________________
૩૬૬
પ્રતિક્રમણ
(૨૨) નિકાલ, ચીકણી ફાઈલોનો
૩૬૫ જોયા કરે એટલે તમે છૂટા !
પ્રતિક્રમણ કરતાં જ સામા પર અસર પ્રશ્નકર્તા : સંયોગોમાં તન્મયાકાર થઈ જવાય છે, ત્યાં પ્રતિક્રમણનો અવકાશ નથી રહેતો ?
દાદાશ્રી : પ્રતિક્રમણનો અવકાશ ક્યારે રહે, કે સામા સંયોગને દુ:ખ થતું હોય ત્યારે આપણે કહેવું પડે કે, “હે ચંદુભાઈ, પ્રતિક્રમણ કરી લો. ભઈ વેર બાંધશે, ભાઈની જોડે અતિક્રમણ થયું લાગે છે. ભાઈનું મોટું આપણી જોડે કડક લાગે છે તે માટે પ્રતિક્રમણ કરી લો.” ત્યારે એ કહેશે, “એક પ્રતિક્રમણ કરું ?” ત્યારે કહીએ, ‘ના, પાંચપચીસ-પચાસ કર, જેથી કરીને કાલે મોટું સારું દેખાય.” આપણે પ્રતિક્રમણ કરીએ અને પેલાનું મોટું સારું દેખાય, બીજે દા'ડે. એક ફેરો કરી જોઈએ. એવું તમને અનુભવમાં આવેલું કોઈ દહાડો ?
પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : એમ ? તો આવો અનુભવ ચાખ્યા પછી આવો રહ્યો
ને અહીં પ્રતિક્રમણ એટલાં બધાં કરી નાખીએ. નવરા પડીએ કે એને માટે પ્રતિક્રમણ કર કર કરવાં.
ઘરની ફાઈલોમાં પ્રતિક્રમણ હવે તારે આ પ્રતિક્રમણ થાય છે ખરાં ? પ્રશ્નકર્તા : હા, થાય છે. દાદાશ્રી : એમ ? પ્રશ્નકર્તા : આ ઘરની જ ફાઈલો મુખ્ય છે ને, દાદા ? દાદાશ્રી : તારે ઘરની ફાઈલો કેટલી છે ?
પ્રશ્નકર્તા ઃ આ બે જ ફાઈલો છે. સહુથી વધારે પ્રતિક્રમણ આનાં જ કરવાનાં.
દાદાશ્રી : તને એક જ બાબો છે ને ?
પ્રશ્નકર્તા : એ બાબાના જ મુખ્ય કરું છું એ, અને ફાઈલ નંબર બે, એનાં સૌથી વધારે પ્રતિક્રમણ.
દાદાશ્રી : એમ ?
પ્રશ્નકર્તા : હા, પ્રતિક્રમણ બહુ કર્યા. એટલે બાબો તો એકદમ શાંત પડી ગયો. સાવ શાંત પડી ગયો ને એકદમ સહકાર આપે છે.
મારા ભાઈ જોડે પણ પ્રતિક્રમણ કર્યા એટલે બધાનું પરિવર્તન થયું. પ્રતિક્રમણ રોજ કરું છું.
દાદાશ્રી : પ્રતિક્રમણથી સામાની પરિણતિ ફરે છે. એવું લોકોને અનુભવમાં આવ્યું. એટલે પછી છોડે નહીં ને ! “ધીસ ઈઝ ધ કેશ (રોકડ) બેન્ક.” પ્રતિક્રમણ એ તો “કેશ બેન્ક' કહેવાય, તરત ફળ આપનારું. તમારે પ્રતિક્રમણ બહુ કરવાં પડે છે ખરું ?
પ્રશ્નકર્તા ઃ ખાસ તો ઘરનાંનાં જ કરવા પડે છે.
પ્રશ્નકર્તા : આપણે આ પ્રતિક્રમણ કરીએ છીએ એ સામી વ્યક્તિને પહોંચે ?
દાદાશ્રી : આમ એને ખબર ના પડે. એને ખબર પડે કે નાય પડે, પણ એને અસર કરે. એનો આપણા તરફનો ખરાબ ભાવ નરમ થતો જાય.
અને આપણે જો મનમાં ખૂબ એની પર ચિઢાયા કરીએ તો એ બાજુ એનો વધતો જાય. પેલોય વિચારે કે આટલા બધા મારા ભાવ કેમ ખરાબ થતા જાય છે એની પર ?
પ્રશ્નકર્તા : એ ફાઈલો પાછી ચીટકે નહીં ને બીજા જન્મમાં ? દાદાશ્રી : શું લેવા ? આપણે બીજા જન્મની શું લેવા ? અહીં