________________
(૨૧) છૂટે પ્રકૃત્તિ દોષો આમ
૩૪૭
અહીંનું પોઇઝત પણ પ્રતિક્રમણવાળું
પ્રશ્નકર્તા : આ દુઃખ જે કાયમ છે એમાંથી ફાયદો કેમનો
ઉઠાવવાનો ?
દાદાશ્રી : આ દુઃખને વિચારવા માંડે તો દુઃખ જેવું નહીં લાગે. દુઃખનું જો યથાર્થ પ્રતિક્રમણ કરશો તો દુઃખ જેવું નહીં લાગે. આ વગર વિચારે ઠોકમઠોક કર્યું છે કે આ દુઃખ છે, આ દુઃખ છે ! એટલે આનો પ્રતિકાર ના કરાય. પ્રતિકાર ભૂલથી થઈ જાય તો પ્રતિક્રમણ કરવું પડે. પ્રતિકારનો વિચાર આવ્યો હોય તોય પ્રતિક્રમણ કરવું પડે.
આ સત્સંગનું પોઇઝન પીવું સારું છે પણ બહારનું અમૃત પીવું ખોટું છે. કારણ કે આ પોઇઝન પ્રતિક્રમણવાળું છે. અમે બધા ઝેરના પ્યાલા પીને મહાદેવજી થયા છીએ.
બીજાને અડચણ થાય એ બધાનું પ્રતિક્રમણ કરી લેવું જોઈએ. પ્રશ્નકર્તા : નિઃસ્વાર્થ કપટવાળાને કર્મ બંધાય ખરું, જ્ઞાન લીધા પછી ?
દાદાશ્રી : હા, પણ પ્રતિક્રમણ કરવું જોઈએ.
પ્રશ્નકર્તા : છેતરાયા પછી પ્રતિક્રમણ કરવું ?
દાદાશ્રી : હા, આપણે તો પ્રતિક્રમણ કરવું જ જોઈએ. મહારાજનો દોષ નથી. એ તો એમની જગ્યાએ છે. આપણી ભૂલ છે કે એ દુકાને ગયા. એટલે આપણે એમને છંછેડ્યા એટલે પ્રતિક્રમણ કરવું જોઈએ. આપણે પ્રતિક્રમણ કરવું જોઈએ. ગુનો ન થવો જોઈએ.
પ્રશ્નકર્તા : આપણે પ્રતિક્રમણ કરીએ પણ સામો કર્મ બાંધે છેને ?
દાદાશ્રી : આપણે મનમાં પ્રતિક્રમણ કરી નાખવું. પછી સામાનું જોવું નહીં.
૩૪૮
નથી.
પ્રતિક્રમણ
સૂક્ષ્મતા, જ્ઞાતીનાં પ્રતિક્ર્મણોતી
પ્રશ્નકર્તા : આપની પાસે ખૂબ આવવાનું વિચારીએ પણ અવાતું
દાદાશ્રી : તમારા હાથમાં શું સત્તા છે ? તો પણ આવવાનું વિચારે, અવાતું નથી એનો મનમાં ખેદ રહેવો જોઈએ. આપણે એમને કહીએ કે, ચંદુભાઈ, પ્રતિક્રમણ કરોને, જલદી ઉકેલ આવે. નથી જવાતું માટે પ્રતિક્રમણ કરો, પ્રત્યાખ્યાન કરો. આવી ભૂલચૂક થઈ, માટે હવે ફરી ભૂલચૂક નહીં કરું.
અને અત્યારે જે ભાવો આવે છે તે શાથી ભાવો વધારે આવે છે અને કાર્ય નથી થતું ? ભાવ શાથી આવે છે કે કમીંગ ઇવેન્ટ્સ કાસ્ટ ધેર શેડોઝ બીફોર ! (બનવાનું તેના પડઘા પહેલેથી પડે.) પ્રશ્નકર્તા : આ ચિંતા થઈ જાય એનું પ્રતિક્રમણ કેવી રીતે કરવાનું ?
દાદાશ્રી : આ મારા અહંકાર લઈને આ ચિંતા થાય છે. હું કંઈ આનો કર્તા ઓછો છું ? એટલે દાદા ભગવાન ક્ષમા કરો. એનું કંઈક તો કરવું પડેને ? ચાલે કશું ?
પ્રશ્નકર્તા : આપણે બહુ ઠંડી પડી, બહુ ઠંડી પડી કહીએ તો એ કુદરતની વિરુદ્ધ બોલ્યા તો તેનું પ્રતિક્રમણ કરવાનું ?
દાદાશ્રી : ના, પ્રતિક્રમણ તો જ્યાં રાગ-દ્વેષ થતો હોય, ‘ફાઈલ’ હોય ત્યાં કરવાનું. કઢી ખારી હોય તેનું પ્રતિક્રમણ નહીં કરવાનું. પણ જેણે ખારી કરી તેનું પ્રતિક્રમણ કરવાનું. પ્રતિક્રમણથી સામાની પરિણતિ ફરે છે.
પેશાબ કરવા ગયો ત્યાં એક કીડી તણાઈ ગઈ તો અમે પ્રતિક્રમણ કરીએ, ઉપયોગ ના ચૂકીએ. તણાઈ એ ‘ડિસ્ચાર્જ’ રૂપે છે પણ તે વખતે અપ્રતિક્રમણ દોષ કેમ થયો ? જાગૃતિ કેમ મંદ થઈ ? તેનો દોષ લાગે.