________________
૨૦૬
પ્રતિક્રમણ
(૧૧) પુરુષાર્થ, પ્રાકૃત દુર્ગુણો સામે...
૨૦૫ એટલે અમે શંકા કરવાની જ ના પાડીએ છીએ. શંકા કોઈ કરશો નહીં. એ ઊભી થાય, ખરેખર એવું લાગે. થયું હોય તોય તમારે શંકા કરવાથી કંઈ મળશે નહીં.
એ એક જાતનો અહંકાર છે. મારી વાત સમજણ પડી ?
પ્રશ્નકર્તા : શંકાના ઉપાયમાં પ્રતિક્રમણ કરી લેવાનું ? શંકા આવે કે તરત જ પ્રતિક્રમણ કરી લેવાનું ?
દાદાશ્રી : હા, જેના માટે શંકા આવે તેનું પ્રતિક્રમણ કરવાનું. પ્રશ્નકર્તા : એટલે એ જ ઉપાય છેને એનો ? દાદાશ્રી : હા, એ જ ઉપાય. નહીં તો શંકા તો તમને ખાઈ
જાતને માને, એટલે ભય લાગ્યા કરે. ‘હું શુદ્ધાત્મા છું, મને કંઈ જ ના થાય, હું તો સનાતન છું,’ તો ભય શેનો લાગે ?
પ્રશ્નકર્તા : પછી ના લાગે.
દાદાશ્રી : ફોરેનના લોકોને ટેમ્પરરી વધારે લાગે, આપણા લોકોને ટેમ્પરરી ઓછું લાગે. કારણ કે કર્તાભાવ થયો. હું કરું છું ને આ કર્મ મારાં કરેલાં થાય છે. એટલે અહીં જરા ફોરેનના કરતાં ઓછા ભયવાળું. ફોરેનવાળા તો ચકલાંની પેઠે ઊડી જાય.
શંકા અને ભય પ્રશ્નકર્તા : આ ભય અને શંકા એ બેને અરસપરસ સંબંધ ખરો ?
જશે.
પ્રશ્નકર્તા: કોઈપણ શંકા આવે એને ચોખવટ કરી લેવી સારી, તો શંકાનો નિકાલ આવે.
દાદાશ્રી : કોઈપણ વસ્તુની શંકા આવતી હોયને, તે આ બધી તપાસ કરી આવવી અને આવીને સૂઈ જવું. અને છેવટે તપાસેય બંધ કરી દેવાની છે.
ભયનું મૂળ કારણ પ્રશ્નકર્તા : આ જે ભય છેને, ભયસંજ્ઞા એ કઈ જાતનું છે ? એ કેવી રીતે ઉત્પન્ન થાય છે ? એ કેવી રીતે ચાર્જ ને ડિસ્ચાર્જ થાય
દાદાશ્રી : શંકાથી જ ભય ઉત્પન્ન થાય અને ભયથી શંકા થાય. એ બેઉ કારણ-કાર્ય જેવું છે. શંકા બિલકુલ રાખવી ના જોઈએ. કોઈપણ બાબતમાં શંકા રાખશો નહીં. છોકરો બગડ્યા કરે છે કે છોકરી બગડ્યા કરે છે, એ શંકા રાખશો નહીં. એને માટે પ્રયત્ન કરજો.
પ્રશ્નકર્તા : પણ શંકા તો ઘડીએ ઘડીયે થઈ જાય છે.
દાદાશ્રી : શંકા એ તો પોતાનો આપઘાત છે. શંકા તો ક્યારેય પણ કરશો નહીં.
પ્રશ્નકર્તા : પણ એ શંકા કેમ થઈ જાય છે ? શંકા કરવાનો સવાલ જ નથી. શંકા ક્ષણે ક્ષણે થઈ જાય છે.
દાદાશ્રી : એ થઈ જાય માટે આપણે કહેવાનું કે ભઈ, શંકા ન હોય મારી, આ મારી ન હોય, થઈ ગઈ કે તરત કહેવું.
શંકા આપણને હોય નહીં. શંકાથી જ આ જગત સડી રહ્યું છે, પડી રહ્યું છે. પોતે મરવાનો છે પણ શંકા કેમ નથી થતી? નથી મરવાનો ?
દાદાશ્રી : ભય તો જેટલો પોતાની જાતને ટેમ્પરરી (વિનાશી) સમજે એટલો વધારે ભય લાગે.
પ્રશ્નકર્તા : એ સમજાયું નહીં. પોતાની જાતને ટેમ્પરરી સમજે એટલે શું?
દાદાશ્રી : “ચંદુભાઈ જ છુંએ ટેમ્પરરી અને તેનું પોતાની