________________
(૩) નહોય “એ” પ્રતિક્રમણ મહાવીરનાં !
૩૫
૩૬
પ્રતિક્રમણ
જોઈએ કે આમ ન થવું જોઈએ ને આમ થવું જોઈએ. આપણી પેલી ચોપડીઓની નવ કલમો જેને આવડી ગઈ, તેનું કલ્યાણ થઈ ગયું !
‘એ તો ખપે રોકડું જ નહીં તો પછી ભગવાને કહ્યું છે કે એ પ્રતિક્રમણ કર્યા કરવું.
મુમુક્ષુ : અનાદિકાળથી પ્રતિક્રમણ તો કરતો આવ્યો છે છતાં છૂટકારો તો થયો નથી ?
દાદાશ્રી : પ્રતિક્રમણ તો સાચા પ્રતિક્રમણ કર્યા નથી. સાચાં પ્રત્યાખ્યાન ને સાચાં પ્રતિક્રમણ કરે તો એનો ઉકેલ આવે. પ્રતિક્રમણ શૂટ ઑન સાઈટ હોવું જોઈએ. હવે મારાથી એક શબ્દ જરા વાંકો નીકળી ગયો, એટલે મારે અંદર પ્રતિક્રમણ થઈ જ જવું જોઈએ. તરત જ ઑન ધી મોમેન્ટ, આમાં ઉધાર ના ચાલે. આ તો વાસી રખાય જ નહીં. આ પ્રતિક્રમણ વાસી રખાય નહીં. એટલે ‘શૂટ ઑન સાઈટ’ પ્રતિક્રમણ હોય. તમે કેવું પ્રતિક્રમણ કરો છો ? રોકડું, શૂટ ઑન સાઈટનું કે વાસી રાખો છો ?
મુમુક્ષુ : રોકડું પ્રતિક્રમણ કયા સંજોગને માટે કેવી રીતે કરવું ? દાદાશ્રી : એકય રોકડું પ્રતિક્રમણ કર્યું હતું ?
મુમુક્ષુ : ના, નથી કર્યું, હજુ સુધી. હું પ્રતિક્રમણ વાંચું છું દરરોજ.
પસ્તાવા વિનાનાં પ્રતિક્રમણ નવકાર મંત્ર બોલો છો ? મુમુક્ષુ : હા. નવકાર બોલું, બધું આખું સમરણ ગણું, બધું જ
મુમુક્ષુ : રોજની ચાર-પાંચ સામાયિક કરું છું. દાદાશ્રી : ઓહોહો ! ચાર-પાંચ સામાયિક કરો છો ? મુમુક્ષુ : અને સવારનું ને સાંજનું પ્રતિક્રમણ બેઉ કરું છું.
દાદાશ્રી : પ્રતિક્રમણ એટલે પસ્તાવો કરવાનો. તો પસ્તાવો શેનો કરો છો ?
મુમુક્ષુ : પસ્તાવો નથી કરી શકતા. ક્રિયા કર્યા રાખીએ બધી.
દાદાશ્રી : પ્રતિક્રમણ એટલે પાછા વળવું. પાપ જે કર્યો હોય, ક્રોધ કર્યા હોય, તેની પર પસ્તાવો કરવો એનું નામ પ્રતિક્રમણ કહેવાય. | મુમુક્ષુ : એ બધું અંદર લખ્યું હોય, સૂત્ર એ બધું અમે ગોખી લઈએ.
દાદાશ્રી : એ તો ગોખીને શું કામ છે તે ? એ તો રેડિયો ગોખી લે છે ને? આ રોજ રોજ રેડિયો આખો દહાડો બોલ-બોલ કર્યા કરે.
“એતે' સાચા ના કહેવાય મુમુક્ષુ : આ બધી પ્રવૃત્તિઓ...
દાદાશ્રી : પાછું કો'કની ઉપર શું કામ ડફણું મારો છો ? મૂળ ગુનેગારને મારતા નથી ને ત્રીજાને મારે. જે હાથમાં આવે એને મારે. મૂળ ગુનેગારને પકડોને ?
મુમુક્ષુ : મૂળ ગુનેગાર બહાર તો નથી ને ? પોતે જ છે ને?
દાદાશ્રી : આ પ્રતિક્રમણ જ ન હોય. આ પ્રતિક્રમણને તો ક્રૂડ ફોર્મ (અણઘડ સ્વરૂપમાં) કહ્યાં છે અને પાછું બાર મહિને ભેગાં કરીને કહે કે અમે પ્રતિક્રમણ કર્યું એ તો વળી વધારે ક્રૂડ !!!
પ્રતિક્રમણ કોનું નામ કહેવાય ? બાર મહિના જો પ્રતિક્રમણ કરે તો દોષ બધા ઘટી જાય. આ તો આખી જિંદગી કરતા કરતા આવ્યા.
દાદાશ્રી : તોય ચિંતા થાય છે ?