________________
૨૨૬
પ્રતિક્રમણ
(૧૩) વિમુક્તિ, આર્ત-રૌદ્ર ધ્યાન થકી
૨૨૫ છે ? હવે આર્તધ્યાન કર્યું, તે માટે પસ્તાવો કરો, પ્રતિક્રમણ કરો.’ એટલે ધર્મધ્યાન થઈ ગયું.
પ્રશ્નકર્તા: ‘આપણે’ પોતે છૂટા રહીને પ્રતિક્રમણ કરાવડાવીએ તો એ શું થયું કહેવાય ?
દાદાશ્રી : એવું છે ને, આપણે શુદ્ધાત્મા થયા, પણ આ પુલનો છૂટકારો થવો જોઈશે ને ? એટલે જ્યાં સુધી એની પાસે પ્રતિક્રમણ નહીં કરાવો, ત્યાં સુધી છૂટકારો નહીં થાય. એટલે જ્યાં સુધી પુદ્ગલને ધર્મધ્યાનમાં નહીં રાખો ત્યાં સુધી છૂટકારો નહીં થાય. કારણ કે પુદ્ગલને શુક્લધ્યાન થાય નહીં. માટે પુગલને ધર્મધ્યાનમાં રાખો. એટલે પ્રતિક્રમણ કરાવ કરાવ કરવાં. જેટલી વખત આર્તધ્યાન થાય, એટલી વખત પ્રતિક્રમણ કરાવવું.
આર્તધ્યાન થવાનું એ પૂર્વની અજ્ઞાનતા છે. એટલે થઈ જાય તો ‘આપણે' એની પાસે પ્રતિક્રમણ કરાવવું.
ત ખસે શુક્લધ્યાત કદી પ્રશ્નકર્તા : શુક્લધ્યાનમાંથી પતન થઈ આર્તધ્યાન, રૌદ્રધ્યાનમાં અવાય છે, તેથી ત્યાં પ્રતિક્રમણ એને કરવું પડે છે ?
દાદાશ્રી : એ બધી વાત ખરી, પણ વસ્તુસ્થિતિમાં પ્રતિક્રમણ ‘પોતાને’ કરવાનું નથી. શુક્લધ્યાન ખસતું જ નથી. આ તો સંજોગવશાત્ સંજોગોથી કામ લેવાનું છે. ‘પોતે’ પ્રતિક્રમણ કરે ત્યારે શુક્લધ્યાન ઊડી જાયને ?
પ્રશ્નકર્તા : રૌદ્રધ્યાન ને આર્તધ્યાન જે ‘ડિસ્ચાર્જ સ્વરૂપમાં થઈ જાય તો તેનું ‘ઓન ધી મોમેન્ટ’ (તત્સણ) પાછું પ્રતિક્રમણ કરી લે.
દાદાશ્રી : રૌદ્રધ્યાન ને આર્તધ્યાન ચોપડે ઉધાર ના થવું જોઈએ.
અને તમેય તે પદમાં, શુક્લધ્યાન ને ધર્મધ્યાન પદમાં છો, ફક્ત તમારે પ્રતિક્રમણ કરવું પડે એટલું જ. બીજું કશું નહીં ને વધારે. અમારા
જેટલા સંસારી લાભો ના પ્રાપ્ત થાય તમને. પણ તમે એવા જ પદમાં બેઠેલા છોને !
રૌદ્રધ્યાન ને એ બધું થઈ જ જાય, સ્વભાવિક રીતે થઈ જાય, પણ એનું પ્રતિક્રમણ તરત હોવું જોઈએ.
અહીં આવ્યો તે ફસાયો આપણે તો કશું કરવાનું નહીંને, તમે તો શુદ્ધાત્મા થઈ ગયા, તમારે ચંદુભાઈને કહેવાનું, પ્રતિક્રમણ કરો. અતિક્રમણ કેમ કર્યું ? શું કહેવાનું આપણે ? ‘તમે અતિક્રમણ કર્યું માટે પ્રતિક્રમણ કરો’ આવું કંઈક કોઈને દાન આપ્યું હોય, તેનું પ્રતિક્રમણ આપણે કરવાની જરૂર નથી. કારણ કે અહીં ધર્મધ્યાન સાથેનું છે. આ વિજ્ઞાન.
અતિક્રમણનું પ્રતિક્રમણ કરવાનું છે. આ વિજ્ઞાન એકલું શુક્લધ્યાન નથી. મોક્ષે સીધો જઈ શકે એમ નથી, એકાવતારી થઈ શકે એમ છે, કો'ક બે અવતારી, કોઈ ત્રણ અવતારી થઈ શકે એમ છે. કોઈ લોભિયા હોય તો પંદર પૂરા કરે. એ કહેશે, કે ભઈ, હવે ફરી આવવાનો નહીં, એના કરતાં અતિક્રમણ કરી લો ને !
એટલે અમારા ભાગીદાર એવા હતા કે, એમને કહેતો હતો કે, તમે પંદર અવતાર પૂરા કરશો ? ત્યારે કહે છે, એવું તમને લાગે છે? મેં કહ્યું, હા. તમારા લોભ તો આ ફરી અહીં આવવાનું નથી ત્યારે હવે પંદર અવતાર પૂરા કરી જ લો ને ! પણ પંદરથી બહાર ના થાય ને પછી.
બહુ લોભિયા હોય તો, અંદરથી બહાર થાય નહીં ને ! એ તો અટકણમાં આવી ગયો હવે. માટે જો હજુ સંસાર ભોગવવાની, ભૌતિક સુખોની ઇચ્છા જ છે, તે થયા કરતી હોય, અને પાંચ-છ હજાર અવતાર ભોગવવા હોય, તો દાદાને ભેગો ના થઈશ, અને ભેગો થયો તો, જ્ઞાન ના લઈશ. નહીં તો પછી તું નક્કી કરીશ કે મારે હવે છૂટવું છે તોય નહીં છૂટાય, મોક્ષે જવું જ પડશે. એવો કોઈ મૂર્ખ હોય નહીં.