SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ પ્રતિક્રમણ દાદાશ્રી : એ ગમે તે રીતે હો પણ કાચું છે. પણ તોય એનાથી ધર્મધ્યાન થોડું થાય. તમારી દાનત શું છે એ જોવામાં આવે છે. મુમુક્ષુ : પણ કરવું જોઈએ કે નહીં ? દાદાશ્રી : અત્યારે તમે કરો છો એ બરાબર છે, પણ અમે શીખવાડ્યા પછી નવું શીખવાડે તે નવું શીખજો. અત્યારે તમારું બરોબર (૨) પ્રત્યેક ધર્મ પ્રરૂપ્યું પ્રતિક્રમણ આવીને, ફર્સ્ટ ક્લાસ લાવીને પહેરેને ! પ્રશ્નકર્તા : માનસિક પસ્તાવો કરવો એ જ પ્રતિક્રમણ ? દાદાશ્રી : જે રીતે કહ્યુંને એ રીતે કરો. એને ધોલ મારવાથી દુ:ખ થયું તો, હવે ફરી નહીં ધોલ મારું. મારી ભૂલ થઈ, એવી રીતે કરો. એવો પસ્તાવો કરો. અગર તો ટૈડકાવ્યો. મેં એને દુઃખ ક્યું, તો ફરી નહીં ટૈડકાવું, એવી રીતે કરો. એ થયું ધર્મધ્યાન મુમુક્ષુ : અને આ પ્રતિક્રમણ, પાપનું પ્રાયશ્ચિત્ત, એ જરા સમજાવો. દાદાશ્રી : પ્રતિક્રમણ એટલે શું ? દોષ થયો કે દોષને તરત શૂટ ઑન સાઈટ કરી નાખો. એનું નામ પ્રતિક્રમણ. તમે તો બાર મહિને કરો છો ? મુમુક્ષુ : મને પ્રતિક્રમણ કરતાં ખાસ આવડતું નથી પણ ભાવ પ્રતિક્રમણ કરી લઉં. દાદાશ્રી : ભાવ પ્રતિક્રમણમાં શું કરો છો ? મુમુક્ષુ : એમ લાગે કે આ દોષ થયો છે, તો પછી આત્માની સાક્ષીએ પ્રાયશ્ચિત્ત કરી લેવાનું. દાદાશ્રી : એમ ? એવું કેટલાં થાય દહાડામાં ? મુમુક્ષુ : રાત્રે સૂતી વખતે કરું, ચાર-પાંચ થાય. દાદાશ્રી : એટલું તમારું ધર્મધ્યાનમાં જાય. ફક્ત એટલી સેકંડ તમારી ધર્મધ્યાનમાં જાય. જો તમે કહ્યા પ્રમાણે કરતા હોય તો ધર્મધ્યાનમાં જાય. મુમુક્ષુ : પાપનું પ્રાયશ્ચિત્ત કેવી રીતે કરવાનું? હું જે રીતે કરું છું તે બરોબર છે ? મુમુક્ષુ : કવિ કલાપીએ કહ્યું છે : હા, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. એના માટે આપ શું કહેવા માંગો છો ? દાદાશ્રી : એ તો આ ધૂળ પાપીઓ માટે છે. એ બધાં સ્થળ પાપ થયો એટલે એનો પસ્તાવો કરે. મુમુક્ષુ એમાં આત્માનું લક્ષ ખરું ? દાદાશ્રી : ના, એમાં આત્માનું લક્ષ ના હોય. આમાં વ્યાવહારિક લક્ષ, સરળ હોયને તેને ના ગમે આ બધું એટલે પસ્તાવો કરે. દરેક ધર્મવાળા પસ્તાવો કરવાના. એવું તમેય પસ્તાવો કરો છો. મુમુક્ષુ : વ્યવહારશુદ્ધિ થાયને ? દાદાશ્રી : ના, ખરેખર તો પ્રતિક્રમણ હોવું જોઈએ. તવ ક્લમોથી સર્વશ્રેષ્ઠ પ્રતિક્રમણ પ્રશ્નકર્તા : પાપ દૂર કરવા પ્રાયશ્ચિત્ત સિવાય બીજો કોઈ ઉપાય ખરો ? દાદાશ્રી : પાપ દૂર કરવા પ્રાયશ્ચિત્ત સિવાય બીજો કોઈ ઉપાય નથી. આ બધાં પાપ એ શું છે ? આ પાપ જે છેને, એ શેને પાપ
SR No.008868
Book TitlePratikramana Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2008
Total Pages307
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size79 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy