે ને તમારે તમારા આ અવતારનું પ્રતિક્રમણ કરવું પડે ! આવાં પ્રતિક્રમણો દિવસના
પાંચસો-પાંચસો કરે તો મોક્ષે જાય !
હવે આવું ધર્મધ્યાન અને આવાં પ્રતિક્રમણ તો બીજે ક્યાંયે અત્યારે તો રહ્યાં નથી ને ! પછી હવે શું થાય ? નહીં તોયે રડી રડીને ભોગવવું પડે છે જ ને ? તો એના કરતાં હસીને ભોગવે તો શું ખોટું છે ?
જો આટલું જ કરોને તો બીજો કોઈ ધર્મ ખોળો નહીં તોય વાંધો નથી. આટલું પાળો તો બસ છે, અને હું તને ગેરન્ટી આપું છું, તારા માથે હાથ મૂકી આપું છું. જા, મોક્ષને માટે, ઠેઠ સુધી હું તને સહકાર આપીશ ! તારી તૈયારી જોઈએ. એક જ શબ્દ પાળે તો બહુ થઈ ગયું !
મતાગ્રહ એ અતિક્રમણ ?
અતિક્રમણથી જગત ઊભું થયેલું તે પ્રતિક્રમણથી જગત બંધ થઈ જાય. બસ એટલો આનો ‘લૉ’ (કાયદો). એ પ્રતિક્રમણ આ શાસ્ત્રોમાં