________________
(૨૪) જીવનભરના વહેણમાં, તણાતાને તારે જ્ઞાન
૪૧૭
૪૧૮
પ્રતિક્રમણ
બેસવું. સેકન્ડમાં બેસવું હોય કે ફર્સ્ટમાં બેસવું હોય, એ આપણી મરજીની વાત છે.
પ્રશ્નકર્તા : એટલે એ પોસિબલ (શક્ય) ખરું ?
દાદાશ્રી : હા, ‘પોસિબલ', એ તો બહુ મોટામાં મોટું પોસિબલ. આ બધા પ્રશ્નોમાં મોટામાં મોટો પ્રશ્ન આ છે.
અમને રૂબરૂ કહે, બધાની હાજરીમાં કહે એ ઓર્કેસ્ટ્રા ક્લાસ. પછી તમે કહો કે ના, હું એકલો હોઈશ ત્યારે કહીશ, એ ફર્સ્ટ ક્લાસ અને પછી તમે કહો કે મોઢે નહીં કહું, કાગળમાં આપીશ તો સેકન્ડ ક્લાસ. અને તમે કહો કાગળમાંય નહીં હું મનમાં ત્યાં ને ત્યાં ઘેર કરી લઈશ, એ થર્ડ ક્લાસ. જે ક્લાસમાં બેસવું હોય તેને છૂટ છે. અહીં આગળ પૈસા-બૈસા નથી.
પ્રશ્નકર્તા : આ તો એ શક્ય છે કે નહીં, એટલું જ પૂછવું'તું. દાદાશ્રી : હઝેડ પરસેન્ટ (સો ટકા) શક્ય છે.
પ્રત્યક્ષ પુરુષ પાસે પ્રત્યક્ષ આલોચતા પોતાની કોઈ એક ખાનગી વાત કહેવી હોય તો શાથી લોકો વાત નથી કરતાં ? પછી પેલો દબડાવ દબડાવ જ કરે. લગામમાં આવી ગયું ને, દબડાવે કે ના દબડાવે ? અને આપણે આ દબડાવવા હારુ નથી કરતા. આપણે એને છૂટો કરવા માગીએ છીએ કે, હું તારા દરેક ગુના તને માફ કરી આપું. આ ‘દાદા ભગવાન' પ્રગટ થયા છે !!! જગતમાં મોટામાં મોટું વાક્ય જ આટલું છે. ખરું સમજવાનું જ આ છે કે આ અમારી પાસે આલોચના કરે ને કર્મ ભસ્મીભૂત થઈ જાય. ક્રમિક માર્ગ એ જુદી વસ્તુ છે અને આ અભેદધર્મ છે, ભેદ જ નહીં, જુદાઈ જ નહીં !
આ બધાને એક દિવસ મેં પ્રતિક્રમણ કરવાનું કહ્યું. બધાને આલોચના માટે, જે જે દોષ થયો હોય તે લખી લાવવા કહ્યું. એમ ને એમ તો રોજ બધા પ્રતિક્રમણ ર્યા જ કરે છે. પણ આલોચના એટલે
મારી પાસે રજૂ કરો એમ કહ્યું એક દા'ડો. તમારા જે જે દોષો હોય તે મારી પાસે રજૂ કરો. તે અમારી પાસે આલોચના કેવી કરે છે ? ક્યારેય ન બન્યું હોય એવી આલોચના કરે છે. એટલે એમની ખોટામાં ખોટી વસ્તુઓ બધી જાહેર કરી દે છે પણ ઑન પેપર. બીજી રીતે, મોઢામોઢ નથી કહેતા. એટલે ઑન પેપર કરે તોય બહુ થઈ ગયું. પેપરમાં લખી આપે છે, પાછું નીચે સહી કરીને. અને સ્ત્રીઓ હલે સહી કરીને વાંચવા આપે છે. બધા દોષો દેખાય એને. એટલે બધાય પોતાના જેટલા દોષ થયા હતા, એટલા બધા જ દોષો લખી લાવેલા. એકુય દોષ બાકી રાખેલા નહીં.
- હવે એવું ક્યારે બને જાણો છો ? અભેદતા હોય ત્યારે. આવી હિંમત ક્યારે આવે ? અભેદતા હોય ત્યારે. સ્ત્રીઓએ પણ કહ્યું કે, અમુક જગ્યાએ મારે આમ થયું હતું ને અમુક જગ્યાએ આમ થયું હતું. નામ સાથે લખેલું. ગમે તે દોષ થાય તેનો વાંધો નથી. બધા દોષો હું તોડી નાખવા તૈયાર છું. તમારા લાખો દોષો હું એક કલાકમાં તોડી નાખવા તૈયાર છું, પણ તમારી તૈયારી જોઈએ. નિર્દોષને દોષ અડે શી રીતે ?
મારી પાસે દસ હજાર માણસોએ નબળાઈ ખુલ્લી કરી હશે. તે નબળાઈ કાઢવા તો તમે મારી પાસે આવ્યા છો. મારે એ નબળાઈ બીજા કોઈને કહેવાય જ નહીં. તમારી નબળાઈ તમારા ભાઈને પણ મારાથી ના કહેવાય. તમારા વાઈફનેય ના કહેવાય. તમે કોઈનેય ના કહી શકતા હો એવી તમારી નબળાઈ અમારી પાસે કહો અને એ નબળાઈ કોઈને કહેવાય નહીં અને અમારી પાસે તો નબળાઈ એટલા પ્રકારની કહે કે આખા જીવનમાં નાનામાં નાનીથી મોટી સુધી બધી નબળાઈઓ અમને કહે. એને આલોચના કહેવાય. એ બધા ધોઈ નાખે. પણ અમે જાણીએ ને કે જગત આવું જ હોય. કળિયુગમાં કેવું હોય ?
પ્રશ્નકર્તા : આવું જ હોય. દાદાશ્રી : આવું હોય એ અમે જાણીએ ને એની તો અમને