________________
શારીરિક થાય વેદનાને, માત્ર જુદું “જો” ને “જાણ;
અહિંસક ભાવ, જુદાપણું, નહીં આર્ત ને રૌદ્રધ્યાન ! કર્મ બંધાય અતિક્રમણે, નહીં કે બંધ અતિચારે; નથી અડ્યું “અંબાલાલ'ને, વેદનીય ક્ષણ, ‘વિજ્ઞાને' !
આર્ત ને રૌદ્રધ્યાન, ક્ષણે ક્ષણે પજવે;
આર્તધ્યાનનું ફળ તિર્યંચ, રૌદ્રથી જાય નરકે ! પોતે પોતાને જ પડે, અગ્રશોચ એ આર્તધ્યાન; ગોળી અન્યને વાગે નહીં, પત્નીને ન જાણ !
ગોળી લગાવે અન્યને, પરને દુઃખ વિચારેય;
રૌદ્રધ્યાન તેને કહીએ, અસર પહોંચી કોઈનેય ! આર્તધ્યાન-રૌદ્રધ્યાન, વિચાર થતાં ફેરવે; મારા કર્મનો ઉદય છે, સામાને નિમિત્ત દેખે !
એને કહ્યું છે ધર્મધ્યાન, જગ નિર્દોષ દેખે;
પ્રતિક્રમણ કરી ધોઈ લે, ધર્મધ્યાન જ્ઞાની લેખે ! એક ફેર પસ્તાવો કરે તો, રૌદ્રનું થાય આર્ત; ફરી એનાં જ પ્રતિક્રમણ, આર્તનું થાય ધર્મ !
તમે થયા શુદ્ધાત્મા, પુદ્ગલ કરે આર્ત-રૌદ્ર;
પુદ્ગલ કરે પ્રતિક્રમણ, રહે ત્યાં ધ્યાન-ધર્મ ! શુદ્ધાત્માનું શુક્લધ્યાન, ધર્મધ્યાન છે પુદ્ગલનું; એમ થાય ત્યારે અંત, શુદ્ધ વિશ્રસા પરમાણું !
અક્રમ જ્ઞાનમાં કદિ, થાય ન આર્ત-રૌદ્ર ધ્યાન;
અંદર ‘શુક્લ’ બહાર “ધર્મ', કારણ છે મડદાલ અહં ! અપ્રતિક્રમણ દોષોથી, દોષો હાલમાં જે થાય; યથાર્થ પ્રતિક્રમણ કર્યું, તે દોષોથી છૂટી જવાય !
દોષને જાણ્યો એ ધર્મધ્યાન, આત્મધ્યાન તે શુક્લધ્યાન;
અંદર ‘શુક્લ’ બહાર “ધર્મ', એકાવતારી પદ તું જાણ ! અક્રમ માર્ગે જઈ શકાય, આ કાળે એકાવતાર; અંદર બહાર ‘શુકલ’ તો, તે જ ભવે મોક્ષ થનાર !
‘મોડી રાતે મહેમાન આવે”, જોતાં મન બગડી જાય;
અત્યારે કંઈથી મૂઆ,' સહેજે શબ્દ સરે મન માંહ્ય ! મોઢે કહે, ‘પધારો આવો, ચા લેશો કે જરી જરી?”; મહેમાન માંગે ખીચડી-શાક, નહીં તો કહેશે, ‘કઢી જરી’ !
તેલ રેડાય બૈરીમાં, ‘ક્યારે જશે’ પૂછે પતિદેવ;
બૈરી કહે, ‘હું શું જાણું’, મિત્રો તમારા, પાડી તમે ટેવ ! અતિથિ દેવો ભવ, છતાં આર્ત-રૌદ્ર ધ્યાન; તેનું ખપે પ્રતિક્રમણ, નહીંતર ખોટની ખોદી ખાણ !
ભાવ ન ફરે સમકિતીને, પ્રતિક્રમણ કરવાથી;
દોષ છૂટે કાયમનો, પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાનથી ! પ્રતિક્રમણ જો ના થયું, તો રહે દોષ પંડીંગ; એક-બે ભવ જાય વધી, કેશ કર્યો મોક્ષે લેંડીંગ !
ઝઘડો મોંઢે કરી દે, તે તો છૂટે છે આજ;
મનથી કરે તે તો, બાંધે આવતા ભવ કાજ ! કર વૈષનું પ્રતિક્રમણ, કારણ કે થતો એટેક; રાગ તો ડિસ્ચાર્જ છે, જ્ઞાનીનાં હોય ફોડ છેક !
જો જાગૃતિ ના રહી, ન રહ્યો આજ્ઞામાંય;
તો રાગનુંય કરવું પડે, નહીંતર પછી લપસી જાય ! તાંતો ને હિંસકભાવ બે, હોય તો કષાય કહેવાય; એ નહીં તો કષાય નહીં, એ ડિસ્ચાર્જ માત્ર થાય !
26
27