________________
(૨૫) પ્રતિક્રમણોની સૈદ્ધાંતિક સમજણ
કે ભઈ, તમે આ અતિક્રમણ કર્યું છે એટલે પ્રતિક્રમણ કરજો. નહીં તો જોખમદારી આવશે. અતિક્રમણનું પ્રતિક્રમણ તો કરવું જ પડે. નહીં તો આ અક્રમ માર્ગનું આવ્યું છે, તે કંઈ એમને એમ હોલવાઈ ના જાય. કોઈ વસ્તુ એમને એમ હોલવાય નહીં. પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન-આલોચના સિવાય આ જગતમાં કોઈ વસ્તુ હોલવાય નહીં ને મોક્ષે જાય નહીં. અપરાધોતી જ ગાંસડીઓ
૪૬૯
પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ તો અપરાધ કર્યો હોય તો કરાયને ? દાદાશ્રી : નર્યા અપરાધ જ છે. છે જ અપરાધી. એ ચોથા ગુંઠાણાવાળાય અપરાધી કહેવાય. એક ક્ષણવારેય નિર્અપરાધી થયો જ નથી. નિર્અપરાધી તો જ્યારે શુદ્ધાત્મા થાય, ત્યારે જ થાય. નિર્અપરાધી થયો એટલે અહંકાર ગયો અને મમતા ગઈ, ત્યારથી એ નિર્અપરાધી થયો. પણ તે પાછું આ પાડોશી (ફાઈલ નં. ૧)અપરાધી થયો. તે અહીં બે ભાગ પાડી દેવામાં આવ્યા છે, પ્રકૃતિ ને પુરુષ. તે તમે પુરુષ થયા એટલે પુરુષ થઈને પ્રકૃતિને સૂચના આપો કે, તમે આ અમારા પાડોશી થાઓ. એટલે તમને સલાહ આપીએ કે તમે અતિક્રમણ કર્યું માટે તમે પ્રતિક્રમણ કરો.
એટલે આ કુદરતી રીતે જ થઈ જાય. આ જ્ઞાન જ એવું છે ને !
અને પછી આજ્ઞા કરેલી હોય. એટલે આજ્ઞા એની મેળે જ કરાવડાવે. એમને કશું કરવાનું ના હોય. અમારી આજ્ઞાથી બધું થાય એવું છે. એટલે આ ફાઈલ ને સામાનીય ફાઈલ, એટલે સામો દોષિત દેખાય નહીં. કોઈપણ માણસ અમને દોષિત દેખાતો જ નથી. જીવ માત્ર અમને દોષિત દેખાતો નથી. ફૂલ ચઢાવે તેય દોષિત દેખાતો નથી. આ અક્રમ વિજ્ઞાન તો કો'ક ફેર, દસ લાખ વર્ષે એક જ વખત પ્રગટ થાય
છે.
દોષો ધોવાય પશ્ચાત્તાપથી
જેને ત્યાં આગ્રહ હોય, એ મોટામાં મોટું ‘પોઈઝન’. કોઈ પણ
પ્રતિક્રમણ
વસ્તુનો આગ્રહ એ મોટામાં મોટું ‘પોઈઝન’. અમે નિરાગ્રહી હોઈએ. જે ભાગનું નિરાગ્રહી થયું એટલે કરેક્ટ થયું.
૪૭૦
આ જગતમાં જીવ માત્રનો દોષ છે જ નહીં, એ જ્ઞાનીની દૃષ્ટિ. જે દોષિત દેખાય છે, એ આપણો દૃષ્ટિદોષ હોય છે, આપણા રાગદ્વેષ છે.
દોષિત દેખાય છે એ ‘ઈગોઇઝમ’ છે, રાગ-દ્વેષ છે. અમને કોઈ ધોલ મારે, તે વખતેય એ નિર્દોષ દેખાય.
પ્રશ્નકર્તા : દોષિત દેખાયા પછી પશ્ચાત્તાપ તો બહુ થાય છે. ફરી પાછું એવું થઈ જાય છે.
દાદાશ્રી : પશ્ચાત્તાપ તો જેટલું એની જોડે દોષ થયો છે ને એ ધોવાઈ જવા માંડે છે. જે તમારો દોષ થયો હશે તે ધોવાઈ જશે.
જગતને નિર્દોષ ના દેખાય. જગતને તો કોર્ટ એ નિર્દોષ હોય, બાકી દોષિત જ દેખાય બધા. ‘ફાધર’ હોય કે ‘મધર’ હોય કે ગમે તે હોય.
કોઈ દોષિત દેખાયું નથી ને ?
પ્રશ્નકર્તા : ફન્ડામેન્ટલી (મૂળ સ્વરૂપે) તો નિર્દોષ છે, એવું સમજાય છે પણ કો'ક વખત ફરી પાછા દોષ દેખાવા શરૂ થઈ જાય છે. પણ પાછાં પ્રતિક્રમણેય થાય છે, એટ એ ટાઈમ (તરત જ).
દાદાશ્રી : એટલે એ ધોવાઈ જાય છે. જે દોષ થયા હશે તે તો ધોવાઈ જાય છે. દોષ દેખાય છે ને એ ધોવાઈ જાય છે, એ જ તમે નિર્દોષ જુઓ છો. તમારે માટે એ અને અમારે આ હઉ પ્રતિક્રમણ
કરવાનાં હોય.
પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરીએ એટલે ફરી પાછા એડજસ્ટ થઈ જઈએ છીએને ?
દાદાશ્રી : એની મેળે જ થયા કરે. કેટલાક તો સો-સો પ્રતિક્રમણ