________________
૨૭૮
પ્રતિક્રમણ
(૧૫) ભાવઅહિંસાની વાટે
૨૭૭ છે ને. એટલે બધું આમ સાંભરે તો ખરું, દરરોજેય દેખાય.
દાદાશ્રી : પ્રતિક્રમણ કરીને હલકું કરી નાખો. તે ઘડીએ કોઈને પૂછીને કરવું હતું ને.
પ્રશ્નકર્તા : પણ બીજું કોઈ મળ્યું જ નહીં ને ? દાદાશ્રી : ઘરમાં પૂછવું હતું, ગામવાળાને પૂછવું હતું. પ્રશ્નકર્તા : ઘરમાં તો અમારી મારવાની વિધિ ચાલુ જ હતી. દાદાશ્રી : એમ ? બેઉ જણ સાથે જ ? પ્રશ્નકર્તા : એય એની રીતે મારે અને હું મારું મારી રીતે. દાદાશ્રી : રોજ બસ્સો-પાંચસો મારી નાખો, નહીં ?
પ્રશ્નકર્તા : હા, જેટલા હોય એટલા મારી નાખીએ, દાદા મળ્યા પછી નથી માર્યા.
દાદાશ્રી : મારી નાખવાનો તો વિચારેય ના કરવો. કોઈ પણ વસ્તુ ના ફાવે તો બહાર મૂકી આવવી. તીર્થકરોએ “માર’ શબ્દ હ૩ કાઢી નખાવેલો. “માર' શબ્દય ના બોલશો, કહે છે. “માર’ એય જોખમવાળો શબ્દ છે, એટલું બધું અહિંસાવાળું, એટલા બધા પરમાણુ અહિંસક હોવા જોઈએ !
પ્રશ્નકર્તા : નહીં તો ભાવમાં ફેરફાર થઈ જાય ?
દાદાશ્રી : હા, કિંચિત્માત્ર કોઈને દુઃખ ના થાય. કારણ કે કોઈ આ દુનિયામાં દોષિત છે જ નહીં.
હિસા, દ્રવ્ય તે ભાવતી પ્રશ્નકર્તા : ભાવહિંસા અને દ્રવ્યહિંસાનું ફળ એક જ પ્રકારનું આવે ?
દાદાશ્રી : ભાવહિંસાનો બીજાને ફોટો પડે નહીં અને (પેલા)
સિનેમાની પેઠે (આ) જે સિનેમા ચાલે છે ને, તેને આપણે જોઈએ છીએ, એ બધી દ્રવ્યહિંસા છે. ભાવહિંસામાં આવું સૂક્ષ્મ (દેખાય નહીં એવું) વર્તે અને દ્રવ્યહિંસા તો પ્રત્યક્ષ દેખાય. મન-વચન-કાયાથી જે જગતમાં દેખાય છે, એ દ્રવ્યહિંસા છે. તમે કહો કે જીવોને બચાવવા જેવા છે (ભાવઅહિંસા). પછી બચે કે ના બચે (દ્રવ્યઅહિંસા), તેના જોખમદાર તમે નહીં. તમે કહો કે, આ જીવોને બચાવવા જેવા છે, તમારે એટલું જ કરવાનું. પછી હિંસા થઈ ગઈ, તેના જોખમદાર તમે નહીં ! હિંસા થઈ એનો પસ્તાવો, એનું પ્રતિક્રમણ કરવાનું એટલે જોખમદારી બધી તૂટી ગઈ.
- ખેડૂતો માટે સ્પેશિયલ પ્રતિક્રમણ પ્રશ્નકર્તા : આપની ચોપડીમાં વાંચ્યું કે “મન-વચન-કાયાથી કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ના હો” એવું વાંચ્યું, પણ એક બાજુ અમે ખેડૂત રહ્યા, તે તમાકુનો પાક પકવીએ ત્યારે અમારે ઉપરથી દરેક છોડની કૂંપળ, એટલે એની ડોક તોડી જ નાખવી પડે. તો આનાથી એને દુઃખ તો થયું ને ? એનું પાપ તો થાય જ ને ? આવું લાખો છોડવાઓનું ડોકું કચડી નાખીએ છીએ. તો આ પાપનું નિવારણ કેવી રીતના કરવું ?
દાદાશ્રી : એ તો મહીં મનમાં એમ થવું જોઈએ કે બળ્યો, આ ધંધો કંઈથી ભાગે આવ્યો ? બસ એટલું જ. છોડવાની કૂંપળ કાઢી નાખવાની. પણ મનમાં આ ધંધો ક્યાંથી ભાગમાં આવ્યો, એવો પશ્ચાત્તાપ થવો જોઈએ. આવું ના કરવું જોઈએ એવું મનમાં થવું જોઈએ, બસ.
પ્રશ્નકર્તા : પણ આ પાપ તો થવાનું જ ને ?
દાદાશ્રી : એ તો છે જ. એ જોવાનું નહીં, એ તમારે જોવાનું નહીં. થયા કરે છે એ પાપ જોવાનું નહીં. આ નહીં થવું જોઈએ એવું તમારે નક્કી કરવાનું, નિશ્ચય કરવો જોઈએ. આ ધંધો ક્યાં મળ્યો ? બીજો સારો મળ્યો હોત તો. આપણે આવું કરત નહીં. પેલો પશ્ચાત્તાપ ના થાય. આ ના જાણ્યું હોય ને ત્યાં સુધી પશ્ચાત્તાપ ના થાય. ખુશી