________________
30
પ્રતિક્રમણ
(૨) પ્રત્યેક ધર્મ પ્રરૂપ્યું પ્રતિક્રમણ
૨૯ કહીએ છીએ આપણે ? ત્યારે કહે કે, જો તમે આ બધું કરો છો. તે કરવાને માટે વાંધો નથી. આ બધા બેઠા છે. અત્યારે કોઈ જણને વાંધો નથી. એમાં કોઈ એક જણ કહે કે, “કેમ તમે આ મોડા આવો છો ?” આપણને એવું કહે, ત્યારે એમણે અતિક્રમણ કર્યું કહેવાય. જે લોકોને ગમે નહીં કે, આવું ક્યાં બોલે છે ? એ અતિક્રમણ કર્યું કહેવાય.
એ અતિક્રમણ કરે તેને માટે જ ભગવાને પ્રતિક્રમણ કહ્યું છે. એટલે પશ્ચાત્તાપ કેટલાનો કરવાનો છે કે જે લોકોને ન ગમે, લોકોને દુઃખ થાય, એવી વાત માટે પશ્ચાત્તાપ કરજે. શું કહે છે ? ગમતું હોય તેને માટે નહીં.
તે પ્રાયશ્ચિત્ત કરવું પડે. તું કરે છે ? પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : દાદા ભગવાનના નામથી પ્રતિક્રમણ કરે છે કે નથી કરતો ?
પ્રશ્નકર્તા : પેલી ચોપડી આપેલી ને ? એનું કરું છું, નવ કલમો
પ્રશ્નકર્તા : અને એમાં આપની સામે કરે એટલે પછી શું રહે ?
દાદાશ્રી : કલ્યાણ થઈ જાય. એટલે પશ્ચાત્તાપના સાબુ જેવો કોઈ દુનિયામાં સાબુ નથી.
પસ્તાવાથી ઘટે દંડ પ્રશ્નકર્તા : પાપને નિર્મૂળ કરવા માટે તો ઉત્તમ માર્ગ પ્રાયશ્ચિત્ત છે. આ બહુ સુંદર વાત છે તેમ પુરાણમાં સંતપુરુષોએ કહ્યું છે. શું ખૂની માણસ ખૂન કર્યા બદલ પસ્તાવો કરે તો તેને માફી મળી શકે ?
દાદાશ્રી : ખૂની માણસ ખૂન કર્યા પછી ખુશી થાય તો એનો જે દંડ બાર મહિનાનો થવાનો હોય, તો તે ત્રણ વર્ષનો થઈ જાય. એ ખૂની માણસ ખૂન કર્યા પછી પસ્તાવો કરે તો બાર મહિનાનો જે દંડ થવાનો હોય તે છ મહિનાનો થઈ જાય. કોઈ પણ ખોટું કાર્ય કરીને પછી ખુર્શી થશો તો તે કાર્ય ત્રણગણું ફળ આપશે. કાર્ય કર્યા પછી પસ્તાવો કરશે કે ખોટું કાર્ય કર્યું, તો દંડ ઘટી જાય. અને સારું કાર્ય કર્યા પછી ખુર્શી થશો તો બધાને વધુ લાભ થશે.
મંત્રો એ છે વૈજ્ઞાતિક વસ્તુ પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવાથી કદાચ નવાં પાપ બંધાય નહીં, પણ જૂનાં પાપ ભોગવવાં તો પડેને ?
દાદાશ્રી : પ્રતિક્રમણથી નવાં પાપ થાય નહીં એ તમારું કહેવું બરોબર છે. અને જૂનાં પાપ તો ભોગવ્યે જ છૂટકો છે. હવે ભોગવટો એ ઘટે ખરો, એ માટે મેં પાછો રસ્તો કહ્યો છે કે ત્રણ મંત્રો ભેગા બોલજો તોય ભોગવટાનું ફળ હલકું કરી આપે. કોઈ માણસને દોઢ મણનું વજન માથે હોય અને બિચારો આમ કંટાળી ગયો હોય, પણ એને કોઈ વસ્તુ આમ એકદમ જોવાની આવી ગઈ અને દૃષ્ટિ ત્યાં ગઈ તો પેલો એનું દુ:ખ ભૂલી જાય, વજન છે છતાં એને દુ:ખ ઓછું લાગે. એવું આ ત્રિમંત્રોનું છેને, એ બોલવાથી પેલું વજન જ લાગે નહીં. એટલે આ મંત્રો એ હેમ્પિંગ વસ્તુ છે. તમે કોઈ દહાડો ત્રિમંત્ર બોલ્યા
દાદાશ્રી : કરું છું ને ? એ પ્રતિક્રમણ જ છે. મોટામાં મોટું પ્રતિક્રમણ દાદા ભગવાનની નવ કલમો મુકાઈ છે ને, એ આખા જગતને કલ્યાણકારી એવું પ્રતિક્રમણ છે.
પ્રશ્નકર્તા : આ વાત સાચી કે પશ્ચાત્તાપના ઘડામાં ગમે તેવું પાપ હોય તો....
દાદાશ્રી : હલકું થઈ જાય, પશ્ચાત્તાપને લઈને. પ્રશ્નકર્તા : સાવ બળીને ખાખ ના થઈ જાય ?
દાદાશ્રી : સાવ બળીયે જાય. એવાં કેટલાંક પાપ તો બળીયે જાય, ખલાસ થઈ જાય. પશ્ચાત્તાપનો સાબુ એવો છે કે ઘણાંખરાં કપડાંને લાગુ થઈ જાય.