SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) પ્રતિક્રમણનું યથાર્થ સ્વરૂપ પ્રતિક્રમણ અતિક્રમણથી આ સંસાર ઊભો થયેલો છે અને પ્રતિક્રમણથી નાશ થાય. મુમુક્ષુ : ના. દાદાશ્રી : ત્યારે સવારમાં બ્રશ કરીએ છીએ તે અતિક્રમણ છે? મુમુક્ષુ : ના, એય નહીં. દાદાશ્રી : અતિક્રમણ તો, ક્રોધ-માન-માયા-લોભ એ બધાં અતિક્રમણ કહેવાય. આનાં પ્રતિક્રમણ કર્યો એટલે ક્રોધ-માન-માયા-લોભ ગયાં. અતિક્રમણ થયું ને પ્રતિક્રમણ કર્યું, તો ક્રોધ-માન-માયા-લોભ ગયાં. અજ્ઞાનતા ધક્કે, અતંત પ્રોજેક્શન્સ એવું છે, જીવમાત્ર પ્રોજેક્ટ (યોજના-ભાવ) કર્યા કરે છે. સ્વભાવિક રીતે નહીં, પણ ધક્કાથી પ્રોજેક્ટ કર્યા કરે છે. ને આપણે પ્રતિક્રમણ કર્યા કરવાં. એટલે અજ્ઞાનતાના ધક્કાથી પ્રોજેક્ટ કર્યા કરે છે, સંજોગવશાત્. એટલે પછી આપણે પ્રતિક્રમણ કરવાં. પાછું એક જાતનું પ્રોજેક્ટ નથી, અનંત જાતનાં પ્રોજેક્ટ, જ્યાં જેવો ભેગો થાય ત્યાં આગળ કર્યા વગર રહે નહીં. ફરી બીજ (પુલ) ઉપર જો કદી વાત નીકળે ત્યારે કહેશે, “આ બ્રીજ આટલો બધો ઊંચો કેમ બાંધ્યો હશે ?” એવુંયે મહીં પૂછે. અલ્યા, તારે આમાં શું લેવાદેવા, કંઈ બ્રીજે આપણી જોડે શાદી કરી છે ? બ્રીજ ઉપર આવ્યો, તેથી તેને આવું ચક્કર યાદ આવ્યું ! આ તો બ્રીજ ઉપર ગયા અને પેલી બાજુ ઊતરી ગયા. એટલે કશું લેવાદેવા નથી તોયે પણ ત્યાં આગળ શું કરે ? ‘આ બીજ આટલો બધો ઊંચો કેમ બાંધ્યો હશે ?” એવું લોક બોલે કે ના બોલે ? મુમુક્ષુ બોલે પણ એ તો પાંચ જ મિનિટમાં પાંચ હજાર પર્યાય પ્રતિક્રમણની પરિભાષા મુમુક્ષુ આપણને અણગમતું એવું કંઈક બનતું હોય અને એ સહી લેવું અને પ્રતિક્રમણ કહો છો આપ ? દાદાશ્રી : ના, સહન ના કરવું જોઈએ, પ્રતિક્રમણ કરવું જોઈએ. મુમુક્ષુ : તો પ્રતિક્રમણ એટલે શું ? દાદાશ્રી : પ્રતિક્રમણ એટલે સામો જે આપણું અપમાન કરે છે, તે આપણે સમજી જવું જોઈએ કે આ અપમાનનો ગુનેગાર કોણ છે ? એ કરનાર ગુનેગાર છે કે ભોગવનાર ગુનેગાર છે, એ આપણે પહેલું ડિસીઝન લેવું જોઈએ. તો અપમાન કરનાર એ બિલકુલેય ગુનેગાર નથી હોતો. એક સેન્ટેય ગુનેગાર નથી હોતો. એ નિમિત્ત હોય છે. અને આપણા જ કર્મના ઉદયને લઈને એ નિમિત્ત ભેગું થાય છે. એટલે આ આપણો જ ગુનો છે. હવે પ્રતિક્રમણ એટલા માટે કરવાનું કે એના પર ખરાબ ભાવ થાય તો પ્રતિક્રમણ કરવાં જોઈએ. એના તરફ નાલાયક છે, લુચ્ચો છે, એવો મનમાં વિચાર આવી ગયો હોય તો પ્રતિક્રમણ કરવાનું. અને એવો વિચાર ના આવ્યો હોય અને આપણે એનો ઉપકાર માન્યો હોય તો પ્રતિક્રમણ કરવાની જરૂર નથી. બાકી કોઈ પણ ગાળ ભાંડે તો એ આપણો જ હિસાબ છે, એ માણસ તો નિમિત્ત છે. ગજવું કાપે તે કાપનાર નિમિત્ત છે અને હિસાબ આપણો જ છે. આ તો નિમિત્તને જ બચકાં ભરે છે અને એના જ ઝઘડા છે બધા. અવળા ચાલ્યા તે અતિક્રમણ આખા દહાડામાં જે વ્યવહાર કરીએ છીએ તેમાં જ્યારે કંઈક અવળો થઈ જાય છે, તો આપણને ખબર પડે છે કે આની જોડે અવળો વ્યવહાર થઈ ગયો. ખબર પડે કે ના પડે ? તે આપણે વ્યવહાર કરીએ છીએ, એ બધું ક્રમણ છે. ક્રમણ એટલે વ્યવહાર. હવે કો'કની જોડે અવળું પડી ગયું. દાદાશ્રી : પાંચ હજાર તું બોલે છે, પણ પાંચ મિનિટ એટલે ત્રણસો સેકન્ડ થઈ, ને સેકન્ડના સમય કેટલા પાર વગરના થાય ! એટલે એક સેકન્ડમાં તો કેટલા બધા પર્યાય ઊભા થઈ જાય ! આવાં પાર વગરનાં અતિક્રમણ કર્યા જ કરે છે.
SR No.008868
Book TitlePratikramana Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2008
Total Pages307
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size79 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy