________________
(૨૨) નિકાલ, ચીકણી ફાઈલોનો
૩૬૭
દાદાશ્રી : પ્રતિક્રમણ કેટલાં થાય છે ?
પ્રશ્નકર્તા : પચાસ-સો થાય. અમારા ઘરની એક-બે ચીકણી ફાઈલો છે એનાં કરું છું.
પ્રતિક્રમણ ‘એવું' કરો
પ્રશ્નકર્તા : મનથી, વાણીથી, વર્તનથી, જૂઠું બોલવાથી જે બધું દુઃખ પહોંચ્યું છે, એના માટે આપની સાક્ષીએ બધા પ્રતિક્રમણ કરીએ
તો તે ધોવાઈ જાય ને ?
દાદાશ્રી : પ્રતિક્રમણ કર્યું કોને કહેવાય ? કે તમે ઊઘાડા કરો, એમની રૂબરૂમાં કરો કે ખાનગીમાં કરો પણ પ્રતિક્રમણ બોલે (સામાને અસર થાય) ત્યારે જાણવું કે આપણે પ્રતિક્રમણ કર્યું. હા, અમેય ખાનગીમાં પ્રતિક્રમણ કરીએ પણ એ પ્રતિક્રમણ ત્રીજે દાડે બોલે તો અમને માલમ પડે (કે સામાને અસર પહોંચી). તમે એવું મનમાં પ્રતિક્રમણ કરો કે એમને ખબર ના હોય, છતાં એમને તમારા પર આકર્ષણ ઊભું થાય.
શુદ્ધાત્માતે પહોંચે એની અસર ?
પ્રશ્નકર્તા : આપણે જે પ્રતિક્રમણ કરીએ છીએ તે પ્રતિક્રમણનું પરિણામ, આ મૂળ સિદ્ધાંત ઉપર છે કે આપણે સામાના શુદ્ધાત્માને જોઈએ છીએ તો એના પ્રત્યેના જે ખરાબ ભાવ છે, એ ઓછા થાયને ?
દાદાશ્રી : આપણા ખરાબ ભાવ તૂટી જાય. આપણા પોતાને માટે જ છે આ બધું. સામાને માટે લેવાદેવા નથી. સામાને શુદ્ધાત્મા જોવાનો એટલો જ હેતુ છે કે આપણે શુદ્ધ દશામાં, જાગૃત દશામાં છીએ.
પ્રશ્નકર્તા : તો એને આપણા પ્રત્યે ખરાબ ભાવ હોય, એ ઓછો થાય ને?
દાદાશ્રી : ના, ઓછો ના થાય. તમે પ્રતિક્રમણ કરો તો થાય. શુદ્ધાત્મા જોવાથી ના થાય પણ પ્રતિક્રમણ કરો તો થાય.
પ્રતિક્રમણ
પ્રશ્નકર્તા : આપણે પ્રતિક્રમણ કરીએ તો તે આત્માને અસર થાય કે નહીં?
૩૬૮
દાદાશ્રી : થાયને, અસર થાય.
જોઈએ તોય ફાયદો થાય, પણ એકદમ ફાયદો ના થાય. પછી ધીમે ધીમે ધીમે થાય ! કારણ કે શુદ્ધાત્મા રીતે કોઈએ જોયું જ નથી. સારા માણસ ને ખોટા માણસ, એ રીતે જોયું છે.
વાઘ પણ ભૂલે હિંસક ભાવ
પ્રશ્નકર્તા : આપ્તસૂત્રમાં છે ને કે તમે જો વાઘનું પ્રતિક્રમણ કરો તો વાઘ પણ એનો હિંસક ભાવ ભૂલી જાય’, તો એ શું છે ? દાદાશ્રી : હા, વાઘ એનો હિંસક ભાવ ભૂલી જાય એટલે આપણો અહીં આગળ ભય છૂટી જાય.
પ્રશ્નકર્તા : આપણો ભય છૂટી જાય એ બરોબર, પણ પેલા આત્માને કંઈ થાય કે નહીં ?
થઈ ?
દાદાશ્રી : કશું ના થાય. આપણો ભય છૂટે કે એ છૂટી ગયું. પ્રશ્નકર્તા : પણ એનો હિંસક ભાવ જાય છે એમ આપે કહ્યું ને ? દાદાશ્રી : એ હિંસક ભાવ જતો રહે.
પ્રશ્નકર્તા : એ કેવી રીતે જાય ?
દાદાશ્રી : આપણો ભય છૂટી ગયો કે હિંસક ભાવ જતો રહે. પ્રશ્નકર્તા : તો એનો અર્થ એ થયો ને, કે એના આત્માને અસર
દાદાશ્રી : આત્માને સીધી અસર તો હોય છે. આત્માને તો અસર હોય છે જ. અસર પહોંચે બધી.
જો વાઘ જોડે પ્રતિક્રમણ કરીએ તો વાઘેય આપણા કહ્યા પ્રમાણે