________________
(૧૩) વિમુક્તિ, આર્ત-રૌદ્ર ધ્યાન થકી
૨૨૧
૨૨૨
પ્રતિક્રમણ
દાદાશ્રી : એની અસર પડે, રૌદ્રધ્યાન જ કહેવાય. એને અસર પડે, કેમ પડે નહીં ? એ તો તમને એમ લાગે છે, એને ખબર નથી પડતી. એને અસર તો બધી જગ્યાએ થયા વગર રહે જ નહીં. એને પોતાનેય ખબર ના પડે.
આર્ત-રૌદ્રધ્યાનમાંથી ધર્મધ્યાન પ્રશ્નકર્તા : ઘણીવાર એવું બને કે, આપણે આર્તધ્યાનમાં ને રૌદ્રધ્યાનમાં ઊંડા ને ઊંડા ઘુસતા જઈએ છીએ, અને છતાં આપણે જાણતા નથી, તો એ કેમ જાણી શકાય ?
આવ્યો છે. ઇન્કમટેક્ષવાળો શું કરશે ? ભવિષ્યના વિચાર કરતાં જે ભય લાગે તે વખતે આર્તધ્યાન થયેલું હોય તો જ ભય લાગે. ભવિષ્યના વિચાર કરતાં જો ભય લાગે તો જાણવું કે આર્તધ્યાન થયું છે.
આર્તધ્યાનમાં પોતે પોતાની ઉપાધિ કર્યા કરે કે આમ થશે તો શું થશે ? આમ થશે તો શું થશે ? એવો ભડકાટ લાગ્યા કરે.
રૌદ્રધ્યાતથી બીજાને અસર રૌદ્રધ્યાન તો આપણે બીજાને માટે કલ્પના કરીએ કે આણે મારું નુકસાન કર્યું. એ બધું રૌદ્રધ્યાન કહેવાય.
અને બીજાના નિમિત્તે વિચાર કરે, બીજાને કંઈપણ નુકસાન થાય એવો વિચાર આવ્યો, તો એ રોદ્રધ્યાન થયું કહેવાય. મનમાં વિચાર આવ્યો કે, કાપડ ખેંચીને આપજો. તે ખેંચીને આપજો કહ્યું, ત્યારથી જ ઘરાકોના હાથમાં કાપડ ઓછું જશે. એવી કલ્પના કરી અને તેના વધારે પૈસા પોતે પડાવી લેશે, એવી કલ્પના કરી, એ રૌદ્રધ્યાન કહેવાય. બીજાનું નુકસાન કરે એ ધ્યાન રૌદ્રધ્યાન કહેવાય.
પ્રશ્નકર્તા : રૌદ્રધ્યાનમાં આપણા થકી બીજાને દુઃખ થાય, એટલે રૌદ્રધ્યાન થયુંને ?
દાદાશ્રી : હા. એ દુ:ખ થાય કે ના થાય પણ આપણે એમને કહીએ કે આ બધા નાલાયક છે, લુચ્ચા છે, ચોર છે એ બધું રૌદ્રધ્યાન જ કહેવાય.
ખરેખર જગતમાં કોઈ દોષિત છે જ નહીં. દોષિત લાગે છે તે આપણી ગેરસમજણથી લાગે છે.
પ્રશ્નકર્તા : રૌદ્રધ્યાન તો મને થાય છે. એ બીજાની ભૂલ હું જોઉં છું. એમાં બીજાને શું દુઃખ થાય ? હું એને દોષિત ગણું તો એને દુઃખ ક્યાં થાય છે ? સામા માણસને તો એને ખબર પડતી નથી તો એ રૌદ્રધ્યાન કહેવાય કે નહીં ?
દાદાશ્રી : એ તો દુ:ખ થાય એટલે આર્તધ્યાન થયું એ જ છે ને ! અને રૌદ્રધ્યાનમાં બળતરાનું દુઃખ થાય, વધારે પડતું દુઃખ થાય. એ આર્તધ્યાન-રૌદ્રધ્યાન બધું માણસને દુઃખદાયી છે. એ અશાતાવેદનીય જ છે બધી.
પ્રશ્નકર્તા : એ પણ ક્ષણે-ક્ષણે થયા કરે છે. એમાંથી મુક્ત થવા માટે શું કરવું ?
દાદાશ્રી : એ જોયા કરવું આપણે કે આ ખરેખર એ કંઈ દોષિત છે નહીં, આ તો મારા કર્મના ઉદયે મને દેખાય છે. પણ એ વાત ખરેખર એવું નથી. એટલે એ દોષિત દેખાય તો નિર્દોષ છે. એવું કર્યા કરવું અને પ્રતિક્રમણ કરવાનું.
આપણને કોઈ માણસને માટે ખરાબ વિચાર આવ્યા, એટલે આપણે હિસાબ કાઢવો કે ભઈ, આ મારા જ કર્મના ઉદય છે, એમાં આનો શો દોષ બિચારાનો. એ મારા કર્મનો ઉદય છે. એટલે એ દોષિત દેખાતો બંધ થઈ જાય. અને તો એ ધર્મધ્યાન કહેવાય. અને આ રૌદ્રધ્યાન થવાનું હતું, ત્યાં જ ધર્મધ્યાન થયું. અને તે અંદર બહુ આનંદ આપે. મારા જ કર્મના ઉદયે એ દોષિત દેખાય છે. એ તો નિમિત્ત માત્ર છે. અત્યારે સામો ખરેખર દોષિત હોતો જ નથી. તે નિમિત્ત જ હોય