________________
(૪) અહો ! અહો ! એ જાગૃત દાદો !
૮૧
પ્રતિક્રમણ
પ્રશ્નકર્તા : ના બોલાય.
દાદાશ્રી : એ જ વાણી નીકળે છેને, એની પાછળ તરત જ પાછું આનાં પ્રતિક્રમણ અમારાં ચાલ્યા કરે. એય જુઓને કેવી દુનિયા છે !
વાણી બોલે એની ઉપર જ અભિપ્રાય જુદો. કેવી આ જગત છે? એ વાણી બોલે છે, તેની ઉપર અભિપ્રાય કેવો છે કે આવું નથી આ, આ ખોટું છે, આવું હોય. પણ આ દુનિયા કેવી ચાલે છે. એ એની સાથે જાગૃતિ કરીને ચાલે.
બોલીએ ને સાથે ને સાથે એ જાગૃતિ હોય કે આવું ન હોવું જોઈએ. કારણ કે અમે આખું જગત નિર્દોષ જોયું છે. ફક્ત અનુભવમાં નથી આવ્યું. તે અનુભવમાં કેમ નથી આવ્યું? તો આ છે તે આ વાણી છે તે એ ડખલ કરે છે.
પ્રશ્નકર્તા : ડખલ કરે છે છતાંય આપની તો સતત જાગૃતિ
પ્રશ્નકર્તા : આપણી ભાવના ના હોય એની વિરાધના કરવાની, તો પછી પ્રતિક્રમણ કરવાં જોઈએ ? આપણે તો જે સાચી વાત છે એ જ કહીએ છીએને?
દાદાશ્રી : એવું છે ને અમે જે ઘડીએ બોલીએ તે ઘડીએ અમારે પ્રતિક્રમણ જોરદાર ચાલતું હોય. બોલીએ ને સાથે જ.
પ્રશ્નકર્તા : પણ જે સાચી વાત છે એ કહેતા હતા એમાં શું પ્રતિક્રમણ કરવાનાં ?
દાદાશ્રી : ના, પણ તોય પ્રતિક્રમણ તો કરવો જ પડે ને. કોઈનો ગુનો તે કેમ દીઠો ? નિર્દોષ છે તોય દોષ કેમ જોયો ? નિર્દોષ છે તોય એનું વગોવણું તો થયું ને ? વગોવણું થાય, એવી સાચી વાત પણ ના બોલાય, સાચી વાત એ ગુનો છે. સાચી વાત સંસારમાં બોલાવી એ ગુનો છે. સાચી વાત હિંસક ના હોવી જોઈએ. આ હિંસક વાત કહેવાય.
અમારે તરત પ્રતિક્રમણ કરવાના. અમે સાધુ-આચાર્યો બધાને નિર્દોષ જોયેલા છે. અમારે માટે દોષિત એક્ય છે નહીં અને દોષિત જે બોલાય છે, તેમાંય કોઈ દોષિત અમને દેખાતો જ નથી. પણ તે દોષિત બોલાય ખરું, એટલું છે ને અમારે એની પાછળ પ્રતિક્રમણ હોય છે તરત. એટલી અમારી આ ચાર ડિગ્રી ઓછી છેને, તેનું આ ફળ છે. બાકી નહીં તો સંપૂર્ણ વીતરાગતા વર્તે છે.
અને તમારે તો બહુ જ પ્રતિક્રમણ કરવા પડશે. હું બોલું ને, પણ અમારી જાગૃતિ રહે અને તમારાથી બોલાય નહીં આવું. જાગૃતિ હોવી જોઈએને. મોઢેથી બોલાય નહીં.
પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ ના કરો તો પછી શું થાય ? દોષ લાગે ?
દાદાશ્રી : એ દાવા કરી આપે. આપણી પર કોર્ટમાં સો દાવા માંડ્યા હોય લોકોએ. એનું નિકાલ ના કરીએ તો શું થાય ? દાવા ઊભા જ રહ્યા, એટલે પ્રતિક્રમણ ના કરે ત્યાં સુધી દાવા ઊભા રહ્યા.
દાદાશ્રી : નહીં, પણ જાગૃતિ છે, પણ આ આવી વાણી બંધ ના થાય ત્યાં સુધી પૂર્ણપદ તો મળે નહીંને ! આ વાણી કેવી નીકળે છે ? આ જોશબંધ !
હવે આ વાણી ક્યારે ભરેલી ? કે જ્યારે જગત નિર્દોષ જોયું નહોતું તે વખતે ભરેલી કે આ આ દોષિત આવા, આવું કેમ કરે છે ? આવું કેમ કરે છે ? આ આવું ના હોવું જોઈએ, જૈન ધર્મ આવો કેમ હોવો જોઈએ ? એ ભરેલું તે આજે નીકળે છે. ત્યારના અભિપ્રાય આજ નીકળે છે. અને આજ તે અભિપ્રાયથી અમે સહમત નથી.
જ્ઞાતીમાં પ્રતિક્રમણો પ્રતિક્રમણ કર્યાં બધાં ? પ્રતિક્રમણ કરજે, નહીં તો ચોખ્ખું નહીં રહે. રોજ પ્રતિક્રમણ કરજે, દાદાની હાજરીમાં આલોચના-પ્રતિક્રમણપ્રત્યાખ્યાન !