________________
(૨) પ્રત્યેક ધર્મ પ્રરૂપ્યું પ્રતિક્રમણ
૧૯
૨૦
પ્રતિક્રમણ
કરે. આવું તો ચાલ્યા જ કરે.
દાદાશ્રી : એવું નથી કરવાનું. જે માણસ પાપ કરે ને એ જો પસ્તાવો કરે તો એ બનાવટી પસ્તાવો કરી શકતો જ નથી. અને સાચો જ પસ્તાવો હોય અને પસ્તાવો સાચો હોય એટલે એની પાછળ એક ડુંગળીનું પડ ખસે, પછી ડુંગળી તો આખી ને આખી દેખાય પાછી. ફરી પાછું બીજું પડ ખસે. હંમેશાં પસ્તાવો નકામો જતો નથી. દરેક ધર્મ પસ્તાવો જ આપ્યો છે. ક્રિશ્ચિયનને ત્યાંય પસ્તાવો જ કરવાનો કહ્યો
સો ટકા સાચો
સ્તો
દાદાશ્રી : હા, હા, ચોક્કસ વળી ! પ્રતિક્રમણ કર્યું એટલે પછી રહે નહીં ને ! બહુ મોટું કર્મ હોય તો આમ બળેલી દોરી જેવું દેખાય પણ હાથથી અડીએ તો ખરી પડે.
મુમુક્ષુ : એ પસ્તાવો કેવી રીતે કરું ? બધાને દેખતાં કરું કે મનમાં કરું?
દાદાશ્રી : મનમાં. મનમાં દાદાજીને યાદ કરીને કે આ મારી ભૂલ થઈ છે હવે ફરી નહીં કરું - એવું મનમાં યાદ કરીને કરવાનું એટલે ફરી એમ કરતાં કરતાં એ બધું દુઃખ ભુલાઈ જાય. એ ભૂલ તૂટી જાય છે. પણ એવું ના કરીએ તો પછી ભૂલો વધતી જાય. આ મેં તમને હથિયાર આપ્યું છે, આ પ્રતિક્રમણ એ મોટું હથિયાર આપ્યું છે. કારણ કે આખું જગત કાપવાનું મોટામાં મોટું હથિયાર જ આ છે. અતિક્રમણથી જગત ઊભું થયું છે ને પ્રતિક્રમણથી જગતનો વિલય થાય છે. બસ આ જ છે. અતિક્રમણ થયું એ દોષ થયો. એ તમને ખબર પડી એટલે દોષ ‘શૂટ ઍટ સાઈટ' કરવો જોઈએ તમારે. દોષ દેખાયો કે શૂટ કરો.
આ એક જ માર્ગ એવો છે કે પોતાના દોષ દેખાતા જાય અને શૂટ થતા જાય, એમ કરતાં કરતાં દોષ ખલાસ થતા જાય.
પસ્તાવો બતાવટી ન હોય કદી મુમુક્ષુ : આવાં તમે કેટલાં પ્રતિક્રમણ કરો છો ? પ્રશ્નકર્તા : કોઈને દુઃખ થાય તો તરત પસ્તાવો કરું છું.
દાદાશ્રી : પસ્તાવો એ વેદના થાય છે તે છે. પસ્તાવો એ પ્રતિક્રમણ ના કહેવાય. છતાં એ સારું છે.
મુમુક્ષુ : પાપ કર્યા પછી આપણે પસ્તાવો લઈએ તો એ પાપમાંથી મુક્તિ કઈ રીતે મળે ? એવું તો પછી કર્યા જ કરે ?
દાદાશ્રી : એ બધો રસ્તો હું કરી આપીશ. મુમુક્ષુ : એક બાજુ પાપ કર્યા કરે ને એક બાજુ પસ્તાવો કર્યા
મુમુક્ષુ : એટલે માફી માંગવાથી આપણા પાપનું નિવારણ થઈ જાય ખરું?
દાદાશ્રી : એનાથી જ પાપનું નિવારણ થઈ જાય. બીજો કોઈ રસ્તો જ નથી.
મુમુક્ષુ : તો પછી ઘડીએ ઘડીએ માફી માંગે ને ઘડીએ ઘડીએ પાપ કરે ?
દાદાશ્રી : ઘડીએ ઘડીએ માફી માંગવાની છૂટ છે. ઘડીએ ઘડીએ માફી માંગવી પડે. હા ! સો ટકાનો રસ્તો આ ! માફી માંગવા સિવાય બીજા કોઈ રસ્તે છૂટે જ નહીં આ જગતમાં. પ્રતિક્રમણથી બધાં પાપો ધોવાઈ જાય.
મુમુક્ષુ : પ્રતિક્રમણ કરવાથી પાપ નાશ થાય છે, તેની પાછળ સાયન્સ શું છે ?
દાદાશ્રી : અતિક્રમણથી પાપ થાય છે ને પ્રતિક્રમણથી પાપ નાશ થાય છે. પાછા વળવાથી પાપ નાશ થાય છે.
મુમુક્ષુ : તો પછી કર્મનો નિયમ ક્યાં લાગુ પડે ? આપણે માફી માંગીએ અને કર્મ છૂટી જાય તો પછી એમાં કર્મનો નિયમ ના રહ્યોને ?