SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) નહોય “એ” પ્રતિક્રમણ મહાવીરનાં ! પ૯ પ્રતિક્રમણ દાદાશ્રી : હા, પણ દ્રવ્ય એકલું જ થાય છે, ભાવ નથી હોતો. કારણ કે દુષમકાળના જીવોને ભાવ રાખવો એ બહુ મુશ્કેલ વસ્તુ છે. એ જ્ઞાની પુરુષની કૃપા હોય અને ઉપર હાથ મૂકે ત્યાર પછી ભાવ ઉત્પન્ન થાય. નહીં તો ભાવ ઉત્પન્ન થાય નહીં. પ્રશ્નકર્તા : દ્રવ્ય પ્રતિક્રમણ અને ભાવ પ્રતિક્રમણ એટલે શું એ જરા સમજાવો. દાદાશ્રી : ભાવથી બોલવું કે આવું ન હોવું જોઈએ. ભાવ એવો રાખવો કે આવું ન હોવું જોઈએ, એ ભાવ પ્રતિક્રમણ કહેવાય છે. અને પેલું દ્રવ્યથી તો આખું બધું શબ્દ શબ્દ બોલવો પડે. જેટલા શબ્દ લખેલા હોય છે ને, એ બધા આપણે બોલવા પડે, એ દ્રવ્ય પ્રતિક્રમણ કહેવાય. સાચું પ્રતિક્રમણ કર્યું ? ભગવાને કહ્યું'તું કે આ પ્રતિક્રમણની ભાષા જો સમજણ પડે તો આ પ્રમાણે પ્રતિક્રમણ કરજો. ભગવાને આમાં હાથ ઘાલ્યો નથી. પણ જો ના સમજણ પડે તો એની જે ભાષા સમજતો હોય તો એ ભાષામાં પ્રતિક્રમણ સમજાવજો. પ્રશ્નકર્તા: મહાવીર સ્વામીના એમાં એવું આવે છે કે તું છેવટે સંવત્સરી પ્રતિક્રમણ કરીશ તોય વાંધો નહીં આવે. દાદાશ્રી : ના, એવું કશું કહ્યું નથી. અને ત્યાં આ પ્રતિક્રમણ હતું જ નહીં. ભગવાન મહાવીરના વખતમાં આવું પ્રતિક્રમણ હતું જ નહીં. આ પ્રતિક્રમણો મહાવીર ભગવાનના ગયા પછી શરૂ થયાં છે. અને પ્રતિક્રમણ હોવું જ જોઈએ. અને તે પ્રતિક્રમણ પોતાની ભાષામાં હોવું જોઈએ. આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન વગર તો કોઈનો મોક્ષ જ નથી. એક માણસ જમવાનું એવું શીખ્યો હોય, કે હોઈયાં, હોઈયાં, હોઈયાં કરે એટલે આપણી ભૂખ મટે ? પ્રશ્નકર્તા : ન મટે, એ તો મહીં જાય ત્યારે મટે. દાદાશ્રી : કેમ ? થાળીમાં લઈ કોળિયા ભર્યા ને આપણે, હોઈયાં કયુંને ? પ્રશ્નકર્તા : પણ એ પેટમાં ન ગયું, એ તો બહાર ગયું. દાદાશ્રી : તો આ પ્રતિક્રમણ તો જો આજ ભગવાન હોતને, તો આ બધાને જેલમાં પૂરી દેત. તે મૂઆ આવું કર્યું ? પ્રતિક્રમણ એટલે એક ગુનાની માફી માંગી લેવી, સાફ કરી નાખવું. એક ડાઘ પડ્યો હોય, એ ડાઘાને ધોઈને સાફ કરી નાખવો, એ હતી એવી ને એવી જગ્યા કરી નાખવી, એનું નામ પ્રતિક્રમણ. હવે તો નવું ડાઘવાળું ધોતિયું દેખાય છે. આ તો એક દોષનું પ્રતિક્રમણ કર્યું નથી અને નર્યા દોષના ભંડાર થઈ ગયા છે. આ નીરુબેન છે, તે શાથી એમના આચાર-વિચાર બધા ઊંચા ગયા છે ? ત્યારે કહે, રોજના પાંચસો-પાંચસો પ્રતિક્રમણ કરે છે અને આ લોકોએ એક નથી કર્યું. રાયશી-દેવશી એવું છે, પ્રતિક્રમણનો અર્થ દોષ ઘટવા. જો દોષ ઘટે નહીં તો પ્રતિક્રમણ નથી કરતા, અતિક્રમણ કરી રહ્યા છે. ઊલટું વધારે છે. એટલે એના કરતાં રાયશી-દેવશી એ બે કચ્છી ભાઈઓ સારા (!) પ્રશ્નકર્તા: રાયશી-દેવશી કોઈ જીવ છે,’ એ તો કલ્પના છે. કૃપાળુદેવે ચોખ્ખું લખ્યું છે. દાદાશ્રી : પણ એ તો લોકો એમ સમજે ને કે આ રાયશી છે, આ દેવશી છે, તો આ દેવશીનો ભાઈ. તે કચ્છમાં એક જણ પ્રતિક્રમણ કરવા બેઠો. તેણે તો રાયશી પ્રતિક્રમણ કર્યું અને પેલો સાંભળે કે મારા હાળા, લોક કેટલાક દેવશીનું પ્રતિક્રમણ કરે છે, કેટલાક રાયશીનું કરે
SR No.008868
Book TitlePratikramana Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2008
Total Pages307
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size79 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy