________________
(૨) પ્રત્યેક ધર્મ પ્રરૂણું પ્રતિક્રમણ
૧૭
પ્રતિક્રમણ
ભૂલ થાય ત્યાં દાદાની પાસે માફી માંગી લેવી. એટલા ગુનામાંથી મુક્ત થઈ ગયા. આ કંઈ છે અઘરું ? દાદા, કંઈ અપવાસ કરવાનું કહે છે કે કેમ ભૂલ કરી ? માટે અપવાસ કરજો એવું કહે તો તો લોક જાણે કે દાદાએ અમને ભુખે મારી નાખ્યા, પણ દાદા એવું ભૂખે નથી મારતા ને ? કોઈ ગાળ ભાંડે અને અસર થાય તો પોતાની જાતની જ ભૂલ છે એવું પોતાને લાગ્યા કરે અને પોતે પ્રતિક્રમણ કર્યા કરે તો એ ભગવાનનું મોટામાં મોટું જ્ઞાન છે. આ જ મોક્ષે લઈ જાય ! આટલો શબ્દ, અમારું એક જ વાક્ય જો પાળે ને તો મોક્ષે જતો રહે ! બીજું બધું શું કરવાનું ?
કર્તાભાવ ત્યાં સુધી અતિક્રમણ કર્મ બાંધે છે કોણ ? તેને આપણે જાણવું પડે, તમારું નામ શું ? મુમુક્ષુ : ચંદુલાલ.
દાદાશ્રી : તો ‘હું ચંદુલાલ છુંએ જ કર્મનો બાંધનાર. પછી રાતે ઊંઘી જાય, તોયે આખી રાત કર્મ બંધાય છે. ‘હું ચંદુલાલ છું તે ઊંઘતાંય કર્મ બંધાય છે, એનું શું કારણ ? કારણ કે, એ આરોપિત ભાવ છે. એટલે ગુનો લાગુ થયો. ‘પોતે' ખરેખર ચંદુલાલ નથી અને જ્યાં તમે નહીં ત્યાં ‘હું ” એવો આરોપ કરો છો. કલ્પિતભાવ છે એ, અને નિરંતર એનો ગુનો લાગુ થાય. પછી હું ચંદુલાલ આમનો સસરો થાઉં, આમનો મામો થાઉ, આમનો કાકો થાઉં, આ બધા આરોપિત ભાવો છે, એનાથી નિરંતર કર્મ બંધાયા કરે છે. રાતે ઊંઘમાંય કર્મ બંધાયા કરે છે. રાતે કર્મ બંધાય, તેમાં તો હવે છૂટકો જ નથી પણ ‘હું ચંદુલાલ છું’ એ અહંકારને જો તમે નિર્મળ કરી નાખો, તો તમને કર્મ ઓછાં
આ મેં એને દુઃખ દીધું. ત્યાં પ્રતિક્રમણ હોવું જોઈએ. દુઃખ દીધું એટલે અતિક્રમણ કહેવાય. અને અતિક્રમણની ઉપર પ્રતિક્રમણ કરે તો એ ભૂંસાઈ જાય. એ કર્મ હલકું થઈ જાય.
એને કંઈક દુઃખ થાય એવું આચરણ કરીએ તોયે એ અતિક્રમણ કહેવાય અને અતિક્રમણ ઉપર પ્રતિક્રમણ હોવું જોઈએ. અને તે બાર મહિને કરીએ છીએ એવું નહીં, ‘શૂટ ઑન સાઈટ’ હોવું જોઈએ. તો કંઈક આ દુઃખો જાય. વીતરાગના કહેલા મત પ્રમાણે ચાલે તો દુઃખ જાય. નહીં તો દુઃખ જાય નહીં.
આમ થાય પ્રતિક્રમણ એની મેળે આવડે એનું નામ અતિક્રમણ, અને પ્રતિક્રમણ શીખવું પડે. અતિક્રમણ તો એની મેળે આવડે. કોઈકને ગોદો મારવો હોય તો શીખવા ના જવું પડે, એ તો કોઈકનું જોઈને શીખેલો જ હોય. હવે અતિક્રમણ કરીએ તો પ્રતિક્રમણ કરવું પડે. આમ આ વ્યવહારમાં બધા બેઠાં છે, એમાં કશું પ્રતિક્રમણ કરવાની જરૂર નથી. આ તો કોઈકને ગોદો માર્યો હોય કે કોઈની મશ્કરી કરી હોય, એ અતિક્રમણ કર્યું, તો એનું પ્રતિક્રમણ કરવું પડે.
મુમુક્ષુ : એ પ્રતિક્રમણ કેવી રીતે કરવાનું ?
દાદાશ્રી : આપણે જો જ્ઞાન લીધું હોય તો એના આત્માની આપણને ખબર પડે. એટલે આત્માને ઉદેશીને કરવાનું, નહીં તો ભગવાનને ઉદેશીને કરવાનું, હે ભગવાન ! પશ્ચાત્તાપ કરું છું, માફી માગું છું અને ફરી નહીં કરું હવે. બસ એ પ્રતિક્રમણ ! ખોટું થયું હોય તો તરત ખબર પડી જાય ને ?
મુમુક્ષુ : હા. દાદાશ્રી : એનું પ્રતિક્રમણ કર્યું એટલે ધોવાઈ ગયું. મુમુક્ષુ : ધોવાઈ જાય ખરું એ ?
બંધાય.
અહંકાર નિર્મળ કર્યા પછી પાછી ક્રિયાઓ કરવી પડે. કેવી ક્રિયાઓ કરવી પડે કે સવારે તમારે છોકરાની વહુ જોડે, એનાથી કપરકાબી તૂટી ગઈ, એટલે તમે કહ્યું કે, ‘તારામાં અક્કલ નથી.' એટલે એને જે દુ:થયું, તે વખતે આપણને મનમાં એમ થવું જોઈએ કે