________________
(૪) અહો ! અહો ! એ જાગૃત દાદો !
પ્રતિક્રમણ
થયો,’ એમ બેસીને એની જોડે પાછાં પ્રતિક્રમણ કરે છે, એની જોડે જ, આમ ધારી ધારીને, અને પાછું પ્રત્યાખ્યાન કરે, કે આવું નહીં કરું, આવું નહીં કરું, તો એ મોક્ષમાર્ગ ઉપર ચાલે છે.
એવું તો કશું કરતા નથી એ બિચારાં, એટલે શું થાય ? આમ મોક્ષમાર્ગ સમજે તો હૈડેને, સમજવાની જરૂર છે.
પ્રશ્નકર્તા: જ્યાં સુધી એમને પ્રત્યક્ષ ન ખમાવે ત્યાં સુધી એમનામાં ડંખ તો રહે જ ને ? એટલે પ્રત્યક્ષ તો ખમાવવું જ પડે
મહાત્માઓ શું કરે છે ? આખો દહાડો આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન જ કર્યા કરે છે. હવે એમને કહેશે કે ‘તમે આ બાજુ ઠંડો, વ્રત, નિયમ કરો.' તો કહેશે, “અમારે શું કરવા છે વ્રત, નિયમને ? અમારે મહીં ઠંડક છે, અમને ચિંતા નથી. નિરુપાધિ રહે છે. નિરંતર સમાધિમાં રહેવાય. પછી શા માટે ?” એ કકળાટ કહેવાય. ઉપધાન તપ ને ફલાણા તપ. એ તો ગૂંચાયેલા માણસો કરે બધા. જેને જરૂરિયાત હોય, શોખ હોય. તેથી અમે કહીએ છીએ કે આ તપ એ તો શોખીન લોકોનું કામ છે. સંસારના શોખીન હોય એણે તપ કરવાં જોઈએ.
પ્રશ્નકર્તા : પણ એવી માન્યતા હોય કે તપ કરવાથી કર્મોની નિર્જરા થાય છે.
દાદાશ્રી : કોઈ દહાડો એવું થાય નહિ. કયા તપથી નિર્જરા થાય ? આંતરિક તપ જોઈએ. અદીઠ તપ, જે આપણે કહીએ છીએને કે આ બધા આપણા મહાત્માઓ અદીઠ તપ કરે છે, જે તપ આંખે દેખાય નહીં. અને આંખે દેખાતાં તપ અને જાણ્યામાં આવતાં તપ એ બધાનું ફળ પુણ્ય અને અદીઠ તપ એટલે અંદરનું તપ આંતરિક તપ, બહાર ના દેખાય એ બધાનું ફળ મોક્ષ.
એટલે આપણાં લોકોના મનમાં એમ થાય કે અરે ! વ્રત, નિયમ તો આપણે કરતા નથી. વ્રત, નિયમ મોક્ષમાર્ગ માટે નથી આ. નિયમબિયમ જેને સંસારમાં ભટકવું છે, એને માટે નિયમ છે. જેને મોક્ષે જવું હોયને તો આલોચના-પ્રતિક્રમણ--પ્રત્યાખ્યાનની ગાડીમાં બેસી જ જવાનું હડહડાટ. નિરંતર ચોવીસેય કલાક એ જ કર્યા કરવાનું, બીજું કંઈ કરવાનું નહીં.
ખમાવો સઘળા કષાયો આ સાધ્વીજીઓએ શું કરવું જોઈએ ? આ સાધ્વીજીઓ જાણે છે કે મને કષાય થાય છે, આખો દહાડો કષાય થાય છે. તો એમણે શું કરવું જોઈએ ? સાંજે બેસી અને એક ગુંઠાણું આખું, આ કષાય ભાવ થયો, આની જોડે આ કષાય ભાવ થયો, આની જોડે આ કષાય ભાવ
- દાદાશ્રી : પ્રત્યક્ષ ખમાવવાની જરૂર જ નથી. ભગવાને ના પાડી છે. પ્રત્યક્ષ તો તમે ખમાવવા જજો, જો સારો માણસ હોય તો, એને ખમાવજો અને નબળો માણસ હોય તો ખમાવશો તો માથામાં ટપલી મારશે. અને નબળો માણસ વધારે નબળો થશે. માટે પ્રત્યક્ષ ના કરશો અને પ્રત્યક્ષ કરવો હોય તો બહુ સારો માણસ હોય તો કરજો. નબળો તો ઉપરથી મારે. અને જગત આખું નબળું જ છે. ઉપરથી ટપલી મારશે, ‘હૈ, કહેતી'તી ને, તું સમજતી નહોતી. માનતી નહોતી, હવે ઠેકાણે આવી.” અલ્યા મૂઆ, એ ઠેકાણે જ છે, એ બગડી નથી. તું બગડી છે એ સુધરી છે, સુધરે છે.
આવું ખબર ના પડે. બિચારાને ભાન ના હોયને ! એક સહેજ જ જો ભાન હોયને, એની વાત જ જુદી હોય. એક જરાય ભાન નથી, આટલુંય ભાન નથી.
ક્રિયાકાંડથી નથી મોક્ષમાર્ગ મોક્ષમાર્ગ એટલે આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન. એનું નામ જ મોક્ષમાર્ગ. પોતાના ગુનાઓ જાહેર કરવા. પછી તે ખોટું છે એમ પશ્ચાત્તાપ કરવો, અને ફરી નહીં કરું એવું નક્કી કરવું. એવો આ મોક્ષમાર્ગ આપણો.
મોક્ષમાર્ગમાં ક્રિયાકાંડ કે એવું કશું હોતું નથી. ફક્ત સંસારમાર્ગમાં