________________
૨૦૮
પ્રતિક્રમણ
(૧૧) પુરુષાર્થ, પ્રાકૃત દુર્ગુણો સામે...
૨૦૭ પ્રશ્નકર્તા : એ તો ખબર જ હોય છે કે મરવાનો જ છે.
દાદાશ્રી : પણ ત્યાં શંકા કેમ નથી પડતી ? મરી જવાની શંકા પડેને તો કાઢી નાખે એ. શંકા પડે કે તરત કાઢી નાખે. ખૂબ ભય લાગે. એટલે કાઢી નાખવાની હોય. ઊખેડીને ફેંકી દેવાની, ઊગી કે તરત ઊખેડીને ફેંકી દેવાની.
બતે બળેલી સીંદરી સમ હંમેશાં કોઈપણ કાર્યનો પસ્તાવો કરો, એટલે એ કાર્યનું ફળ બાર આની નાશ જ થઈ જાય છે. પછી બળેલી દોરી હોયને, એના જેવું ફળ આપે. તે બળેલી દોરડી આવતે ભવે આમ જ કરીએ, તે ઊડી જાય. કોઈ ક્રિયા એમને એમ નકામી તો જાય જ નહીં. પ્રતિક્રમણ કરવાથી એ દોરડી સળગી જાય છે. પણ ડિઝાઈન તેની તે જ રહે છે. પણ આવતે ભવે શું કરવું પડે ? આમ જ કર્યું, ખંખેર્યું કે ઊડી ગઈ.
એ ઘટવા માંડે પછી દાદાશ્રી : હવે પ્રતિક્રમણ કરવાં પડે છે કે ? પ્રશ્નકર્તા : હવે પ્રતિક્રમણ તો કરવો જ પડે ને ! દાદાશ્રી : હવે ઓછાં થયાં છે ? પહેલાં જેટલાં નથી ને ? પ્રશ્નકર્તા : હવે ઓછાં થયાં પણ કરવાં પડે.
દાદાશ્રી : પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચના આ જ સાધન છે મોક્ષે જવાનું. બીજું કોઈ સાધન નહીં. કર્મ તો થયા જ કરવાનાં. ના ઇચ્છા હોય તોય કર્મ તો થયા જ કરવાનાં.
પ્રશ્નકર્તા : કર્મ તો આડાં આવીને ગળામાં ભરાય.
દાદાશ્રી : હા, ગળામાં ભરાય. કર્મનો નિયમ જ એવો છે. તમને ખબર પડી જાય ને કે આ અતિક્રમણ કર્યું. સમભાવે નિકાલ ના થાય તો અતિક્રમણ થઈ જાય. તું અતિક્રમણ કર્યું ત્યારે શું કરું છું ?
પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરું છું.
દાદાશ્રી : સારું. એમ તો બહુ પાકી છે. જેટલી બહાર છે એટલી મહીં છે બોલો. એટલી પાકી છે કે જરાય કર્મ ના બંધાય એવું કર્યું છે. ત્યારે સારું ને, એટલું તો બહુ સારું. આમાં પાકી હોય તે સારું. સંસારમાં પાકો માણસ પોતાનું નુકસાન કરી રહ્યો છે અને આમાં પાકો હોય તો સારું.
ભાંગવી ઈફેક્ટને ઈફેક્ટથી પ્રશ્નકર્તા : આપણે પ્રતિક્રમણ કરીએ છીએ એ કર્મના લીધે જ કરીએ છીએ ને ? પ્રતિક્રમણ આપણે કરીએ છીએ એ આપણા હાથમાં નથી. એ તો ઈફેક્ટ (અસર) છે ને ?
દાદાશ્રી : પ્રતિક્રમણ એ ઈફેક્ટ જ છે, પણ ઈફેક્ટને ઈફેક્ટથી ભાંગવાની છે અને એ ચોખ્ખું થઈ જાય, ધોઈ નાખીએ તરત. આપણે
અક્રમમાં ક્રિયા માત્ર મડદાલ
કરેલી ક્રિયા તો જાય જ નહીં. પણ આ જ્ઞાન લીધા પછી, તમે ચેતન બહાર છુટું પાડ્યા પછી, એ ક્રિયાઓ મડદાલ ક્રિયાઓ છે, નિશ્ચેતન ક્રિયાઓ છે. એટલે એની જવાબદારી છૂટી જાય છે.
આ અક્રમ વિજ્ઞાન છે. કોઈ વિજ્ઞાન એવું ન હોય કે, સંસારમાં સંપર્ણ રીતે રહેવા છતાં, સંપૂર્ણ રીતે મોહમાં રહેવા છતાંય મોક્ષે જવાય. એવું વિજ્ઞાન કોઈ હોય નહીં, એવું આ વિજ્ઞાન છે.
મોક્ષે જવું એટલે શું ? ક્રમિક, સ્ટેપ બાય સ્ટેપ, જેટલો મોહ ઓછો થયો, એટલાં સ્ટેપ તમે ચઢો. અને તે ક્રમિક માર્ગમાં તો જ્ઞાનીઓનેય ચિંતા હોય. અંદર આનંદ હોય અને બહાર ચિંતા હોય. અહીં તો બહારેય ચિંતા નહીં અને અંદરેય ચિંતા નહીં. ચિંતા વગરની લાઈફ વર્લ્ડમાં કોઈ જગ્યાએ હોઈ શકે નહીં. આ અક્રમ વિજ્ઞાનના પ્રતાપે છે, હજારો માણસોને !!!