________________
(૨૫) પ્રતિક્રમણોની સૈદ્ધાંતિક સમજણ
૪૫૩
૪૫૪
પ્રતિક્રમણ
અને એ તો કોઈ ફેરી બોલ્યા હોય તો એનું કોઈ ખાસ એવું મહત્ત્વ નથી હોતું એવા સંજોગ હોય છે. એ તો સંજોગ પ્રમાણે વાણી હોય
છે.
દાદાશ્રી : એનાથી બહુ ઊંડા ઉતરશો તો મહીંથી કાદવ નીકળશે. આ તો ‘સરકમસ્ટેન્શિયલ એવિડન્સ.” ઉનાળામાં સહુ કોઈ કહે કે ઓઢવાનું નહીં જોઈએ. બધાય કહે, પણ ‘સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ઓઢવાનું કરે. ઉનાળામાં મહીં તાવ ચઢ્યો તો ? ઓઢવાની જરૂર પડે. એટલે આ ‘એવિડન્સ” છે. ‘એવિડન્સ'ને પેલી રીતે મપાય નહીં કે ઉનાળામાં ના કહેતા હતા તે કેમ ઓઢવાનું માંગો છો ? અરે ભાઈ, તાવ ચઢ્યો, આપ ને બા ઓઢવાનું. તું વગર કામનો સમજુ નહીં. અને પોતાને કરવાનું નથી આ. પ્રતિક્રમણ ચંદુભાઈ પાસે કરાવડાવે છે. જે અતિક્રમણ ‘પોતે' કરતો નથી, તો પ્રતિક્રમણ પોતાને શા માટે કરવાનું હોય છે ?
તથી જરૂર “એને' પ્રતિક્રમણતી
પ્રશ્નકર્તા : એટલા માટે આ પઝલ' ઊભું થયું છે. દાદાશ્રી : ના, એ પઝલ ઊભું કરવાની જરૂર જ નથી.
અને એક જ બાજુ અમારું વાક્ય ના હોય હંમેશાં. બધા સંજોગ પ્રમાણે હોય અને ‘ડીપેન્ડ અપોન’ (આધાર રાખે) સામાને શું સંજોગ
જ્ઞાન આપીએ છીએ ત્યારે બોલીએ છીએ તે શુદ્ધાત્મા છે, એક્કેક્ટ ? હા. તો આ શું રહ્યું ? એ તારું ‘વ્યવસ્થિત'. વ્યવસ્થિતનો અર્થ શો ? ચંદુભાઈ શું કરે છે તે જોયા કરવું, તે વ્યવસ્થિતનો અર્થ. ચંદુભાઈએ કો'કનું બે લાખનું નુકસાન કર્યું, તો એમ આપણે જોયા કરવાનું. પછી ના સમજણ પડે એટલે કહીએ છીએ ‘પ્રતિક્રમણ કર'. વ્યવસ્થિત એટલે જે છે તે એક્ઝક્ટ જોયા કર. એટલે તમે છૂટા.
પ્રતિક્રમણ શેનાં કરવાનાં કે “આપણાં’ ‘વિપરિણામને લીધે આ સંયોગો ભેગા થાય છે, તે પ્રતિક્રમણથી ભૂંસાઈ જાય. ખરી રીતે દરઅસલ સાયન્ટિસ્ટને પ્રતિક્રમણની જરૂર જ નથી. આ તો આપણા લોકો ભૂલથાપ ખાઈ જાય તેથી. અસલ સાયન્ટિસ્ટ તો આંગળી ઘાલે જ નહીં. ‘ધ વર્લ્ડ ઈઝ ધ સાયન્સ’ (આ જગત વિજ્ઞાન છે) !
એમાં નથી જરીક્ય વિરોધાભાસ પ્રશ્નકર્તા: આપની વાણી નિમિત્ત આધીન ખરીને, એટલે ઘણી વખત પ્રતિક્રમણ કરવાની ‘દાદા' ના કહે છે, ઘણી વખત પ્રતિક્રમણ કરવાનું કહે છે, તો આ કેવી રીતનું?
દાદાશ્રી : પ્રતિક્રમણ કરવાની જરૂર નથી એવું અમે ના બોલીએ.
પ્રશ્નકર્તા : બરાબર છે.
દાદાશ્રી : અને કંટાળી જાય એવો કોઈ હોય, તોય એમ કરીને પણ એને આગળ લાવીએ અમે. સામો કંટાળી જાય એવો હોયને, તો ઉપરથી આ બોજો નાખીએ તો ? એટલે એને આપણે કહીએ કે આ કરવાની જરૂર નથી. તું તારું બીજું આ કર. એમ કરીને અમે આગળ ચલાવીએ. એટલે અમે સંજોગ પ્રમાણે વાણી બોલીએ. પણ મૂળ અભિપ્રાય તો અમારે ‘પ્રતિક્રમણ કરવાં’ એ જ હોય.
પ્રશ્નકર્તા : એ પેલાનો ઉલ્લાસ તૂટી ના જાય એટલા માટે..
દાદાશ્રી : એ તો આટલું કરતા હોય તેમાં પ્રતિક્રમણ આવે ત્યારે બોજો સહન ના થાય, એટલે બધુંય નાખી દે. એટલે બધાને જુદું જુદું બોલવું પડે મારે.
એટલે પછી અમે આગળ-પાછળ બોલ્યા હોઈએ કે અમારી વાણી સંજોગોના આધીન હોય છે, સંજોગ પ્રમાણે. એટલે લોકો ઊંધું પકડતા નથી. પણ જેને ઊંધું પકડવું હોય તેને બધું જડી આવે. અને ઊંધું પકડે તેનો વાંધો નથી. એ ઊંધું પકડે, એના એ જ કાઢી નાખે. આ તો વિજ્ઞાન જ એવું છે કે એ જે ઊંધું પકડેન, એ જ એને ખેંચે પાછું. એટલે એની આપણે વરીઝ (ચિંતા) નથી રાખવાની.