________________
(૨૫) પ્રતિક્રમણોની સૈદ્ધાંતિક સમજણ
૪૫૫
૪૫૬
પ્રતિક્રમણ
એટલે આપણે શું કહ્યું કે અતિક્રમણ કર્યું માટે પ્રતિક્રમણ કરો. અને પ્રતિક્રમણ થઈ રહ્યું હોય તો જોયા કરો.
શું માફી માંગવાતી આત્માએ કરીતે ? પ્રશ્નકર્તા : આ જે ક્ષમા માંગે છે એ પ્રતિષ્ઠિત આત્મા જ ક્ષમા માંગે ને ?
દાદાશ્રી : હા, મૂળ આત્માને માગવાની જરૂર શી તે ? જે ગુનો કરે તેને માગવાની જરૂર. પ્રતિષ્ઠિત આત્માએ ગુનો કર્યો માટે પ્રતિષ્ઠિત આત્મા માંગે
આ અતિક્રમણ તો શું, બીજું બધું જ ચંદુભાઈ કરે છે. એમાં આત્મા કશું કરતો નથી. એ તો ખાલી પ્રકાશ જ આપે છે.
મહાવીરેય તિહાળ્યું તિજ પુદ્ગલતે જ દાદાશ્રી : હવે શા પ્રકારનો ભય આવે એવું લાગે છે ?
પ્રશ્નકર્તા ઃ મને શું ભય આવવાનો છે ? હવે બધું તમને સોંપ્યા પછી મારે શું કરવું છે એને ?
દાદાશ્રી : પણ તમને ભડકાટ નથી રહેતો ને કોઈ જાતનો ? જો આ સોંપેલું હોય તો કિંચિત્માત્ર ભડકાટ ન રહે ને થડકાટ પણ ના રહે એવું સુંદર છે. જેટલું તમને સોંપતાં આવડ્યું એટલું કામનું. આ સોંપીને પછી ખાવ ને ટેબલ ઉપર નિરાંતે બેસીને જમો ને ! કોઈ બાપોય વઢનાર નથી. કોઈ ઉપરી છે જ નહીં. ઉપરી હતી તમારી ભૂલો અને તમારા ‘બ્લન્ડર્સ’. ‘બ્લન્ડર્સ’ દાદાએ તોડી આપ્યાં અને ભૂલો આપણે ધોવી પડશે. થોડી ઘણી, પાંચ-દસ, કોઈ દા'ડો ભૂલો દેખાય
આચાર્ય મહારાજ હોય તે કહેશે કે તમે આત્મજ્ઞાન લાધ્યા પછી પ્રતિક્રમણ શાનું કરો છો ? પણ આ અક્રમ માર્ગ છે એટલે આપણે શું કરવાનું ? પોતાને નહીં કરવાનું. તમારે ચંદુભાઈને કહેવાનું કે ચંદુભાઈ, તમે આ અતિક્રમણ કર્યું છે માટે પ્રતિક્રમણ કરો. કારણ કે આપણે છૂટ્ટા થયા પણ આ ‘ચંદુભાઈ છૂટ્ટા થાય તો “આપણે છૂટ્ટા થઈએ.’ આ પરમાણુઓ ચોખ્ખા કરીને મોકલવા પડશે. ‘આપણા નિમિત્તે એવું બગડ્યું છે.
પ્રશ્નકર્તા : ચંદુભાઈનો લોચો ઊભો છે હજુ, એને શુદ્ધ કરો.
દાદાશ્રી : હા, તે આ દાદાની વિધિ કરે છે તે આત્મા નથી વિધિ કરતો. આપણે ચંદુભાઈને કહેવાનું કે ભાઈ, દાદાની વિધિ કરી લો. હજુ તો આપણે ચોખ્ખું કરવાનું છે. એટલે આપણે આત્મા તરીકે જાણ્યા કરવાનું કે આજે દાદાની વિધિ કરી, કેમ કરી, કેવી નહીં, એ બધું આપણે જાણ્યા કરવાનું.
નિરંતર જાણવું એ ‘આપણું’ કામ અને નિરંતર કરવું એ ‘ચંદુભાઈનું કામ. ‘ચંદુભાઈ’ નોકર અને ‘આપણે’ શેઠ. હા !
પ્રશ્નકર્તા : સારું થયું, હું શેઠ થઈ ગયો. જામ્યું આ તો !
દાદાશ્રી : હા, અને પાછું ‘ચંદુભાઈ’ નોકર એટલે તમારે રોફ રાખવાનો. અને કહેવાનું કે ટેબલ પર બેસીને ‘ચંદુભાઈ’ જમો. રોફથી જમો. હવે અમે છીએ તમારી સાથે. ત્યારે કહેશે, મહારાજ ના કહેતા'તાને. ત્યારે કહીએ, મહારાજ ના કહે, પણ તમે રોફથી જમો. આપણને હવે દાદા મળ્યા છે, ટેબલ તો વાપરો, ના હોય તો લાવવું !!!
જેણે અતિક્રમણ કર્યું તેની પાસે જ પ્રતિક્રમણ કરાવવાનું. ‘આપણે’ નહીં કરવાનું. આપણે જાણનાર, ચંદુભાઈ શું કરે છે એના તમે જાણનાર પછી વાંધો ખરો ? મહાવીરેય આ જ કરતા હતા. મહાવીર એક પુદ્ગલને જોયા કરતા હતા, નિરંતર. આ બધા લોકોનાં પુગલ જોવા ના જાય. એક (પોતાનું) જ પુદ્ગલ જુએ.
પ્રશ્નકર્તા : થોડી થોડી દેખાવા માંડી, પાંચ-પાંચ, દસ-દસ ભૂલો દેખાય છે ને તેને ખમાવું .
દાદાશ્રી : ના, એ પ્રતિક્રમણ શીખવું પડશે. અત્યારે કોઈ