________________
(૩) નહોય “એ” પ્રતિક્રમણ મહાવીરનાં !
૩૮
પ્રતિક્રમણ
એમનામાંય દોષ ઘટ્યા નથી. એટલે આમાં પરિસ્થિતિ આ થાય છે.
માગધી ભાષામાં ભગવાને ફક્ત એક નવકારમંત્ર એકલો જ છે તે બોલવાનો કહ્યો હતો. ને તેય પાછો સમજીને બોલજો. કારણ કે ભગવાનના શબ્દો છે. એટલું ફક્ત ભલે એનો અર્થ સમજી લીધો. બાકી પ્રતિક્રમણમાં પહેલાં તો એનો અર્થ સમજવો જ પડે કે, આ હું પ્રતિક્રમણ કરું છું, કોનું ? મને ચંદુભાઈએ અપમાન કર્યું, અગર તો મેં કોઈનું અપમાન કર્યું, તેનું હું પ્રતિક્રમણ કરું છું. પ્રતિક્રમણ એટલે કષાયને ખલાસ કરી નાખવાના.
આ તો ધર્મ કે અધર્મ ? પ્રશ્નકર્તા : એ ક્રમિક માર્ગમાં અહંકારનું શુદ્ધિકરણ કેવી રીતે
કરે ?
સાધુ-સંન્યાસી એંસી વર્ષનાં, સાઠ વર્ષનાં, સિત્તેર વર્ષનાં થયાં, એક પણ દોષ ઘટ્યો નથી, વધ્યા છે.
પોપટની પેઠે પ્રતિક્રમણ પ્રશ્નકર્તા : સાંપ્રદાયિક પ્રતિક્રમણ, સામાયિક તથ્ય કેટલું ?
દાદાશ્રી : કશુંયે નહીં. માગધી ભાષામાં પ્રતિક્રમણ કરીએ તો પેલું પોપટ રામ-રામ બોલે એના જેવું. પોપટ રામ-રામ બોલે તેથી એ મોક્ષે જવાનો છે ? તે માગધી ભાષામાં આપણે પ્રતિક્રમણ કરીએ તો આપણી પોપટના જેવી દશા થઈ !
પ્રશ્નકર્તા : સાંપ્રદાયિકમાં તો કરવું પડે ને, દાદા ?
દાદાશ્રી : ના, ના, એ ઊંધે રસ્તે ચાલે તો આપણે શું કરવા ઊંધે રસ્તે ચાલીએ ? આપણે કંઈ પોપટ છીએ ? આપણો મનુષ્યનો અવતાર કહેવાય. સમજ્યા વગર જે કંઈ પણ કરવામાં આવે તે પોપટ કહેવાય બધા. હું અહીં તમને શું કહું છું? સમજીને ગાજો મારી જોડે. સમજવા માટેનો અવતાર છે આ. મહારાજ માગધી ભાષામાં ગા-ગા કર્યા કરે. તેમાં મહારાજ ના સમજે, પેલાયે ના સમજે. બધાયે પોપટે પોપટ ! રામ રામ ! આયારામ ! ગયારામ !!!!
એ જે પ્રતિક્રમણ કરે છે, પણ એમનાં પ્રતિક્રમણ કેવાં હોય છે કે કરનારો જાણે નહીં, કરાવનારો જાણે નહીં, કે આ શું છે તે ! તમે કરેલાં કે ? કરેલાં ? તે સમજણ ના પડે, નહીં ?
પ્રતિક્રમણ કોનું નામ કહેવાય કે જે કરવાથી દોષ ઘટે. જે કરવાથી દોષ વધ્યા કરે, એને પ્રતિક્રમણ કેમ કહેવાય ? એટલે આ ભગવાને આવું નહોતું કહ્યું. ભગવાન કહે છે, સમજાય એ ભાષામાં પ્રતિક્રમણ કરો. પોતપોતાની ભાષામાં પ્રતિક્રમણ કરી લેજો. નહીં તો લોકો પ્રતિક્રમણને પામશે નહીં. તે આ માગધી ભાષામાં રાખી મેલ્યું છે. હવે આ ગુજરાતી નથી સમજતા, એની પાસે માગધીનું પ્રતિક્રમણ કરવું, શું ફાયદો કરે ? અને સાધુ-આચાર્યો સમજતા નથી, કશા
દાદાશ્રી : એ તો સાબુથી મેલ કાઢે, એવી રીતે મેલથી મેલ કાઢે એમ. તે છે તે પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન બેઉનો આશરો લેવો પડે. નિરંતર આખો દિવસ આશરો લેવો પડે. બેનો આશરો નિરંતર લે ત્યારે અહંકારનું શુદ્ધિકરણ થાય. ત્યાં સુધી શુદ્ધિકરણ થાય નહીં.
તેથી તો ક્રોધ-માન-માયા-લોભ વધી ગયાં. વચલા બાવીસ તીર્થંકરોના શિષ્યો તો એવા વિચક્ષણ હતા, તે ક્ષણે ક્ષણે પ્રતિક્રમણપ્રત્યાખ્યાન કરતા. આ મહાવીર ભગવાનના જડ ને વાંકા શિષ્યો છે. તે બાર મહિનેય પ્રતિક્રમણ પાંસરું ના કરે. બાર મહિનેય ‘મિચ્છામિ દોકડો’ બોલી આવે.
આને ધર્મ કહેવાય ? આને ધર્મ કહેશો તો અધર્મ શાને કહેશો ? આ અધર્મને ધર્મ કહી રહ્યા છો ને એને ધર્મ સમજે છે. બીજાની ભૂલ ખોળી આપે કે તમે બધું ખોટું કરી રહ્યા છો. પોતાની જોડે કોઈ કપટ કરતો હોય તો કહેશે, તમે અધર્મ કરી રહ્યા છો. લુચ્ચાઈ કરતો હોય તો કહેશે, કે તમે અધર્મ કરી રહ્યા છો. તો આપણે કહીએ, ‘તું તે લખ કે આને ધર્મ કહેવાય. પણ ના, ભાન જ નથી ને ! હજુ આત્મા