________________
(૨) જાગૃતિ, વાણી વહે ત્યારે...
૩૩૫
૩૩૬
પ્રતિક્રમણ
આવે છે, એનો દોષ લાગતો નથી. અને દેહ માટે જે કંઈ પણ કરવામાં આવે છે, ખોટું કરવામાં આવે તો દોષ લાગે અને સારું કરવામાં આવે તો ગુણ લાગે. આત્માને માટે જે કંઈ પણ કરવામાં આવે તેનો વાંધો નથી. એ આત્માને પરમાર્થ કહો છો ને ? હા, આત્મહેતુ હોયને, એનાં જે જે કાર્ય હોય, તેમાં કોઈ દોષ નથી, સામાને આપણા નિમિત્તે દુઃખ પડે તો એ દોષ લાગે !
વ્યવહાર માત્ર ફરજિયાત પ્રશ્નકર્તા : આપણે સામાને કંઈક કહીએ, આપણા મનમાં અંદર કશું હોય નહીં તે છતાં આપણે એને કહીએ, તો એને એમ લાગે કે આ બરાબર નથી કહેતાં, ખોટું છે', તો એને અતિક્રમણ કહેવાય ?
દાદાશ્રી : પણ એને દુઃખ થતું હોય તો આપણે પ્રતિક્રમણ કરી લેવું. આપણને શું એમાં મહેનત જવાની છે ? કોઈકને દુ:ખ કરીને આપણે સુખી થઈએ નહીં.
પ્રશ્નકર્તા : વ્યવહારમાં કેટલીક વખત આવું કહેવું, કરવું પડે છે. નહીં તો લેથજીપણું (આળસ) આવી જાય છે ને સામી વ્યક્તિને લેથજીપણું આવે.
દાદાશ્રી : વ્યવહારમાં આ કરો ખરા, પણ આપણે પ્રતિક્રમણ કરી લેવું. વ્યવહાર તો કરવો જ પડે, છૂટકો જ નહીંને, ફરજિયાત છે, ફરજિયાત વ્યવહાર છે. આખા જગત મરજિયાત વ્યવહાર માન્યો છે. આ અક્રમ વિજ્ઞાને ખુલ્લું કર્યું કે “ધીસ ઈઝ (આ છે) ફરજિયાત વ્યવહાર'. અને “આપણે” જ એમ કહ્યું કે “ઈટ હેપન્સ’ (થઈ રહ્યું છે)
પ્રશ્નકર્તા : એટલે કોઈ પણ હિસાબે એને દુઃખ થાય તો એનું સમાધાન આપણે કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
દાદાશ્રી : એને દુઃખ થાય તો સમાધાન તો અવશ્ય કરવું જોઈએ. એ આપણી ‘રિસ્પોન્સિબિલિટી’ (જવાબદારી) છે. હા, દુ:ખ ના થાય એના માટે તો આપણી લાઈફ (જિંદગી) છે.
હવે ભવિષ્યમાં નહીં કરીએ. પણ જૂનાં જે થઈ ગયેલાં છે, એનો ઉપાય તો કરવો જ પડશેને ?
પ્રશ્નકર્તા : પછી ધારો કે એ છતાંય સામાને સમાધાન ના થતું હોય, તો પછી પોતાની જવાબદારી કેટલી ?
દાદાશ્રી : રૂબરૂમાં જઈને જો આંખથી થતું હોય તો આંખ નરમ દેખાડવી. છતાંય આમ માફી માંગતા ઉપર ટપલી મારે તો, સમજી જવું કે આ કમજાત છે. છતાં નિકાલ કરવાનો છે. માફી માગતાં જો ઉપર ટપલી મારે તે જાણવું કે આની જોડે ભૂલ તો થઈ છે પણ છે માણસ કમજાત, માટે નમવાનું બંધ કરી દો.
હેતુ સોતાતો, પણ દેખાવમાં ભૂલ તારાથી લોકો દુભાય છે કે ? પ્રશ્નકર્તા : દુભાય છે. દાદાશ્રી : પછી તરત ખબર પડી જાય છે ? પ્રશ્નકર્તા : તરત ખબર પડે. દાદાશ્રી : એમ કે ? ત્યારે શું કરું તે પછી ? પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરું છું.
દાદાશ્રી : વત્યા પછી પ્રતિક્રમણ કરી લઈએ તો શું વાંધો ? હેતુ સારો છેને, બસ એટલું જ તો જોઈએ.
પ્રશ્નકર્તા : હેતુ સારો છે તો પછી પ્રતિક્રમણ કેમ કરવાનું ?
પ્રશ્નકર્તા : એ પ્રતિક્રમણની અસર ના થાય તો એનું કારણ આપણે પૂરા ભાવથી નથી કર્યું કે સામી વ્યક્તિનાં આવરણ છે ?
દાદાશ્રી : સામી વ્યક્તિનું આપણે નહીં જોવાનું. એ તો ગાંડોય હોય. આપણા નિમિત્તે એને દુઃખ ના થવું જોઈએ, બસ !