________________
(૨૪) જીવનભરના વહેણમાં તણાતાને તારે જ્ઞાન
૪૧૩
૪૧૪
પ્રતિક્રમણ
બગાડ) કરે છે, છતાંય એનાં પ્રતિક્રમણ નહીં કરે તો ચાલશે. એમાં એટલું બધું નુકસાન નથી. એક અવતાર હજુ બાકી છે એટલે લેટ ગો કરેલું (જવા દીધેલું). પણ જેને ઉપયોગમાં બહુ રહેવું હોય તેણે ઉપયોગ ચૂક્યાનું પ્રતિક્રમણ કરવું. પ્રતિક્રમણ એટલે પાછું ફરવું. કોઈ દહાડો પાછો ફર્યો જ નથી ને !
પ્રશ્નકર્તા : પ્રતિક્રમણથી આગળ ઉપર ચોખ્ખું પ્રતિબિંબ પડે ?
દાદાશ્રી : હાસ્તો, બધું ક્લિયર થઈ જાય. દર્શન ચોખ્ખું થઈ જાય ને દર્શન વધે. પ્રતિક્રમણ વગર કોઈ મોક્ષે ગયેલું નહીં. પ્રતિક્રમણ કરે એટલે પોતાના દોષ ઓછા થાય ને ધીમે ધીમે જતા રહે.
ઔરંગાબાદતું અજાયબ વાર્ષિક પ્રતિક્રમણ
(બીજી કોઈ જગ્યાએ અમે વિધિ મૂકતા નથી. ઔરંગાબાદમાં અમે અનંત અવતારના દોષ ધોવાઈ જાય એવી વિધિ મૂકીએ છીએ. એક કલાકની પ્રતિક્રમણ વિધિમાં તો બધાનો અહંકાર ભસ્મીભૂત થઈ જાય છે ! અમે ત્યાં ઔરંગાબાદમાં તો બાર મહિનામાં એક ફેરો પ્રતિક્રમણ કરાવતા હતા. તે બસો-ત્રણસો માણસ બસ રડે-કરે ને બધો રોગ નીકળી જાય. કારણ કે બૈરીને એનો ધણી પગે લાગે, ત્યાં આગળ માફી માગે, કેટલાય અવતારનું બંધન થયેલું તે માફી માગે, તે કેટલુંય ચોખ્ખું થઈ જાય !
કરું. આ કળિયુગ છે. કળિયુગમાં શું દોષ ના હોય ? કોઈનો દોષ કાઢવો એ જ ભૂલ છે. કળિયુગમાં બીજાનો દોષ કાઢવો એ જ પોતાની ભૂલ છે. કોઈનો દોષ કાઢવાનો નહીં. ગુણ શું છે એ જોવાની જરૂર છે. શું રહ્યું છે એની પાસે ? સિલક શું રહી એ જોવાની જરૂર છે. આ કાળમાં સિલક જ ના રહેને ! સિલક રહી છે એ જ મહાત્માઓ ઊંચે ને !
ધર્મબંધુઓ જોડે જ વેર જ્ઞાનીપુરુષની આજ્ઞાથી આ પ્રતિક્રમણ થાય, તે અનંત અવતારનાં પાપો બાળી નાખે. આ પ્રતિક્રમણ તે કેવું પ્રતિક્રમણ ? વેર બધાં છૂટી જાય. કારણ કે સહાધ્યાયી જોડે જ વધારે વેર બંધાયેલાં હોય. વર્લ્ડમાં (દુનિયા) બીજા બધા જોડે વેર હોય નહીં કોઈ દહાડોય અને સહાધ્યાયી તો આખો દહાડો યાદ રહ્યા કરે.
પ્રશ્નકર્તા : સત્યુગમાં પણ સહાધ્યાયી જોડે વેર બંધાય ?
દાદાશ્રી : ના, ત્યારે વેર ના બંધાય. એ સમજણ જ ઊંચી હતી બધાની. અને એ બધો ચીકણો પ્રેમ !
પ્રશ્નકર્તા: સહાધ્યાયી જોડે વેર બાંધવાનું કારણ શું ?
દાદાશ્રી : અણસમજણથી. સત્યુગમાં આવે તેવું ના હોય. ચોર એ ચોર, જે લુચ્ચા એ લુચ્ચા અને શાહુકાર એ શાહુકાર. ચોર વગર તો આ દુનિયા રહી જ નથી કોઈ દહાડોય. પણ સત્યુગમાં તેમની વસ્તી થોડી હોય.
જે આપણી જોડે હોય, પહેલાંય હતા અને આજેય છે, એ આપણા ધર્મબંધુ કહેવાય અને પોતાના ધર્મબંધુઓની જોડે જ ભવભવનાં વેર બંધાયેલાં હોય છે. તે એમની જોડે કંઈ વેર બંધાયેલું હોય તો, એટલા માટે આપણે પ્રતિક્રમણ સામસામાં કરી લો તો હિસાબ બધો ચોખ્ખો થઈ જાય. એય માણસને સામસામી પ્રતિક્રમણ કરવાનું ચૂકશો નહીં. સહાધ્યાયી જોડે જ વધારે વેર બંધાય અને તેમનાં પ્રત્યક્ષ
ત્યાં દર સાલ અમારે બહુ મોટી વિધિ કરવી પડે, બધાનાં મન ચોખ્ખાં કરવા માટે, આત્મા (વ્યવહાર આત્મા) ચોખ્ખો કરવા. મોટી વિધિ કરી અને પછી મૂકી દઈએ કે તે બધાના મન ચોખ્ખા થઈ જાય તે ઘડીએ, કમ્પ્લીટ ક્લિઅર, પોતાના ધ્યાનમાંય ના રહે કે હું શું લખું છું, પણ બધું ચોક્કસ લખી લાવે. પછી ‘ક્લિઅર’ થઈ ગયો. અભેદભાવ ઉત્પન્ન થયોને, એક મિનિટ મને સોંપ્યું ને કે હું આવો છું સાહેબ, એ અભેદભાવ થઈ ગયો. એટલી તને શક્તિ વધી ગઈ.
અને પછી હું તારા દોષોને જાણું ને દોષની ઉપર વિધિ મૂક્યા