________________
(૧) પ્રતિક્રમણનું યથાર્થ સ્વરૂપ
પ્રતિક્રમણ
પસ્તાવાથી પ્યૉરિટી મુમુક્ષુ : આ સંસારમાં આવ્યા એટલે કર્મ તો કરવી જ પડેને ? જાણે-અજાણે ખોટાં કર્મ થઈ જાય તો શું કરવું?
દાદાશ્રી : થઈ જાય તો એનો ઉપાય હોયને પાછો. હંમેશાં ખોટું કર્મ થઈ ગયું તો તરત એની પછી પસ્તાવો હોય છે, અને ખરા દિલથી, સિન્સિઆરિટીથી પસ્તાવો કરવો જોઈએ. પસ્તાવો કરવા છતાં ફરી એવું થાય એની ચિંતા નહીં કરવાની. ફરી પસ્તાવો લેવો જોઈએ. એની પાછળ શું વિજ્ઞાન છે એ તમને ખ્યાલ ના આવે એટલે તમને એમ લાગે કે આ પસ્તાવો કરવાથી બંધ થતું નથી. શાથી બંધ થતું નથી એ વિજ્ઞાન છે. માટે તમારે પસ્તાવો જ કર્યા કરવાનો. ખરા દિલથી પસ્તાવો કરે છે એનાં બધાં કર્મ ધોવાઈ જાય છે. ખરાબ લાગ્યું એટલે એને પસ્તાવો કરવો જ જોઈએ.
મુમુક્ષુ શરીરના ધર્મો આચરીએ છીએ તો એનાં પ્રાયશ્ચિત્ત લેવાં
આજે દર્દો થયાં છે ને, એનો ઉપાયનો જન્મ પહેલો થઈ ગયો હોય. એટલે છોડવો ઊગી નીકળ્યો હોય, ત્યાર પછી પેલાં દર્દ ઊભાં થાય. એટલે દુનિયા તો બહુ એક્કેક્ટ છે. તમારે ઉપાય કરવાની જ જરૂર. ઉપાય હોય જ !
ક્રમણ-અતિક્રમણ-પ્રતિક્રમણ આ જગત ઊભું કેમ થયું? અતિક્રમણથી. ક્રમણથી કશો વાંધો નથી. આપણે હોટલમાં કંઈ વસ્તુ મંગાવીને ખાધી ને બે રકાબીઓ આપણા હાથે તૂટી ગઈ, પછી એના પૈસા આપીને બહાર નીકળ્યા, તો તે અતિક્રમણ ના કર્યું, તો પછી તેનું પ્રતિક્રમણ કરવાનું રહેતું નથી. પણ રકાબી ફૂટે એટલે આપણે કહીએ કે તારા માણસે ફોડી છે, તે ચાલ્યું પાછું. અતિક્રમણ કર્યું તેનું પ્રતિક્રમણ કરવું પડે છે. અને અતિક્રમણ થયા વગર રહેતું નથી, માટે પ્રતિક્રમણ કરો. બીજું બધું ક્રમણે તો છે જ. હેજાહેજ વાત થઈ એ ક્રમણ છે, એનો વાંધો નથી, પણ અતિક્રમણ થયા વગર રહેતું નથી. માટે એનું પ્રતિક્રમણ કરો.
મુમુક્ષુ : આ અતિક્રમણ થયું એની પોતાને ખબર કેવી રીતે પડે ?
દાદાશ્રી : એ પોતાનેય ખબર પડે ને સામાનેય ખબર પડે. અતિક્રમણ થયું તે સામાનેય ખબર પડે. આપણને ખબર પડે કે એના મોઢા પર અસર થઈ ગઈ છે અને તમનેય અસર થઈ જાય. બન્નેને અસર થાય. એટલે એનું પ્રતિક્રમણ હોય જ.
પોલીસવાળો રોકે ને તું ગાડી ઊભી ના રાખું, તો તે અતિક્રમણ કર્યું. તે તેનું પ્રતિક્રમણ કરવું પડે. નહીં તો કોર્ટમાં જવું પડે.
આપણે ખાઈએ છીએ એ અતિક્રમણ નથી. ત્યારે શું વાળ કપાવીએ છીએ તે અતિક્રમણ છે ?
પડે ?
દાદાશ્રી : હાસ્તો ને ! જ્યાં સુધી હું આત્મા છું' એવું ભાન ના થાય ત્યાં સુધી પ્રાયશ્ચિત્ત ના થાય તો કર્મ વધારે ચોંટે. પ્રાયશ્ચિત્ત કરવાથી કર્મની ગાંઠો હલકી થઈ જાય. નહીં તો એ પાપનું ફળ બહુ ખરાબ આવે છે. મનુષ્યપણુંય જતું રહે, ને મનુષ્ય થાય તો તેને બધી જાતની અડચણો પડે. ખાવાની, પીવાની, માન-તાન તો કોઈ દહાડો દેખાય જ નહીં, કાયમનું અપમાન. એટલા માટે આ પ્રાયશ્ચિત્ત કે બીજી બધી ક્રિયાઓ કરવી પડે છે. આને પરોક્ષ ભક્તિ કહેવાય. જ્યાં સુધી આત્મજ્ઞાન ના થાય ત્યાં સુધી પરોક્ષ ભક્તિ કરવાની જરૂર છે.
હવે પસ્તાવો કોની રૂબરૂમાં કરવો જોઈએ ? કોની સાક્ષીએ કરવો જોઈએ કે જેને તમે માનતા હો. કૃષ્ણ ભગવાનને માનો છો કે દાદા ભગવાનને માનો છો, ગમે તેને માનો એની સાક્ષીએ કરવો જોઈએ. બાકી ઉપાય ના હોય, એવું આ દુનિયામાં હોય જ નહીં. ઉપાય પહેલો જન્મ છે, ત્યાર પછી દર્દ ઊભું થાય છે.
મુમુક્ષુ : ના. દાદાશ્રી : ત્યારે દાઢી કરીએ છીએ તે અતિક્રમણ છે ?