SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦) જાગૃતિ, વાણી વહે ત્યારે... દાદાશ્રી : એનો વિચાર આપણે નહીં કરવાનો. આપણે તો ચંદુભાઈને કહેવું કે પ્રતિક્રમણ કરો. બસ એટલું જ કહેવું. આ ‘અક્રમ વિજ્ઞાન’ છે. તેથી પ્રતિક્રમણ મૂકવું પડ્યું છે. આ જન્મમાં જ વાણી સુધરે ૩૪૫ પ્રશ્નકર્તા ઃ પ્રતિક્રમણ કર્યા પછી અમારી વાણી બહુ જ સરસ થઈ જશે, આ જન્મમાં જ ? દાદાશ્રી : ત્યાર પછી તો ઓર જ જાતનું હશે ! અમારી વાણી છેલ્લામાં છેલ્લી ઢબની નીકળે છે એનું કારણ જ પ્રતિક્રમણ છે અને નિર્વિવાદી છે એનું કારણ પણ પ્રતિક્રમણ જ છે. નહીં તો વિવાદ જ હોય. બધે જ વિવાદી વાણી હોય. વ્યવહારશુદ્ધિ વગર સ્યાદ્વાદ વાણી નીકળે નહીં. વ્યવહારશુદ્ધિ પહેલી હોવી જોઈએ. ܀ ܀ ܀ ܀ ܀ [૨૧] છૂટે પ્રકૃતિ દોષો આમ અંતરાય, પૂર્વતી ભૂલતા પરિણામે પ્રશ્નકર્તા : લક્ષ જ્યારે ચૂકાય ત્યારે આપણી ભૂલ સમજવી કે અંતરાય સમજવા ? દાદાશ્રી : ભૂલ તો એવું છેને કે અંતરાય આવ્યા તે ઊભા કરેલા છે. એટલે બધી ભૂલો આપણી જ કહેવાય છે. અંતરાય કેમ આવ્યા ? હવે એ અંતરાય ધીમે ધીમે ઓછા થઈ જશે. એટલે ભૂલનો ખેદ કરવા જેવું નથી. પ્રશ્નકર્તા : અંતરાય આપણી ભૂલોનાં પરિણામ છે ? દાદાશ્રી : પહેલાં ભૂલો કરેલી તેનાં આ બધાં પરિણામ છે. તે તો અંતરાયથી જ ભોગવવાં પડે ને ? પ્રશ્નકર્તા : પછી તેનો ખેદ ના કરવો ને ? દાદાશ્રી : ના, ના. અફસોસ કોણ કરનારા ? આત્મામાં અફસોસનો ગુણ જ નથી ને ! જાગૃતિ વધારે રાખવી જરા, તે ઘડીએ શુદ્ધાત્મા, શુદ્ધાત્મા બોલીએ એટલે જાગૃતિ આવી જાય. પ્રશ્નકર્તા : ખેદને બદલે પ્રતિક્રમણ ઘટે ? દાદાશ્રી : એટલાં બધાં પ્રતિક્રમણ ના થાય માણસને. બધાનું ગજું નહીં ને. બધા તો વ્યવહારથી કરે એટલું જ બહુ થઈ ગયું. બહુ પ્રતિક્રમણ ના થાય. આખો દહાડો કામકાજ બધાં જાતજાતનાં હોય.
SR No.008868
Book TitlePratikramana Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2008
Total Pages307
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size79 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy