________________
(૧૩) વિમુક્તિ, આર્ત-રૌદ્ર ધ્યાન થકી
૨૪૧
૨૪૨
પ્રતિક્રમણ
છે. ચંદુભાઈને એક માણસ સો માણસોની રૂબરૂમાં ચાર ગાળ ભાંડી ગયો, હવે કર્મના ઉદયે એ ભાંડી ગયો. એટલે આપણે જાણીએ કે, આ મારા કર્મના ઉદયે છે, અને એ નિમિત્ત બન્યો છે. એટલે આપણે મનમાં શું કરવું જોઈએ. એના માટે ભાવ બગાડવો નહીં. પણ એનું સારું થજો. એ કર્મમાંથી મને મુક્ત કર્યો. આ કર્મમાંથી છોડાવ્યો.
ચાર ગાળો ખાઈને પણ છૂટા થઈ ગયા ને, એટલે હલકા થઈ ગયા ને. હવે છૂટા થતી વખતે બીજ અવળાં ના પડે એટલું જ જોવાનું.
લોકો ચાર ગાળો ખાય છે ખરા, પણ બીજ અવળાં નાખે છે. પછી પાંચ ગાળ એને ભાંડે. અલ્યા, ચાર તો સહન થતી નથી. પણ પાછી પાંચ ધીરી ! આ ચાર જમે કરી દે ને ! તારે જો સહન ના થતી હોય તો પાછી ફરી ધીરી છે શું કરવા ?
આવી રીતે ભટક-ભટક કર્યા જ કરે છે. વગર કામના ગુનામાં એ આવી જાય છે. કોઈની માટે ભાવ બગાડશો નહીં અને બગડે તો સુધારી લેજો તરત ને તરત. પણ આમાંથી આપણે કેમ કામ કાઢી લેવું. મોક્ષે જવું હોય તો, એ કળા શીખી લો. એ જ્ઞાની પુરુષ કળા શીખવાડે કે આવી રીતે નીકળી જજો.
એનાથી તહીં નવા ભાવ દાદાશ્રી : શું કહે છે ? અત્યારે મૂઆ ક્યાંથી ?” શું હેલ્પ(મદદ) કરે એને ?
પ્રશ્નકર્તા: ના, કશું હેલ્પ ના કરે. ઊલટું હેરાન કરે. દાદાશ્રી : ઊલટો એનો આવતો ભવ બગાડ્યો.
પ્રશ્નકર્તા : પણ દાદા, એ જ વખતે પ્રતિક્રમણ ને પસ્તાવો કરે તો ? મહાત્માએ પ્રતિક્રમણ કર્યું. એટલે ભાવ ફેરવ્યો, તો પણ બીજા નવા ભાવ તો રહ્યા જ ને ? ખરાબ ભાવમાંથી સારા ભાવ કર્યા એટલે ભાવકર્મ પાછું એને તો રહેવાનું જ ને ? જ્યાં સુધી કેવળજ્ઞાન ના થાય ત્યાં સુધી ?!
દાદાશ્રી : પ્રતિક્રમણ કરવાથી ખરાબમાંથી સારા ભાવ આવે નહીં. પ્રતિક્રમણ તો પેલું ધૂએ છે. ભઈ, આ અતિક્રમણ કર્યું માટે હું પ્રતિક્રમણ કરું છું અને ફરીથી એવું નહીં કરું.
પ્રારબ્ધફળ અને કર્મબંધ હું છે તે ચંદુલાલ છું ત્યારે કર્મ બંધાય છે. હવે તમને ‘હું શુદ્ધાત્મા છું' લક્ષ બેઠું એટલે છે તે બધાં પ્રારબ્ધકર્મ રહ્યાં હવે, ખાઓ છો, પીઓ છો, બધુંય, રાત્રે સૂઈ જાવ છો. એ બધુંય કરો.
પ્રશ્નકર્તા : તો આપે એવું કહેલું કે, દેવતા છે, એ દેવતાને અડીએ તો દઝાવાય તો ખરું ને ? આપણે દેવતાનું જ્ઞાન છે કે, આમાં અહીં દઝાવાય એવું છે, છતાં જો અડી જવાય તો દઝાવાય તો ખરું ને ? તો એ ફળ આપે કે ના આપે ? એ ફળ આપ્યું કહેવાય ને ?
દાદાશ્રી : ના, એ તો પ્રારબ્ધ ફળ કહેવાય. આ અજ્ઞાની માણસ હું જ છું, એ માન્યતાથી કર્મ બંધાય છે. એ માન્યતા છૂટી ગઈ એટલે કર્મબંધ છૂટી ગયાં.
પ્રશ્નકર્તા : એટલે દાદા, જ્ઞાનથી વાત બરાબર છે, પણ જ્યારે એ કાર્ય કરતો હોય છે, મનમાં ખરાબ વિચાર આવતો હોય તો પછી પ્રતિક્રમણ કરવું પડે?
દાદાશ્રી : આપણે નહીં કરવાનું. ‘એની’ પાસે કરાવડાવાનું. જવાબદારી તો ભૂંસી નાખવી પડે ને ? પ્રતિક્રમણ કરીએ એટલે જવાબદારી ભૂંસી નાખીએ. ચંદુભાઈએ અતિક્રમણ કેમ કર્યું માટે પ્રતિક્રમણ ‘કર’ કહ્યું. એ જવાબદારી આપણે ભૂંસી નાખવી.
પ્રશ્નકર્તા : અને પ્રતિક્રમણ ના થાય તો જોખમદારી ખરી ?
દાદાશ્રી : એટલું બાકી રહ્યું ફરી પ્રતિક્રમણ કરવાનું. એના કરતાં પ્રતિક્રમણ કરી નાખવું ઊલટું સારું ને ? અતિક્રમણ કેમ કર્યું ? માટે પ્રતિક્રમણ કર.” બાકી આ જ્ઞાન મળ્યા પછી પ્રારબ્ધકર્મ એકલું જ ભોગવવાનું રહ્યું.