________________
(૨) જાગૃતિ, વાણી વહે ત્યારે...
૩૩૩
૩૩૪
પ્રતિક્રમણ
તો તે વખતે અમે આ વાક્યનો આધાર લઈએ તો અમને અવળું લાયસન્સ મળી જાય છે ?
દાદાશ્રી : આ વાક્યનો આધાર લેવાય જ નહીંને ! તે વખતે તો તમને પ્રતિક્રમણનો આધાર આપેલો છે. સામાને દુઃખ થાય એવું બોલાયું હોય તો પ્રતિક્રમણ કરી લેવું.
અને સામો ગમે તે બોલે, ત્યારે વાણી પર છે ને પરાધીન છે, એનો સ્વીકાર કર્યો એટલે તમારે સામાનું દુ:ખ રહ્યું જ નહીંને !
હવે તમે પોતે અવળું બોલો, પછી તેનું પ્રતિક્રમણ કરો એટલે તમારા બોલનું તમને દુઃખ ના રહ્યું. એટલે આ રીતે બધો ઉકેલ આવી જાય છે. વાણીથી જેવું કંઈ બોલાય છે તેના આપણે ‘જ્ઞાતા-દ્રષ્ટા'. પણ જેને એ દુઃખ પહોંચાડે તેનું પ્રતિક્રમણ આપણે બોલનાર પાસે કરાવવું પડે.
ઈચ્છા નથી છતાં થઈ જાય પ્રશ્નકર્તા ઃ આપણે મનથી એમ ઇચ્છીએ કે આની જોડે નથી બોલવું નથી કંઈ કજીયો કરવો, નથી ઝઘડવું અને છતાંય કાંઈક એવું થાય છે કે, પાછું એ ઝઘડાઈ જ જવાય છે, બોલાઈ જ જવાય છે, કલેશ થઈ જાય છે, બધું જ થઈ જાય છે. ત્યારે શું કરું કે આ બધું અટકે.
કરવાનો ભારેય થાય અને ઊંધું થાય ખરું. આ ઊંધું કરવાનો ભાવ ન થાય અને ઊંધું થઈ જાય, તો આપણે જાણવું કે હવે આનો નક્કી અંત આવવાનો થઈ ગયો. એના ઉપરથી અંત ખબર પડે. એટલે ‘કમીંગ ઇવેન્ટ્સ કાસ્ટસ્ ધર શેડોઝ બીફોર (બનવાનું હોય તેના પડઘા પડે પહેલેથી).
ટકોર થઈ જાય, તેનું શું ? પ્રશ્નકર્તા : આપે વાણી પરસત્તા કહી, વાણી પરાધીન છે કહ્યું. તો આપણે નિશ્ચય કરીએ કે આની જોડે ખરાબ બોલવું જ નથી આપણે. ભલે ગમે એટલી ચીકણી ફાઈલ હોય, તો એ કોડ નાનો થઈ જાય ખરો ?
દાદાશ્રી : એ તો આપણે એમને એમ કહેવું, ખરાબ બોલાય ત્યારે કે “ચંદુભાઈ, પ્રતિક્રમણ કરો અને પછી ‘ચંદુભાઈને શું કહેવું કે, ‘હવે ફરી આવું ખરાબ નહીં બોલો.” એટલે એમ કરતાં કરતાં રાગે આવી જશે. પણ કહેવું તો પડે જ. ટકોર ના કરીએ ત્યારે તો અભિપ્રાય એક થઈ ગયો ! અભિપ્રાય જુદો જ રહેવો જોઈએ.
પ્રશ્નકર્તા : ઘણી વખત એવું થાય છે કે આપણે ટકોર કરીએ તો ફરી પાછું સુધરી જાય છે. પછી ફરી પાછી આવી ભૂલ થતી નથી. અને ઘણી વખત ગમે એટલા સ્ટ્રોંગ નિશ્ચયથી પોતે ટકોર કરે, પ્રત્યાખ્યાન કરે, તોય પાછી એવી ભૂલ થાય જ છે.
દાદાશ્રી : થાય છે, એમાં પૂર્વકર્મનો દોષ છે. આપણી જ નબળાઈ છેને પહેલાંની ! આમાં બહારનાનો કોઈનો હાથ જ નથી ! આપણે જ નિવારણ લાવવું પડશેને ?
આત્માર્થે જૂઠું તે જ મહાસત્ય પ્રશ્નકર્તા : પરમાર્થના કામ માટે થોડું જૂઠું બોલે તો તેનો દોષ લાગે ?
દાદાશ્રી : પરમાર્થ એટલે આત્માને માટે જે કંઈ પણ કરવાનું
દાદાશ્રી : એ છેલ્લાં સ્ટેપ્સ પર છે. એ રસ્તો પૂરો થવા આવ્યો હોયને, ત્યારે આપણને ભાવ હોય નહીં છતાંય ખોટું થાય, તો આપણે ત્યાં શું કરવાનું કે પશ્ચાત્તાપ લઈએ તો ભૂંસાઈ જાય બસ. ખોટું થાય તો આટલો જ ઉપાય, બીજો કોઈ ઉપાય નથી. તેય જ્યારે પૂરો થવાનો આવ્યો હોય ત્યારે મહીં ખરાબ કરવાનો ભાવ હોય નહીં ને ખરાબ થાય. એ કાર્ય પૂરું થવાનું આવ્યું ત્યારે. નહીં તો અધુરું હોય તો મહીં ભાવેય થાય અને એ કાર્યય થાય, બેઉ થાય. એ કાર્ય હજુ અધૂરું હોય, હજુ કામ બાકી હોય, કરવાનું હોય તો ભાવેય થાય, આપણને ઊંધું