________________
જેમ પત્ની સંગે પતિ, ન વિસરાય એક પલ; તેમ થયું પ્રતિક્રમણ સંગે, તો અનંત દોષ થાય હલ !
ટૂંકું પ્રતિક્રમણ બોંબાડગે, શુદ્ધાત્મા પાસે લઈ માફી;
પસ્તાવો લઈ, ‘ફરી ના કરું એટલું ટૂંકમાં કાફી ! ઊંડા વેર હોય ત્યાં તો, પદ્ધતસરનું પ્રતિક્રમણ; કરે તો જ છૂટે વેર, નવું અટકે અતિક્રમણ !
ઊંડા ઉતરે પ્રતિક્રમણ, તો પૂર્વભવ પણ દેખાય;
કો’ક સરળ પરિણામીને, પડળ આરપાર છેદાય ! હોલસેલમાં દોષ હોય તેણે, એક જોડેના સો સો દોષ; ભેગું પ્રતિક્રમણ કરી લઈ, પછી પ્રત્યાખ્યાન ને પોષ !
જાણમાં થયેલા દોષોનું, વ્યક્તિગત ધોવું પડે;
અજાણનાં જાથું કરવાં, પ્રતિક્રમણથી ઉકેલ જડે ! કોઈ વિષયના અસંખ્ય, દોષો ધોવા સામટાં; ત્યારે પહોંચાય ધ્યેયે, નહીં તો ક્યાંય રખડતા !
પૈણતી વખતે ફૂમતુ મૂકી, વટ માર્યો'તો અપાર;
પ્રતિક્રમણ કરવા પડે જો, ન આવ્યો ત્યારે વિચાર ! નિજભાવમાંથી પરભાવમાં, પરદ્રવ્યમાં તન્મયાકાર: પાંચ આજ્ઞા પાળે તે, પરમાં ન જઈ શકનાર !
કદિ થાય નહીં આત્મા, પરભાવમાં તન્મયાકાર;
જાણે” આત્મા તન્મયતાને, તન્મય થયો અહંકાર ! સ્વપ્નામાં પણ થઈ શકે, પ્રતિક્રમણ યથાર્થ જાગ્યા પછીયે થઈ શકે, ગુનો ગમે ત્યારે કબૂલાય !
સોરી’ એ પ્રતિક્રમણ નથી, છતાં પણ છે તે સારું;
મનમાં એટેક રહે નહીં, સામાન્ય મટે ખારું ! શુક્લધ્યાન થયા પછી, પ્રતિક્રમણ ‘ક્રમમાં પોઈઝન; પ્રતિક્રમણ અક્રમની દવા, પોતે પીવે નહીં, પીવડાવે !
પોતે નથી કરવાનું, કરાવો ‘ફાઈલ એક કને;
પ્રગટેલી પ્રજ્ઞા શક્તિ, દોષ દેખાડી ચેતવે ! અક્રમ જ્ઞાન પામ્યા પછી, ‘પોતે’ ‘શદ્ધાત્મા બને બાકીનું ‘વ્યવસ્થિત’ રહ્યું, માત્ર ‘જો’ ‘ફાઈલ” ને !
‘ચંદુ’ કરે તેને ‘જોયા’ કર, બીજું નથી કરવાનું;
જોવાનું જો ચૂકાય તો, પ્રતિક્રમણ ત્યાં કરવાનું ! નિજ વિપરિણામે બધાં, થાય ભેગાં સંયોગ; પ્રતિક્રમણથી શુદ્ધિ થઈને, થાય તેનો વિયોગ !
દરઅસલ સાયન્ટિસ્ટને, નથી જરૂર પ્રતિક્રમણની;
આંગળી ના ઘાલે પ્રયોગે, દાઝે તેને જરૂર મલમની ! જ્ઞાની વાણી ભાસે વિરોધી, ખરેખર છે નિમિત્તાધીન; તાવ સરખો ટાઢિયો, એકને કવીનાઈન બીજે મેટાસીન !
પુદ્ગલ કરે અતિક્રમણ, પુદ્ગલ ચલાવે જગત;
ચેતન ભાવને પામેલાં, પરમાણુ છે પુર-ગલ ! સ્વપરિણતી માની કરે, તો તે પૂરણ કહેવાય; પરપરિણતી માની કરે, તો તે ગલન કહેવાય !
પ્રતિક્રમણ કરે પુદ્ગલ, માફી શુદ્ધાત્માની માંગે;
પુદ્ગલને ફોન ધકેલે આત્મા, થાય પ્રતિક્રમણ પુદ્ગલનું! પોતાના પુદ્ગલનું પ્રતિક્રમણ, પ્રજ્ઞા પોતાને કરાવે; સામાના પુદ્ગલનું પ્રતિક્રમણ, નુકસાન થાય જ્યારે!
માફી માંગે શુદ્ધાત્મા કને, ભૂલ થઈ નિજ પુદ્ગલથી;
પ્રતિષ્ઠિત આત્મા જોડે, ભૂલો ધૂએ પ્રતિક્રમણથી ! દોષનો જાણનાર પોતે, ને કરનાર સાવ જુદો; જ્ઞાયકભાવ ટકે નહીં, તેથી પ્રતિક્રમણ કરો !
ખોખું છે “ચંદુ’નું આજ, તેને બનાવ ભગવાન; આત્માનું પ્રતિબિંબ દિસે, ત્યાં સુધીનું છે ચઢાણ !
40
41